પ્રાંત અધિકારી દ્વારા નોટિસ આપતા આકરણી નંબરનો દસ્તાવેજ રજૂ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
સુરેન્દ્રનગર જિલ્લામાં સોનાની લગડી માફક સરકારી જમીન પર દબાણ કરી પચાવી પાડવાના મસમોટા ષડયંત્રનો પર્દાફાસ થયો છે જેના ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આવેલ રાજસીતાપુર ગામ નજીક રોડ ટચ સરકારી જમીન પર દુકાનો ઉભી કરી તેને બરોબર વેચી મારવામાં આવી છે. જ્યારે આ દુકાનોની સાથે પાછળના ભાગે મોબાઈલ ટાવર થકી દર મહિને 25થી 30 હજાર રૂપિયાનું ભાડું પણ વસૂલવામાં આવે છે. જ્યારે આ અતિ કિંમતી સરકારી જમીન પર પાક્કું બાંધકામ કરવાના મામલે અહેવાલ પ્રસિધ્ધ કરાયો તે બાદ સ્થાનિક પ્રાંત અધિકારી દ્વારા દુકાનના કબજેદારોને નોટિસ આપવામાં આવતા ધમપછાડા કરવામાં આવ્યા હતા અને અંતે બાદમાં પ્રાંત અધિકારી દ્વારા જમીન અંગે પુરાવા રજૂ કરવા માટે જણાવતા જમીનના દસ્તાવેજ રજૂ કર્યા હતા. એક તરફ આ સરકારી રેકર્ડ મુજબ આ જમીન સરકારી શ્રી છે.
- Advertisement -
તો બીજી તરફ દબાણ કરતા દ્વારા દસ્તાવેજ રજૂ કરતા દળમાં કઈક કાળું લાગ્યું હતું જેથી આ દસ્તાવેજ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે દસ્તાવેજમાં ક્યાંય જમીનનો સર્વે નંબર છે જ નહીં માત્ર આકરણી નંબર થકી દસ્તાવેજ ઊભો કરાયો છે એટલે કે દસ્તાવેજ પણ રેકર્ડ આધારિત નથી હોવાથી બોગસ દસ્તાવેજ હોવાનું કહી શકાય ત્યારે પ્રાંત અધિકારી દસ્તાવેજ ક્યાં આધારે બનાવાયો ? તે અંગેની તપાસ કરે તો રાજસીતાપુરના તત્કાલીન તલાટી અને સરપંચ બન્નેના પગ નીચે રેલો આવે તેમ છે. તેવામાં આગામી સમયમાં સરકારી જમીનને પચાવી પાડવાના કૌભાડ મામલે અરજદાર જરૂર પડ્યે છેક ગુજરાત હાઇકોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવાઈ છે.