રશિયન યુવતી સનાતન ધર્મના રંગે રંગાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢ ગિરનારની તળેટીમાં આવેલ ભવનાથ વિસ્તારમાં અનેક સ્થળેથી સાધુ સંતો શિવરાત્રી મેળામાં આવી પહોંચ્યા છે. ત્યારે મહત્વનું છે કે શરીરના સાત ચક્રો વિશે સંશોધન કરનાર એક રશીયાના યુવાવયની મહિલા સાધ્વી હિન્દુ ધર્મથી પ્રભાવિત થઈને સાધ્વી બની ગઈ હતી. અગાઉ તે જૂનાગઢ આવ્યા હતા અને તેઓએ પ્રભાવિત થઈને આ વર્ષે પણ ભવનાથમાં આવીને ધુણી ધખાવી છે. રશીયામાં રહેતી એક 18 વર્ષની યુવતી નાની વયે જ રશીયા છોડી નીકળી ગઈ હતી. આ યુવતીએ શરીરના સાત ચક્રો પર સંશોધન કરેલ અને યોગમાં તેઓએ યુએસએમાંથી યોગ શિક્ષકના પ્રમાણપત્ર પણ મેળવ્યા, ભારતમાં આવ્યા હતા અને હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મથી પ્રભાવિત થઈને આવાહન અખાડાના સાધ્વી રશિયન યુવતી બની જઈને પોતાનું નવું નામ અન્નપૂર્ણાગીરી નામ ધારણ કરેલ હતુ.
ખાસ ખબરના પ્રતિનિધિ સાથે મુલાકાત દરમિયાન 36 વર્ષની વયના સાધ્વીએ જણાવ્યું હતું કે, તેઓ 18 વર્ષથી રશીયામાંથી નીકળી ગયા હતા અને હાલ રૃદ્ર પ્રયાગ ખાતે રહી સાધના કરે છે. દરવર્ષે આ સાધ્વી જૂનાગઢનાં ભવનાથમાં મહાશિવરાત્રી મેળામાં અવશ્ય આવતા હતા અને ભવનાથ વિસ્તારમાં યોજાતા મેળાથી પ્રભાવિત થઈને આ વર્ષે ફરી ભવનાથમાં આવીને ધુણી ધખાવી છે. આ ચાર દિવસ સુધી શિવરાત્રી મેળામાં મહાદેવની આરાધના કરી રહ્યા છે અને ભાવિકોતેમજ ભક્તો અને સનાતન ધર્મના અનેક સાધુ સંતો માટે સવાલ ઉઠાવ્યો છે કે આ રશિયન યુવતીને સનાતન ધર્મના રંગમાં રંગાવું કેવી રીતે પસંદ પડયું હશે.