ભવિષ્યમાં ખાલી થયેલી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલની જગ્યાએ નવનિર્મિત બિલ્ડિંગ બનશે
વોર્ડ નં. 7 – 10 અને 11ને રિમોડલિંગ કરવા વિચારણા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવો પોસ્ટમોર્ટમ રૂમ બનાવવાનું પ્રપોઝલ તૈયાર કરાયું છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું મુજબ પ્રપોઝલ તૈયાર કરી સંબંધિત વિભાગનેમોકલી દેવાયું છે સૌરાષ્ટ્રની અગ્રગણ્ય ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં બે મૃતદેહનું પીએમ થઈ શેક અને ત્રણ-ચાર મૃતદેહ સાચવી શકાય તેવો જ કોલ્ડરૂમ છે. આ કોલ્ડ રૂમમાં પણ ખામીઓ આવતી હોવાનું પ્રકાશમાં આવતું રહે છે. એક સાથે બે જ મૃતદેહનું પીએમ થઈ શકે તેવી વ્યવસ્થા હોવાથી ઘણી વાર એક સાથે વધુ મૃતદેહો આવી જતાં મૃતકના સગાઓને પીએમ માટે વધુ રાહ જોવાનો વારો આવે છે. અને જો મૃતદેહ કોલ્ડ રૂમમાં વધુ દિવસ રાખવાની ફરજ પડે તો મૃતદેહની સંખ્યા વધે તો ખાનગી કોલ્ડ સ્ટોરેઝમાં મૃતદેહ રાખવા પડે. જેથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવો પીએમ રૂમનું નિર્માણ થશે. તેનાં માટે નવો પ્લાન પણ તંત્ર દ્વારા બનાવવામાં આવ્યો છે.
પ્રપોઝલ મંજુર થયા પછી તેનું કામકાજ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે.સિવિલ હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર મેળવે છે. હાલ અકસ્માતથી મોત, આપઘાતના બનાવો વધ્યા છે ત્યારે નવા પીએમ રૂમની તાતી જરૂરિયાત ઊભી થઈ છે આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું કે નવા પોસ્ટમોર્ટમ રૂમના નિર્માણ માટે પ્લાન બનાવી પ્રપોઝલ સરકારમાં મોકલી દેવામાં આવેલ છે. વધુ જણાવ્યું કે, 11 માળની નવનિર્મિત ઝનાના હોસ્પિટલ બનતા બાળકો અને મહિલા દર્દીઓને ત્યાં દાખલ કરવામાં આવે છે.
- Advertisement -
જેથી હાલ જે વોર્ડ નં-7, નં.10 અને નં.11 અને કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલનો કઈ રીતે ઉપયોગ કરવો તેની વિચારણા થઈ રહી છે. જોકે, વોર્ડ નં-7, નં.10 અને નં.11ને રીમોડેલિંગ કરવામાં આવશે. ભવિષ્યમાં કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના બિલ્ડીંગની જગ્યાએ પણ નવું બિલ્ડીંગ બનશે. પીએમ રૂમનું પ્રપોઝલ મંજુર થયા બાદ પીએમ રૂમ માટે બાંધકામ શરૂ થશે. હાલ જ્યાં પીએમ રૂમ છે ત્યાં જ નવો પીએમ રૂમ બનાવાશે. જેમાં કોલ્ડ સ્ટોરેજમાં જરૂરિયાત મુજબની જગ્યા હશે. ઉપરાંત એક સાથે બેથી વધુ મૃતદેહની પીએમ થાય તેવી વ્યવસ્થા પણ હશે.