By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    1 day ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    2 days ago
    ટ્રમ્પની ગૂંડાગીરી
    2 days ago
    ટ્રમ્પનું મોટું નિવેદન: ‘પુતિન વિરુદ્ધ માદુરો જેવી કાર્યવાહીની કોઈ જરૂર નથી'”
    4 days ago
    ટ્રેમ્પ ટેરિફ ટેરિફ કરતા રહ્યા અને ભારત માટે ચીન બન્યું સૌથી મોટું નિકાસ બજાર
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોન્ટ્રાક્ટ કર્મચારીઓ નિયમિત સ્ટાફ સમાન વેતનનો દાવો કરી શકશે નહીં: સુપ્રીમ કોર્ટ
    1 day ago
    કોર મોંઘવારી 28 મહિનામાં સૌથી વધુ 4.8 ટકા વધી : જાન્યુઆરીમાં રડાવશે
    1 day ago
    ઈરાન સાથે વેપાર કર્યો તો તાત્કાલિક 25% ટેરિફ લગાવીશું: ટ્રમ્પની જાહેરાત
    1 day ago
    જે લોકો રખડતાં કૂતરાને ખવડાવે છે તેઓ તેને ઘરે લઈ જાય: જઈ
    1 day ago
    શ્રમ મંત્રીએ ઝડપી વાણિજ્ય કંપનીઓને 10-મિનિટની ડિલિવરી બ્રાન્ડિંગ છોડી દેવાનો આદેશ આપ્યો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    2 days ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    4 days ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    6 days ago
    KKR-મુસ્તફિઝુર રહેમાન પંક્તિ સમજાવ્યું: કોણ વાંધો ઉઠાવી રહ્યું છે અને વિરોધ પાછળ શું છે
    2 weeks ago
    2026 માટે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમનું સંપૂર્ણ સમયપત્રક: મેચ, શ્રેણી, વિરોધ, સમય અને મહિનો તપાસો
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    4 weeks ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૂરીલી ગાયિકા સાથે સુરીલો સંવાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > સૂરીલી ગાયિકા સાથે સુરીલો સંવાદ
AuthorHemadri Acharya Dave

સૂરીલી ગાયિકા સાથે સુરીલો સંવાદ

Khaskhabar Editor
Last updated: 2022/08/17 at 2:02 PM
Khaskhabar Editor 3 years ago
Share
9 Min Read
SHARE

લોકસંગીત અને ભજનોને જીવંત રાખનાર લલિતાબેન ઘોડાદરા સાથે ખાસ-ખબરની મુલાકાત

લલિતાબેન જયારે તળપદી ભાષામાં ભજનો ગાય છે ત્યારે શ્રોતાઓ થઇ જાય છે મંત્રમુગ્ધ

- Advertisement -

‘વીજળીના ચમકારે મોતીડાં પરોવવા….’ એ એમની અસલ તળપદી રંગતમાં ગાય છે અને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જાય છે, કારણ એમના માટે આ ભજન એ માત્ર ભજન નથી, એમના જીવનનો સાર છે એ એમના અતિતમાં ઊંડે ઉતરતાં સમજાય છે કે એમણે ખરેખર વીજળીના ચમકારે મોતીડાં પરોવી પરોવીને સફળતાની વિજયમાલા પોતે ગુંથી છે. આ વાત છે ગુજરાતની કોયલ, કોકિલકંઠા લલીતાબેન ઘોડાદરાની કે જેમણે દેશ વિદેશમાં ગુજરાતી લોકસંગીત-ભજનો-લગ્નગીતોને જીવંત રાખ્યા છે. અત્રે પ્રસ્તુત છે એમની સાથેની યાદગાર મુલાકાત, રુબરુ સંવાદની રસલાહણ…
ત્રણ બહેન અને ત્રણ ભાઈ, માતા-પિતા અને દાદી નવ જણના બહોળો પરિવારમાં,1968માં પોરબંદરમાં જન્મેલા લલીતાબેન નાનપણની વાત કરતા કહે છે કે, રોજ સવારે પાંચ વાગે ઉઠી જવાનો, રેડિયો સાંભળવાનો, માતા- પિતાનો નિત્યક્રમ.. વહેલી સવારે રેડિયો પર આવતાં ભજન-પ્રભાતિયાં વડે ઘર ગુંજી ઉઠતું. વળી, મોટાબહેન લીલાવતીબેન અને રમીલાબેન બિરલા કોલોનીમાં નવરાત્રી દરમ્યાન બુલંદ અવાજે ગરબા ગવડાવે, મોટાભાઈ કેશુભાઈ પણ એ સમયે પ્રફુલ દવે જેવા અવાજ તરીકે શાળામાં અને આસપાસના વિસ્તારમાં ઓળખાતા… એટલે નાનપણથી જ ઘરમાં સંગીતનું વાતાવરણ મળ્યું. પણ સંગીતની વિધિવત તાલીમની શરૂઆત કેવી રીતે થઈ એ વિશે બહેન જણાવે છે કે…
શાળા જીવન દરમ્યાન બાલસભામાં હું કાયમ ભજન અને લોકગીત વગેરે ગાતી. મને સાંભળીને શિક્ષકો પણ એમ કહેતા કે તારો અવાજ કેટલો સરસ છે, તારે તો વિધિવત તાલીમ લેવી જોઈએ. સખી વૃંદ પણ લલિતાને ખૂબ પ્રોત્સાહિત કરે કે તું આમાં આગળ વધ, અમે તને બનતી મદદ કરીશું. લગ્ન પ્રસંગે કે સામાજિક પ્રસંગે લલિતાને ગાવામાં આગળ કરે જેથી એની ઓળખ ઉભી થાય! બહેનપણી સુકેશી રવજીભાઈ જોશી પાસે સંગીતની તાલીમ લે, એણે લલીતાબેનને ખૂબ પ્રોત્સાહિત કર્યા કે તારે ગુરુ પાસે શીખવું જોઈએ પણ રૂઢિચુસ્ત પરિવાર અને તેઓ જે જ્ઞાતિમાંથી આવે છે ત્યાંના અમુક મર્યાદાઓને કારણે પિતા નહોતા ઇચ્છતા કે દીકરી લલિતા જાહેરમાં ગાવાનું ક્ષેત્ર પસંદ કરે એટલે રવજીભાઈ જોશીની સમજાવટ છતાં પિતા તાલીમ આપવા તૈયાર ન થયા પણ અંતે તો ક્રાંતિકારી, સંતાન વત્સલ પિતાએ દીકરીને લીલીઝંડી આપી દીધી અને ભવિષ્યની સંગીતમય યાત્રાના જાણે કે શ્રી ગણેશ થઈ ગયાં.
પિતા લોકસંગીત અને ભજનના રસિક વ્યક્તિ, અનેક પ્રોગ્રામમોમાં દીકરીને લઈને જાય. ત્યા કલાકરોને સ્ટેજ પર પ્રસ્તુતિ કરતા જોઈને લલિતાબેનને નાનપણથી જ એવા શમણાં આવે કે હું પણ આ લોકોની જેમ જ ક્યારેક સ્ટેજ ગજવતી હોઈશ… આ મહત્વકાંક્ષામાં પ્રખર મહેનત ભળી અને બધી જ વિષમતા ભૂલી જઈને સંગીત શીખવામાં રાતદિવસ ભૂલી જતાં બહેનને અભાવો કે અગવડોની ફરિયાદ ક્યારેય ન રહી. પિતા પાસે દીકરીને હાર્મોનિયમ લઈ દેવાના જોગ સુદ્ધા નહિ!

પણ દીકરીની લગન જોઈ પિતાએ જયુપીટરવાળા જોશી પરિવાર (લંડન)ને વાત કરતા તેમણે પાંચસો રૂપિયાનું હાર્મોનિયમ લઈ આપ્યું. પિતાની નબળી આર્થિક સ્થિતિ બે રૂમ અને નવ નવ સભ્યોના પરિવારમાં રિયાઝ કરવાની જગ્યા પણ ન મળે! બહેન રોજ સવારે ચાર-પાંચ વાગે ઉઠીને પૂજાપાઠ કરી બાથરૂમ સાફ કરીને પછી બાથરૂમમાં ચાર ચાર કલાક રિયાઝ કરે! જેની ફલશ્રુતિ રૂપે તેર-ચૌદ વર્ષની ઉંમરે જ પોરબંદર તેમજ બરડા વિસ્તારમાં લલીતાબેનને પ્રોગ્રામ મળવા શરૂ થઈ ગયાં…
પ્રથમ જાહેર પ્રસ્તુતિમાં પંદર રૂપિયાનો પુરસ્કાર અને ઘોળ મળી સાડા ત્રણસો રૂપિયાની ..એ યાદ કરતા લલિતાબેન કહે છે કે તે રાત્રે મને આની ખુશીમાં ઊંઘ નહોતી આવી!

- Advertisement -

જામનગર-દ્વારકામાં પ્રોગ્રામમાં મોટાભાઈએ બહેનને સ્ટેજ આપ્યું એ એમનો પ્રથમ જાહેર સ્ટેજ પ્રોગ્રામ…

પણ દીકરીની લગન જોઈ પિતાએ જયુપીટરવાળા જોશી પરિવાર (લંડન)ને વાત કરતા તેમણે પાંચસો રૂપિયાનું હાર્મોનિયમ લઈ આપ્યું. પિતાની નબળી આર્થિક સ્થિતિ બે રૂમ અને નવ નવ સભ્યોના પરિવારમાં રિયાઝ કરવાની જગ્યા પણ ન મળે! બહેન રોજ સવારે ચાર-પાંચ વાગે ઉઠીને પૂજાપાઠ કરી બાથરૂમ સાફ કરીને પછી બાથરૂમમાં ચાર ચાર કલાક રિયાઝ કરે! જેની ફલશ્રુતિ રૂપે તેર-ચૌદ વર્ષની ઉંમરે જ પોરબંદર તેમજ બરડા વિસ્તારમાં લલીતાબેનને પ્રોગ્રામ મળવા શરૂ થઈ ગયાં…

પ્રથમ જાહેર પ્રસ્તુતિમાં પંદર રૂપિયાનો પુરસ્કાર અને ઘોળ મળી સાડા ત્રણસો રૂપિયાની..એ યાદ કરતા લલિતાબેન કહે છે કે તે રાત્રે મને આની ખુશીમાં ઊંઘ નહોતી આવી!
જામનગરનો પ્રોગ્રામ તો ઠીક ઠીક સફળ રહ્યો પણ દ્વારકામાં નીચો સુર આપવાનું કહેવા છતાં, હાર્મોનિયમ વાદકે બહેનને ચોથી કાળીનો બહુ ઊંચો સુર આપી દીધો ટોન્સિલનું ઓપરેશન કરેલું અને આટલા ઊંચા સુરમાં ગાવાની ટેવ ન હોવાથી બહેનનો અવાજ તણાઇ ગયો… શ્રોતાઓને ખૂબ વિરોધ કર્યો કે આ કોને લઈ આવ્યા છો, ગાતા નથી આવડતું વગેરે વગેરે… બસ ત્યારથી બહેને નક્કી કરી લીધું કે હવે હું જ હાર્મોનિયમ વગાડું અને હું જ ગાઉ.. બીજા કોઈ વગાડે તો સંવાદિતા ન આવે અને આવી રીતે વિરોધનો સામનો કરવો પડે એમાંથી ઉગરવું જ રહ્યું!

ગુરુ રવજીભાઈ જોશીએ લોકસંગીતની સમજ આપી. લોકગીત કયા સુરમાં, કેવી રીતે ગવાય, ઢાળ લહેકો એ બધું જ જ્ઞાન મળ્યું. સમય જતાં શાસ્ત્રીય સંગીતની તાલીમ પીયૂબેન સરખેલ પાસે લીધી તે ઉપરાંત કાંતિભાઈ સોનછત્ર પાસે હાર્મોનિયમ શીખ્યાં.. વળી પ્રેરણાગુરુ કાનદાસ બાપુ કે નાનપણમાં જ્યારે બહેને એમને જોયા પણ નહોતા ત્યારથી મનોમન ખૂબ જ આદરભાવ સાથે એમને ખૂબ સાંભળ્યા છે અને એમની શૈલીમાં જ બહેન આજે ભજન ગાય છે. કાનદાસ બાપુ વિશે બહેન કહે કે બાપુ માટે ખૂબ જ આદરભાવ અને મર્યાદા પણ ખરી એ કારણે એમણે ગાયેલું કોઈ ભજન મારે ગાવું હોય તો એ કેવી રીતે ગવાય, એનો ઢાળ કે ભાવ વિશેના કોઈ સવાલ હોય તો બાપુને સીધું પૂછી ન શકતી પણ એમના સાન્નિધ્યમાં એમનું જ ભજન હું ગાઉ એ પછી બાપુ કહે કે આમાં, આમ આમ નહિ પણ આ રીતે ગાવું જોઈએ. આમ, હું ઘડાતી ગઈ.

સૌરાષ્ટ્ર-કચ્છમાં અસંખ્ય સ્ટેજ પ્રોગ્રામ ભજન, લગ્નગીત, સંતવાણી, લોકડાયરો દરેક ક્ષેત્રે લલીતાબેન છવાયા…

નેવુંના દાયકામાં શરુ થયેલા કેસેટ-સીડીના યુગે બહેનની કારકિર્દીને નવા જ આયામ પર ખડી કરી દીધી. 1994માં ટી-સીરીઝે ગુજરાતી સેક્શનની શરૂઆત કરી. સંગીતકાર પંકજભાઈ ભટ્ટ તૈયાર કરેલા બહેનના આલ્બમ કૃષ્ણ કનૈયો’ અને ભજન પ્રભાતિયા’ સુપરહિટ સાબિત થયાં કે જે આજેપણ એવરગ્રીન ગણાય છે. ત્યારબાદ અસંખ્ય આલ્બમ સમજો કે સાતસોથી આઠસો આલ્બમ અને આજ સુધીમાં લગભગ પાંચથી છ હજાર ગીત ગાઇ ચુક્યા છે.

અહીં સુધીની સફરની વાત દરમ્યાન અનેક સંઘર્ષો આવ્યાં. ક્ષેત્રીય રાજકારણ,સાધનોનો અભાવ, ટીકા અને નિંદા … એ બધું કેવી રીતે પચાવી ગયાં? એ વિશે બહેન કહે છે કે આજે આંગણમાં બબ્બે ગાડીઓ ઉભી છે પણ એક એવો સમય પણ હતો કે જ્યારે અંતરિયાળ ગામડાઓમાં વાહનની સુવિધા ન હોય ત્યાં ગાડામાં, છકડામાં, બેસીને પણ પ્રોગ્રામ સ્થળે પહોંચવું પડતું! ઘણીવાર સિનિયર કલાકારોને કારણે વારો જ ન આવે ત્યારે એમ માનતી કે હશે, કદાચ મારી જ પુરી તૈયારી નહિ હોય એટલે જ મને સ્ટેજ નહિ મળ્યું હોય. ઘણીવાર રાત્રે ત્રણ-ચાર વાગ્યે વારો આવે ત્યારે હું એમ માનું કે ચાર વાગે તો ચાર વાગે, સ્ટેજ તો મળ્યું ને! હું ખરા મનથી ગાવું એને જ મારી સફળતા સમજતી. વળી, ગાવા માટે કોઈ સમય ન હોય, જ્યારે આપણને ગાવાનું મળે એ જ મારો સમય! પિતાએ કહ્યું હતું કે સફળતા અને નિંદા એક સિક્કાની બે બાજુ છે, વળી, મોટા કલાકરોની સફળતા જોઈ ક્યારેય ઈર્ષ્યા ન કરવી બસ, એમની ખૂબીઓનો અભ્યાસ કરીને એમને આત્મસાત કરવી. હું મોરારીબાપુની એક વાત હંમેશા યાદ રાખું છું કે તમે જ્યારે સફળતાનાં બે પગથિયાં ચડશો ત્યારે નિંદાના દસ તીર તમારી સામે તાકવામાં આવશે જ.. હું મારી ટીકા કે નિંદાને પ્રોત્સાહક બળ તરીકે લઉ છું. લોકોની ફરિયાદ કે મારી ખામીઓ તરફ લોકોની ફરિયાદને હું ધ્યાનથી સાંભળું છું અને હતોત્સાહ થયા વગર એમાં સુધારો લાવવાની કોશિશ કરું છું, આમ, ટીકા એ મારે માટે બુસ્ટર ડોઝ જેવું છે. વળી, કલાકારોની હરીફાઈ, અંદરનું રાજકારણ એ બધા વચ્ચે મને મારા સિનિયર કલાકારોનો અઢળક પ્રેમ અને સ્વીકાર પણ મળ્યો જ છે, એ વાત હું કઈ રીતે ભૂલું! જીવનમાં એક તબક્કો એવો ય આવ્યો કે હું સદંતરપણે ગાવાનું જાણે કે વિસરી જ ગઈ..એ છ મહિના એવા રહ્યા કે મારા ગળામાંથી અવાજ જ ન નીકળે! હું તો સંપૂર્ણપણે માનતી થઈ ગઈ હતી કે હવે હું ક્યારેય ગાઈ નહિ શકું..તદ્દન નિરાશાનાં એ તબક્કામાં ભાઈ લક્ષ્મણબારોટે અને હેમંતભાઈ ચૌહાણે મને ખુબ જ હિંમત અને સાંત્વના આપ્યા. એ તબક્કામાંથી હું બહાર આવી હોઉં તો એનો બધો જ શ્રેય આ સહકલાકારોને જાય છે…!
(વધુ આવતા અંકે)

You Might Also Like

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

ધ ગ્રેટ બ્રિટનનો ધ ગ્રેટ ’ધી એન્ડ’?

અંગૂઠાના નખ જેવડી માછલી સિંહથી મોટી ગર્જના કરી શકે છે

ઓમકાર અને પ્રાણાયામથી 120 બીમારીઓ થશે દૂર

મનની શક્તિ અપાર

TAGGED: lalitabenghodadara, SINGER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વડાપ્રધાન મોદી તા.27-28 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસ
Next Article રાજકોટનો મેળો : મેઘધનુષી માનવ મહેરામણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ગીર સોમનાથના તાલાલા ખાતે થશે 26મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
તાલાલાનાં રસુલપરા ગીર ગામે હિંસક દિપડાએ પરપ્રાંતિય શ્રમજીવી પર હુમલો કરતા મોત
પતંગબાજી, ઊંધિયું અને જીવદયાના ત્રિવેણી સંગમ સાથે મકરસંક્રાંતિ ઉજવશે
ધ્રાંગધ્રાના હરિપર ગામે મંજૂર થયેલી ૠઈંઉઈનું સ્થળ બદલવાની માંગ
ધ્રાંગધ્રાના ધ્રુમઠ ગામે નદીમાં ગેરકાયદે રેતી ચોરી સામે ઉચ્ચસ્તરે રજૂઆત
વાઇબ્રન્ટ સમિટમાં સિરામિક ક્ષેત્રે રૂપિયા 1460 કરોડના ખઘઞ: મોરબીમાં હાઈ-ટેક લેબોરેટરી બનશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ધ ગ્રેટ બ્રિટનનો ધ ગ્રેટ ’ધી એન્ડ’?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
મનીષ આચાર્ય

અંગૂઠાના નખ જેવડી માછલી સિંહથી મોટી ગર્જના કરી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?