By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    2 hours ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    2 hours ago
    ડોનાલ્ડ ટ્રમ્પ 116 વર્ષમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમને NAACP સંમેલનમાં આમંત્રણ આપવામાં ન આવ્યું
    5 hours ago
    ટ્રમ્પે G7 સમિટ વહેલા છોડી, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં નહીં આવે
    6 hours ago
    નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું
    5 hours ago
    બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
    6 hours ago
    ગોવા શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલ પાંચમું ફાસ્ટ પેટ્રોલ જહાજ ‘અચલ’ ICG માટે લોન્ચ કરવામાં આવ્યું
    7 hours ago
    કેપ્ટન સુમિત સભરવાલના 88 વર્ષીય શોકગ્રસ્ત પિતાએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી
    7 hours ago
    સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, કોલકાતામાં લેન્ડ કરાઈ
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    7 hours ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    1 day ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    5 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    5 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    6 hours ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    3 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    4 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    4 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    6 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૂરીલી ગાયિકા સાથે સુરીલો સંવાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > સૂરીલી ગાયિકા સાથે સુરીલો સંવાદ
AuthorHemadri Acharya Dave

સૂરીલી ગાયિકા સાથે સુરીલો સંવાદ

Khaskhabar Editor
Last updated: 2022/08/17 at 2:02 PM
Khaskhabar Editor 3 years ago
Share
9 Min Read
SHARE

લોકસંગીત અને ભજનોને જીવંત રાખનાર લલિતાબેન ઘોડાદરા સાથે ખાસ-ખબરની મુલાકાત

લલિતાબેન જયારે તળપદી ભાષામાં ભજનો ગાય છે ત્યારે શ્રોતાઓ થઇ જાય છે મંત્રમુગ્ધ

- Advertisement -

‘વીજળીના ચમકારે મોતીડાં પરોવવા….’ એ એમની અસલ તળપદી રંગતમાં ગાય છે અને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જાય છે, કારણ એમના માટે આ ભજન એ માત્ર ભજન નથી, એમના જીવનનો સાર છે એ એમના અતિતમાં ઊંડે ઉતરતાં સમજાય છે કે એમણે ખરેખર વીજળીના ચમકારે મોતીડાં પરોવી પરોવીને સફળતાની વિજયમાલા પોતે ગુંથી છે. આ વાત છે ગુજરાતની કોયલ, કોકિલકંઠા લલીતાબેન ઘોડાદરાની કે જેમણે દેશ વિદેશમાં ગુજરાતી લોકસંગીત-ભજનો-લગ્નગીતોને જીવંત રાખ્યા છે. અત્રે પ્રસ્તુત છે એમની સાથેની યાદગાર મુલાકાત, રુબરુ સંવાદની રસલાહણ…
ત્રણ બહેન અને ત્રણ ભાઈ, માતા-પિતા અને દાદી નવ જણના બહોળો પરિવારમાં,1968માં પોરબંદરમાં જન્મેલા લલીતાબેન નાનપણની વાત કરતા કહે છે કે, રોજ સવારે પાંચ વાગે ઉઠી જવાનો, રેડિયો સાંભળવાનો, માતા- પિતાનો નિત્યક્રમ.. વહેલી સવારે રેડિયો પર આવતાં ભજન-પ્રભાતિયાં વડે ઘર ગુંજી ઉઠતું. વળી, મોટાબહેન લીલાવતીબેન અને રમીલાબેન બિરલા કોલોનીમાં નવરાત્રી દરમ્યાન બુલંદ અવાજે ગરબા ગવડાવે, મોટાભાઈ કેશુભાઈ પણ એ સમયે પ્રફુલ દવે જેવા અવાજ તરીકે શાળામાં અને આસપાસના વિસ્તારમાં ઓળખાતા… એટલે નાનપણથી જ ઘરમાં સંગીતનું વાતાવરણ મળ્યું. પણ સંગીતની વિધિવત તાલીમની શરૂઆત કેવી રીતે થઈ એ વિશે બહેન જણાવે છે કે…
શાળા જીવન દરમ્યાન બાલસભામાં હું કાયમ ભજન અને લોકગીત વગેરે ગાતી. મને સાંભળીને શિક્ષકો પણ એમ કહેતા કે તારો અવાજ કેટલો સરસ છે, તારે તો વિધિવત તાલીમ લેવી જોઈએ. સખી વૃંદ પણ લલિતાને ખૂબ પ્રોત્સાહિત કરે કે તું આમાં આગળ વધ, અમે તને બનતી મદદ કરીશું. લગ્ન પ્રસંગે કે સામાજિક પ્રસંગે લલિતાને ગાવામાં આગળ કરે જેથી એની ઓળખ ઉભી થાય! બહેનપણી સુકેશી રવજીભાઈ જોશી પાસે સંગીતની તાલીમ લે, એણે લલીતાબેનને ખૂબ પ્રોત્સાહિત કર્યા કે તારે ગુરુ પાસે શીખવું જોઈએ પણ રૂઢિચુસ્ત પરિવાર અને તેઓ જે જ્ઞાતિમાંથી આવે છે ત્યાંના અમુક મર્યાદાઓને કારણે પિતા નહોતા ઇચ્છતા કે દીકરી લલિતા જાહેરમાં ગાવાનું ક્ષેત્ર પસંદ કરે એટલે રવજીભાઈ જોશીની સમજાવટ છતાં પિતા તાલીમ આપવા તૈયાર ન થયા પણ અંતે તો ક્રાંતિકારી, સંતાન વત્સલ પિતાએ દીકરીને લીલીઝંડી આપી દીધી અને ભવિષ્યની સંગીતમય યાત્રાના જાણે કે શ્રી ગણેશ થઈ ગયાં.
પિતા લોકસંગીત અને ભજનના રસિક વ્યક્તિ, અનેક પ્રોગ્રામમોમાં દીકરીને લઈને જાય. ત્યા કલાકરોને સ્ટેજ પર પ્રસ્તુતિ કરતા જોઈને લલિતાબેનને નાનપણથી જ એવા શમણાં આવે કે હું પણ આ લોકોની જેમ જ ક્યારેક સ્ટેજ ગજવતી હોઈશ… આ મહત્વકાંક્ષામાં પ્રખર મહેનત ભળી અને બધી જ વિષમતા ભૂલી જઈને સંગીત શીખવામાં રાતદિવસ ભૂલી જતાં બહેનને અભાવો કે અગવડોની ફરિયાદ ક્યારેય ન રહી. પિતા પાસે દીકરીને હાર્મોનિયમ લઈ દેવાના જોગ સુદ્ધા નહિ!

પણ દીકરીની લગન જોઈ પિતાએ જયુપીટરવાળા જોશી પરિવાર (લંડન)ને વાત કરતા તેમણે પાંચસો રૂપિયાનું હાર્મોનિયમ લઈ આપ્યું. પિતાની નબળી આર્થિક સ્થિતિ બે રૂમ અને નવ નવ સભ્યોના પરિવારમાં રિયાઝ કરવાની જગ્યા પણ ન મળે! બહેન રોજ સવારે ચાર-પાંચ વાગે ઉઠીને પૂજાપાઠ કરી બાથરૂમ સાફ કરીને પછી બાથરૂમમાં ચાર ચાર કલાક રિયાઝ કરે! જેની ફલશ્રુતિ રૂપે તેર-ચૌદ વર્ષની ઉંમરે જ પોરબંદર તેમજ બરડા વિસ્તારમાં લલીતાબેનને પ્રોગ્રામ મળવા શરૂ થઈ ગયાં…
પ્રથમ જાહેર પ્રસ્તુતિમાં પંદર રૂપિયાનો પુરસ્કાર અને ઘોળ મળી સાડા ત્રણસો રૂપિયાની ..એ યાદ કરતા લલિતાબેન કહે છે કે તે રાત્રે મને આની ખુશીમાં ઊંઘ નહોતી આવી!

- Advertisement -

જામનગર-દ્વારકામાં પ્રોગ્રામમાં મોટાભાઈએ બહેનને સ્ટેજ આપ્યું એ એમનો પ્રથમ જાહેર સ્ટેજ પ્રોગ્રામ…

પણ દીકરીની લગન જોઈ પિતાએ જયુપીટરવાળા જોશી પરિવાર (લંડન)ને વાત કરતા તેમણે પાંચસો રૂપિયાનું હાર્મોનિયમ લઈ આપ્યું. પિતાની નબળી આર્થિક સ્થિતિ બે રૂમ અને નવ નવ સભ્યોના પરિવારમાં રિયાઝ કરવાની જગ્યા પણ ન મળે! બહેન રોજ સવારે ચાર-પાંચ વાગે ઉઠીને પૂજાપાઠ કરી બાથરૂમ સાફ કરીને પછી બાથરૂમમાં ચાર ચાર કલાક રિયાઝ કરે! જેની ફલશ્રુતિ રૂપે તેર-ચૌદ વર્ષની ઉંમરે જ પોરબંદર તેમજ બરડા વિસ્તારમાં લલીતાબેનને પ્રોગ્રામ મળવા શરૂ થઈ ગયાં…

પ્રથમ જાહેર પ્રસ્તુતિમાં પંદર રૂપિયાનો પુરસ્કાર અને ઘોળ મળી સાડા ત્રણસો રૂપિયાની..એ યાદ કરતા લલિતાબેન કહે છે કે તે રાત્રે મને આની ખુશીમાં ઊંઘ નહોતી આવી!
જામનગરનો પ્રોગ્રામ તો ઠીક ઠીક સફળ રહ્યો પણ દ્વારકામાં નીચો સુર આપવાનું કહેવા છતાં, હાર્મોનિયમ વાદકે બહેનને ચોથી કાળીનો બહુ ઊંચો સુર આપી દીધો ટોન્સિલનું ઓપરેશન કરેલું અને આટલા ઊંચા સુરમાં ગાવાની ટેવ ન હોવાથી બહેનનો અવાજ તણાઇ ગયો… શ્રોતાઓને ખૂબ વિરોધ કર્યો કે આ કોને લઈ આવ્યા છો, ગાતા નથી આવડતું વગેરે વગેરે… બસ ત્યારથી બહેને નક્કી કરી લીધું કે હવે હું જ હાર્મોનિયમ વગાડું અને હું જ ગાઉ.. બીજા કોઈ વગાડે તો સંવાદિતા ન આવે અને આવી રીતે વિરોધનો સામનો કરવો પડે એમાંથી ઉગરવું જ રહ્યું!

ગુરુ રવજીભાઈ જોશીએ લોકસંગીતની સમજ આપી. લોકગીત કયા સુરમાં, કેવી રીતે ગવાય, ઢાળ લહેકો એ બધું જ જ્ઞાન મળ્યું. સમય જતાં શાસ્ત્રીય સંગીતની તાલીમ પીયૂબેન સરખેલ પાસે લીધી તે ઉપરાંત કાંતિભાઈ સોનછત્ર પાસે હાર્મોનિયમ શીખ્યાં.. વળી પ્રેરણાગુરુ કાનદાસ બાપુ કે નાનપણમાં જ્યારે બહેને એમને જોયા પણ નહોતા ત્યારથી મનોમન ખૂબ જ આદરભાવ સાથે એમને ખૂબ સાંભળ્યા છે અને એમની શૈલીમાં જ બહેન આજે ભજન ગાય છે. કાનદાસ બાપુ વિશે બહેન કહે કે બાપુ માટે ખૂબ જ આદરભાવ અને મર્યાદા પણ ખરી એ કારણે એમણે ગાયેલું કોઈ ભજન મારે ગાવું હોય તો એ કેવી રીતે ગવાય, એનો ઢાળ કે ભાવ વિશેના કોઈ સવાલ હોય તો બાપુને સીધું પૂછી ન શકતી પણ એમના સાન્નિધ્યમાં એમનું જ ભજન હું ગાઉ એ પછી બાપુ કહે કે આમાં, આમ આમ નહિ પણ આ રીતે ગાવું જોઈએ. આમ, હું ઘડાતી ગઈ.

સૌરાષ્ટ્ર-કચ્છમાં અસંખ્ય સ્ટેજ પ્રોગ્રામ ભજન, લગ્નગીત, સંતવાણી, લોકડાયરો દરેક ક્ષેત્રે લલીતાબેન છવાયા…

નેવુંના દાયકામાં શરુ થયેલા કેસેટ-સીડીના યુગે બહેનની કારકિર્દીને નવા જ આયામ પર ખડી કરી દીધી. 1994માં ટી-સીરીઝે ગુજરાતી સેક્શનની શરૂઆત કરી. સંગીતકાર પંકજભાઈ ભટ્ટ તૈયાર કરેલા બહેનના આલ્બમ કૃષ્ણ કનૈયો’ અને ભજન પ્રભાતિયા’ સુપરહિટ સાબિત થયાં કે જે આજેપણ એવરગ્રીન ગણાય છે. ત્યારબાદ અસંખ્ય આલ્બમ સમજો કે સાતસોથી આઠસો આલ્બમ અને આજ સુધીમાં લગભગ પાંચથી છ હજાર ગીત ગાઇ ચુક્યા છે.

અહીં સુધીની સફરની વાત દરમ્યાન અનેક સંઘર્ષો આવ્યાં. ક્ષેત્રીય રાજકારણ,સાધનોનો અભાવ, ટીકા અને નિંદા … એ બધું કેવી રીતે પચાવી ગયાં? એ વિશે બહેન કહે છે કે આજે આંગણમાં બબ્બે ગાડીઓ ઉભી છે પણ એક એવો સમય પણ હતો કે જ્યારે અંતરિયાળ ગામડાઓમાં વાહનની સુવિધા ન હોય ત્યાં ગાડામાં, છકડામાં, બેસીને પણ પ્રોગ્રામ સ્થળે પહોંચવું પડતું! ઘણીવાર સિનિયર કલાકારોને કારણે વારો જ ન આવે ત્યારે એમ માનતી કે હશે, કદાચ મારી જ પુરી તૈયારી નહિ હોય એટલે જ મને સ્ટેજ નહિ મળ્યું હોય. ઘણીવાર રાત્રે ત્રણ-ચાર વાગ્યે વારો આવે ત્યારે હું એમ માનું કે ચાર વાગે તો ચાર વાગે, સ્ટેજ તો મળ્યું ને! હું ખરા મનથી ગાવું એને જ મારી સફળતા સમજતી. વળી, ગાવા માટે કોઈ સમય ન હોય, જ્યારે આપણને ગાવાનું મળે એ જ મારો સમય! પિતાએ કહ્યું હતું કે સફળતા અને નિંદા એક સિક્કાની બે બાજુ છે, વળી, મોટા કલાકરોની સફળતા જોઈ ક્યારેય ઈર્ષ્યા ન કરવી બસ, એમની ખૂબીઓનો અભ્યાસ કરીને એમને આત્મસાત કરવી. હું મોરારીબાપુની એક વાત હંમેશા યાદ રાખું છું કે તમે જ્યારે સફળતાનાં બે પગથિયાં ચડશો ત્યારે નિંદાના દસ તીર તમારી સામે તાકવામાં આવશે જ.. હું મારી ટીકા કે નિંદાને પ્રોત્સાહક બળ તરીકે લઉ છું. લોકોની ફરિયાદ કે મારી ખામીઓ તરફ લોકોની ફરિયાદને હું ધ્યાનથી સાંભળું છું અને હતોત્સાહ થયા વગર એમાં સુધારો લાવવાની કોશિશ કરું છું, આમ, ટીકા એ મારે માટે બુસ્ટર ડોઝ જેવું છે. વળી, કલાકારોની હરીફાઈ, અંદરનું રાજકારણ એ બધા વચ્ચે મને મારા સિનિયર કલાકારોનો અઢળક પ્રેમ અને સ્વીકાર પણ મળ્યો જ છે, એ વાત હું કઈ રીતે ભૂલું! જીવનમાં એક તબક્કો એવો ય આવ્યો કે હું સદંતરપણે ગાવાનું જાણે કે વિસરી જ ગઈ..એ છ મહિના એવા રહ્યા કે મારા ગળામાંથી અવાજ જ ન નીકળે! હું તો સંપૂર્ણપણે માનતી થઈ ગઈ હતી કે હવે હું ક્યારેય ગાઈ નહિ શકું..તદ્દન નિરાશાનાં એ તબક્કામાં ભાઈ લક્ષ્મણબારોટે અને હેમંતભાઈ ચૌહાણે મને ખુબ જ હિંમત અને સાંત્વના આપ્યા. એ તબક્કામાંથી હું બહાર આવી હોઉં તો એનો બધો જ શ્રેય આ સહકલાકારોને જાય છે…!
(વધુ આવતા અંકે)

You Might Also Like

હવાઇ સફર, સૌથી સલામત સફર

આપણી જાતને ઓળખીએ

જેમને ખરેખર લોકોની સેવા કરવી છે તેમના માટે પણ સત્તા તો જરૂરી જ છે

જાકો રાખે સાંઈયા, માર સકે ન કોઈ..

હેપ્પી ફાધર્સ-ડે

TAGGED: lalitabenghodadara, SINGER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વડાપ્રધાન મોદી તા.27-28 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસ
Next Article રાજકોટનો મેળો : મેઘધનુષી માનવ મહેરામણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટનાં રેસકોર્સમાં સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રાર્થનાસભા શરૂ: આગેવાનો-કાર્યકર્તાઓ ઉમટ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
વિજયભાઇની અંતિમ સફરમાં પૂજારા ટેલિકોમના યોગેશ પૂજારા અને તેમની ટીમે જોડાઇ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
રાજકોટના જનનાયક વિજયભાઈને લોકોની અશ્રુભીની વિદાય, અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો
ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
બોટાદમાં ઇકો તણાતાં 5 લાપતા, અમરેલીમાં બેનાં મોત: બગડ નદીમાં ઘોડાપૂર, 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી
સોનાની બંગડી, બ્રેસલેટ, ચેઇન, સહિતનાં 4.5 લાખની રકમના દાગીના પરિવારજનોને સોંપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

હવાઇ સફર, સૌથી સલામત સફર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Shailesh Sagpariya

આપણી જાતને ઓળખીએ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Kinnar Acharya

જેમને ખરેખર લોકોની સેવા કરવી છે તેમના માટે પણ સત્તા તો જરૂરી જ છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?