ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં નાયબ જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જિલ્લા સાક્ષરતા મિશન સત્તા મંડળની કારોબારી સમિતિની મીટીંગ યોજાઇ હતી. આ મીટીંગમાં કુ.જલ્પાબેન ક્યાડાએ નવભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત નિરક્ષરોના ઉલ્લાસ એપ દ્વારા કરવામાં સર્વેની વિગતો આપી હતી. સમિતિના સભ્યો તરીકે સર્વેમાં મદદરૂપ થવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા બી.આર.સી.કો.ઓર્ડીનેટર દ્વારા ઉલ્લાસ એપમાં પ્રાથમિક શાળાના આચાર્યના યુઝર આઇ.ડી. બનાવી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સર્વે કામગીરી વધુ વેગવંતી બનાવવા ડી.આર.ડી.એ.ના ડાયરેક્ટરનો સંપર્ક કરી જઇખ, ગછકખ સખી મંડળ વગેરે પાસેથી નિરક્ષરોની યાદી મેળવી શકાય તેમજ સમાજ કલ્યાણ વિભાગમાંથી વિવિધ યોજનાનો લાભ મેળવનાર નિરક્ષરની વિગતો મેળવી શકાય તેમ જણાવાયું હતું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાંથી બી.કે.મેસીયા એ જી.સી.ઇ.આર. ટી. દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે તૈયાર કરેલ અગિયાર પ્રકારની ડિજિટલ ઇલિટરસીની વાત મૂકવામાં આવી જે શેરીનાટક, ચિત્ર સ્પર્ધા, જિંગલ વગેરે મટીરીયલ દ્વારા નિરક્ષરોને ડિજિટલ સાક્ષર બનાવવાની વાત મુકી હતી. જિલ્લા રોજગાર અધિકારીશ્રી પી.કે.ત્રિવેદીએ આ બાબતને જૂનાગઢ જિલ્લાના અમુક ગામને પસંદ કરી પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી શરૂ કરી 100% સાક્ષરતાની જૂનાગઢ જિલ્લાની સંકલ્પના અંગે જણાવ્યું હતું.
કલેક્ટરની અધ્યક્ષત્તામાં નવભારત સાક્ષરતા અભિયાન કમિટીની બેઠક યોજાઈ
