આગના બનાવને લઈને 50 હજાર કિલો મગફળી બળીને ખાક
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
સુરેન્દ્રનગરના થાનમાં હિટરનગરમાં આવેલા મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ ટેકાના ભાવે ખરીદેલી મગફળી ઋઈઈંના ગોડાઉનમાં રાખવામાં આવી હતી, જેમાં કોઈ કારણસર આગ ફાટી નીકળી. એક અંદાજ મુજબ ગોડાઉનમાં લાગેલી આગના કારણે 50 હજાર કિલોથી વધુ માત્રામાં મગફળી બળીને ખાક થઈ ગઈ છે. જેના કારણે કરોડોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. એકવાર આગ ઓલવાઈ ગયા બાદ ફરી પાછી આગ લાગી હતી અને વધુ ભભૂકી ઉઠી હોવાની પણ માહિતી મળી છે. આગ ઓલવવા માટે થાનગઢ અને ચોટીલા ફાયર બ્રિગેડની 10થી વધુ ફાયર ફાઈટરોએ કવાયત હાથ ધરી છે. આગ કયા કારણોથી લાગી તે અંગે હજુ માહિતી મળી શકી નથી.