વહેલી સવારે આગની ઘટનાને લીધે કોઈ જાનહાનિ નહીં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
વઢવાણ જીઆઇડીસી ખાતે આવેલી બાળકોની ખાધ સામગ્રી બનાવતી કંપનીમાં શનિવારે વહેલી સવારે આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં વઢવાણ જીઆઇડીસી ખાતે આવેલી મન ફૂડઝ નામની ખાધ સામગ્રી બનાવતી કંપનીમાં વહેલી સવારે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જ્યારે આગ લાગવાની ઘટના સામે આવતા જ સ્થાનિક ફાયર ટીમને જાણ કરી હતી જેથી ફોર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો આશરે પાંચથી છ કલાક જેટલા સમય સુધી સતત આગ પર પાણીનો મારો ચલાવ્યા બાદ અંતે આગ પર કાબુ મેળવતા હાશકારો અનુભવ્યો હતો આ તરફ વહેલી સવારે આગ લાગી હોવાથી કોઈ કર્મચારી અથવા મજૂરો કામ પર નહીં હોવાના લીધે જાનહાનિ ટળી હતી પરંતુ આગની ઝપેટમાં આવેલા કારખાનામાં મોટાભાગની સામગ્રી બળીને ખાક થઈ ચૂકી હતી.
- Advertisement -