એક માલગાડીએ કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી, અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે 20-25 લોકો ઘાયલ
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં સોમવારે સવારે લગભગ 9 વાગ્યે એક માલગાડીએ કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. પશ્ચિમ બંગાળ પોલીસના જણાવ્યા અનુસાર 5 લોકોના મોત થયા છે જ્યારે 25 થી 30 લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં પેસેન્જર ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. એકબીજા પર ચઢી ગયા. આ કોચમાંથી એક કોચ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે.
આ અકસ્માત પશ્ચિમ બંગાળના રંગપાની અને નિજબારી સ્ટેશન વચ્ચે થયો હતો. બચાવ કાર્ય માટે ડિઝાસ્ટર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘટનાસ્થળે રાહત ટ્રેન પણ મોકલવામાં આવી રહી છે. આ પછી જે તસવીરો સામે આવી છે, તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટક્કર બાદ માલગાડીનો કોચ બીજા કોચ પર ચડી ગયો હતો. બે બોગી એક બીજા પર ચડી ગઈ જ્યારે ત્રણ બોગી પાટા પરથી ઉતરી ગઈ. એકબીજા સાથે અથડાઈને ખરાબ રીતે ફસાઈ ગયેલા કોચને ગેસ કટરની મદદથી કાપવામાં આવી રહ્યા છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.
- Advertisement -
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શું કહ્યું ?
નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે (NFR) એ આ ઘટના પર એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, તેમને ન્યૂ જલપાઈગુડીના રંગપાનીમાં થયેલા અકસ્માતની માહિતી મળી છે. નિવેદન અનુસાર, એક માલગાડી સિયાલદહ જતી DN કાંચનજંગા એક્સપ્રેસ સાથે પાછળથી ટકરાઈ હતી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ દુર્ઘટના પર ટ્વીટ કર્યું અને લખ્યું, NFR ઝોનમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. રેલવે, NDRF અને SDRF સાથે મળીને કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
ઈમરજન્સી મેડિકલ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. 5-6 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ભારે વરસાદ વચ્ચે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી ચાલી રહી છે. કંચનજંગા એક્સપ્રેસ ન્યૂ જલપાઈગુડી સ્ટેશનથી સિયાલદહ માટે રવાના થઈ તેના તરત બાદ આ અથડામણ થઈ હતી. કંચનજંગા એક્સપ્રેસ અગરતલાથી કોલકાતાના સિયાલદહ જઈ રહી હતી. સિયાલદહ સ્ટેશન પર ઈમરજન્સી હેલ્પ ડેસ્ક ખોલવામાં આવ્યું છે.
- Advertisement -
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું છે કે, ડૉક્ટરો અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે, તેમણે ટ્વિટ કર્યું, “દાર્જિલિંગ જિલ્લાના ફણસીડેવા વિસ્તારમાં એક દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે જાણીને આઘાત લાગ્યો. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ડીએમ, એસપી, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર ટીમને બચાવ અને તબીબી સહાય માટે સ્થળ પર મોકલવામાં આવી છે.