- 8 લાખ સામે 13.48 લાખ વસૂલયા છતાં વધુ વ્યાજ માંગી ધમકી આપતા
- નાછૂટકે વેપારીએ ત્રાસથી કંટાળી હિજરત કરવાની જરૂર પડી હતી
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યભરમાં હજુપણ વ્યાજખોરીની દૂષણ દૂર થયું નથી રાજકોટ જિલ્લાના જસદણમાં રહેતા કપડાના વેપારીએ રાજકોટ, જસદણ અને કોટડાપીઠાના ચાર વ્યાજખોરો સામે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જસદણના લાતી પ્લોટમાં રહેતાં અને આદમજી રોડ પર આઇ મોગલ સેલ્સ નામની કપડાની દુકાન ચલાવતા દિલીપભાઈ જેન્તીભાઈ વાઘેલાએ અશોક ઉનડ ધાધલ (રહે. જસદણ), શિવકુ વીરા ખાચર (રહે. રાજકોટ), ગૌતમ બોરીચા(રહે. કોટડાપીઠા) અને વાલા ભરવાડ (રહે. પોલારપર, જસદણ) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કપડાની દુકાન ચલાવી પરીવારનું ગુજરાન ચલાવે છે.
- Advertisement -
તેઓએ જસદણમાં ચાલુ કરેલ જેમાં સામાન ખરીદવાનો હોઇ જેથી બે વર્ષ પહેલા અશોક ધાધલને વાત કરતાં તેઓએ કહેલ કે, પૈસા તને મળી જાય પણ 8 ટકા વ્યાજ થાય તેમને હા પાડેલ અને રૂ.2 લાખ તેના ઘરે આપેલ હતાં. ત્યાર બાદ 2 વર્ષ સુધી રૂ. 16 હજાર લેખે કુલ રૂ.3.84 લાખ વ્યાજ ચુકવેલ હતું.આરોપીને દર મહીને વ્યાજ ચુકવતા હોય જેથી પૈસાની જરૂરીયાત ઉભી થતા બે વર્ષ પહેલા વ્યાજનો ધંધો કરતાં રાજકોટના શીવકુ ખાચરને પૈસા બાબતની વાત કરતાં તેઓએ દર મહીને 10 ટકા વ્યાજ થાય તેવુ કહેલ જેથી તેમની પાસેથી રૂ.2 લાખ 10% બાજે લીધેલ હતા અને તેના બદલામાં ફરિયાદીનો પત્નીના પાંચ સહી વાળા રકમ ભર્યા વગ2ના ચેક લીધેલ હતા.
ત્યારબાદ બે વર્ષ સુધી રૂ.20 હજાર લેખે કુલ રૂ.4.80 લાખ વ્યાજ ચુકવેલ હતુ બાદમાં વ્યાજખોરોને વ્યાજ ચુકવવા માટે વધારે પૈસાની જરૂરીયાત થતા તેઓની કપડાની દુકાને આવતા ગ્રાહક અને વ્યાજનો ધંધો કરતા ગૌતમ બોરીચાને વ્યાજે પૈસા જોઇએ છે તેવુ કહેતા દર મહીને 8 ટકા વ્યાજે રૂ.2 લાખ લીધેલ હતા. ત્યાર બાદ 2 વર્ષ સુધી રૂ.16,000 લેખે કુલ રૂ.3.84 લાખ વ્યાજ ચુકવેલ હતુ.
બાદમાં ત્રણેયને વ્યાજ ચૂકવવા વધું રૂપિયાની જરૂરિયાત પડતાં વાલા ભરવાડને કહેતાં તેઓએ રૂ.2.50 લાખના 90 દિવસમાં રૂ.4 લાખ ચૂકવવાનું કહેતાં તેમની પાસેથી રૂ.2.50 લાખ લીધાં હતાં. તેના બદલામાં ત્રણ કોરા ચેક લીધેલ હતાં.ત્યારબાદ ત્રણ મહિનામાં રૂ.1 લાખ ચુકવેલ હતા.
- Advertisement -
બાદમાં શિવકુ અને વાળા પાસે પોતે આપેલ ચેક પરત માંગતા તેઓએ વધુ વ્યાજની માંગણી કરી ફરિયાદીએ આપેલ સહી વાળા ચેકોમાં મોટી રકમો નાખી ચેક રીટર્ન કરાવી ફરીયાદ કરવાની ધમકી આપી હતી આરોપીને વ્યાજ તેમજ મૂળ રકમ ચૂકવી દિધેલ હોવા છતાં છ મહિનાથી વધું રૂપિયા કઢાવવા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતાં હતાં. જે ત્રાસથી કંટાળી તેઓએ ચારેક મહિના પહેલા ફોન બંધ કરી દિધેલ હતો.
આરોપીઓ તેમની પત્ની અને પુત્રના ફોનમાં ફોન કરી વ્યાજની ઉઘરાણી કરતા અને ગાળો આપતા હતા બે મહિના પહેલા ગૌતમે નવા બસ સ્ટેન્ડ પાસે બોલાવી ઢીકાપાટુનો મુંઢ માર મારેલ હતો આરોપીઓ માથાભારે હોવાથી પરીવાર સાથે જસદણ હિજરત કરી ગયા હતાં અને અંતે ફરીયાદ નોંધાવતા ગુનો નોંધી પીઆઈ ટી.બી.જાની અને ટીમે તપાસ હાથ ધરી હતી.