જયશંકરે તાલિબાન સાથે વાત કરી, પહેલગામ પર તેના સમર્થનનું સ્વાગત કર્યું અને પાકિસ્તાનને ઠપકો આપ્યો
તાલિબાનના કબજા પછી જયશંકરની વાતચીત અફઘાન લોકો સાથે પહેલીવાર થઈ રહી છે
- Advertisement -
નવી દિલ્હીએ કાબુલ દ્વારા અવિશ્વાસ પેદા કરવાના પ્રયાસોને નકારવાનું સ્વાગત કર્યું
જયશંકરે પહેલગામ આતંકી હુમલાની નિંદા કરવા બદલ તાલિબાનનો આભાર માન્યો
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને ભારતે હજી સત્તાવાર સ્વીકૃતિ આપી નથી. તેમ છતાં, તાલિબાન સરકારે તા. ૨૨મી એપ્રિલે, જમ્મુ અને કાશ્મીરનાં સહેલામી મથક પહેલગાવમાં પાકિસ્તાન સાથે જોડાયેલા ત્રાસવાદીઓએ ૨૬ નિર્દોષ સહેલાણીઓની કરેલી નૃશંસ હત્યાને સખત અને કઠોર શબ્દોમાં વખોડી કાઢી છે. આથી ભારતના વિદેશ મંત્રી સુબ્રમન્યમ જયશંકરે તાલિબાન સરકારના વિદેશ મંત્રી આમીરખાન મુત્તાકીને ફોન કરી તેઓનો અને તેમની સરકારનો તથા સમગ્ર અફઘાન પ્રજાનો આભાર માન્યો હતો.
- Advertisement -
તાલિબાન મંત્રી સાથેની “સારી વાતચીત” ગણાવતા, જયશંકરે X પર એમ પણ લખ્યું, “પહલગામ આતંકવાદી હુમલાની તેમની નિંદાની હું ખૂબ પ્રશંસા કરું છું”.
તેમણે ઉમેર્યું કે ચર્ચા દરમિયાન, તેમણે “અફઘાન લોકો સાથેની આપણી (ભારતની) પરંપરાગત મિત્રતા અને તેમની વિકાસ જરૂરિયાતો માટે સતત સમર્થન પર ભાર મૂક્યો. સહયોગને આગળ વધારવાના માર્ગો અને માધ્યમોની ચર્ચા કરી”.
કાબુલ શાસન દ્વારા નિંદા કરાયેલી પહેલગામ આતંકવાદી હુમલા પછી થયેલા ઓપરેશન સિંદૂરના પગલે ભારત અને પાકિસ્તાન લશ્કરી હુમલાઓ રોકવા સંમત થયાના થોડા દિવસો પછી જ આ વાતચીત થઈ છે. પહેલગામ હુમલા બાદ, ભારતના ખાસ દૂત, જે વિદેશ મંત્રાલયમાં અફઘાનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાન વિભાગના ડિરેક્ટર જનરલ હતા, તેમણે તાલિબાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીને મળવા માટે કાબુલની યાત્રા કરી. તેમની ચર્ચા દ્વિપક્ષીય રાજકીય સંબંધોને મજબૂત બનાવવા, વેપાર અને પરિવહન સહયોગ વધારવા અને તાજેતરના પ્રાદેશિક વિકાસ પર વિચારોનું આદાનપ્રદાન કરવા પર કેન્દ્રિત હતી.
આ તબક્કે તે ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં દુષ્કાળને લીધે અનાજની અસામાન્ય તંગી ઊભી થઈ ત્યારે ભારતે 5000 મેટ્રિક ટન ઘઉં મોકલ્યા હતા. પછી તેટલા જ પ્રમાણમાં ચોખા પણ મોકલ્યા હતા. તે પણ કોઈ શુલ્ક સિવાય (સહાય તરીકે) તેથી તાલિબાન સરકાર ઘણી જ આભારવશ બની હતી. બીજી તરફ પાકિસ્તાન સાથે તેને સરહદી વિવાદ ચાલે છે. પૂર્વેનાં અખંડ ભારત ઉપર બ્રિટિશ શાસન હતું ત્યારે ૧૯મી સદીના અંતમાં બ્રિટિશ-ઇંડીયા અને અફઘાનિસ્તાનની સરહદો જુદી પાડતી રેખા બ્રિટિશ ઇજનેર કુરાંડે દોરી હતી. જે ભારતના ભાગલા થયા પછી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદી રેખા બની રહી. પરંતુ તાલિબાનો તે સ્વીકારવા તૈયાર નથી. તેથી પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે ભારે વૈમનસ્ય ઉભું થયું છે.