નબળા આર્થિક સ્તરના નાગરિક માટે કેન્સરના ઉપચારનું કેન્દ્ર બનશે: અમિત શાહ
હિન્દુ આધ્યાત્મિક મેળાનો પ્રારંભ કરાવતા ગૃહ મંત્રી અમિત શાહ
ધર્મની રક્ષા કરવા અધર્મ કહેવાય એવું કાર્ય કરવું પડે છે, કોઈ નેતા નહીં ભારત વિશ્ર્વ ગુરુ બનશે: છજજના ભૈયાજી જોશી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
ઉત્તરાયણ સમયે ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા બાદ અમિત શાહ ફરી ગુજરાતમાં છે. આજે (23 જાન્યુઆરી) અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને ખુલ્લો મૂક્યો હતો. જ્યાં તેમણે કહ્યું હતું કે, હિન્દુ બોલવું મનમાં હોય તો પણ મનમાં રાખતા હતા જીભ સુધી નહોતું આવતું, હવે ગર્વથી કહી શકીએ છે. તો બીજી બાજુ છજજના સર કાર્યવાહ ભૈયાજી જોશીએ કહ્યું કે, ધર્મની વાત આવે ત્યારે સત્ય અને ન્યાયની વાત છે. ધર્મની રક્ષા કરવા અધર્મ કહેવાય એવું પણ કરવું પડે છે .આ પ્રેરણા દેવાનો કાર્યક્રમ છે. ભારત અલગ વિચારોનો દેશ છે. કોઈ નેતા નહિ પરંતુ ભારત વિશ્વ ગુરુ બનશે.
હિન્દુ આધ્યાત્મિક મેળાનો પ્રારંભ કરાવ્યા બાદ ગૃહ મંત્રી અમિત શાહે સુરતમાં ડુમસ રોડ પર આવેલી મહાવીર હોસ્પિટલમાં નવનિર્મિત સેનેટોરિયમના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમ બાદ ફરી અમિત શાહ અમદાવાદ આવશે અને આજના કાર્યક્રમોમાં હાજરી સાથે રાણીપમાં એક જાહેરસભાને પણ સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘણા વર્ષોથી મેં કામ કર્યું છે. ગુજરાતમાં અને દેશમાં એમની સાથે કામ કર્યું છે. તેમણે ઘણા બધા મહત્વના નિર્ણય લીધા છે, પરંતુ તે સૌ કોઈ નિર્ણયની વચ્ચે સૌથી મહત્વનો જો કોઇ નિર્ણય હોય તો મારા મતે આયુષ્યમાન કાર્ડ યોજના છે જેનાથી લોકોને સૌથી વધારે લાભ થયો છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રૂપિયા 10 લાખની સહાય આયુષ્યમાન કાર્ડ હેઠળ મળી રહી છે.
આજે આર્થિક સંકળામણના કારણે કોઇપણ વ્યક્તિનું મોત ન થાય તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સુરતે સમગ્ર દેશમાં છેલ્લા છ વર્ષથી આટલી વધતી જતી વસ્તી છતાં સ્વચ્છતાનો રેકોર્ડ હંમેશા સુરતે જાળવી રાખ્યો છે. અને હવે સુરત સ્વાસ્થ્યના કેન્દ્ર માટે પણ સમગ્ર દેશમાં જાણીતુ બન્યું છે.
- Advertisement -
કેટલીક નવી હોસ્પિટલો, સરકારી હોસ્પિટલો અને એમાં આજે બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલનું એક નવું છોબું સુરતવાળાઓને આપવાનું કામ રૂપાબેન અને ટ્રસ્ટીઓએ કર્યું છે. લગભગ 250 કરોડના ખર્ચે 2 લાખ 75 હજાર સ્ક્વેર ફૂટની અંદર 13 માળનું અને 110 બેડની સુવિધાઓની આ હોસ્પિટલ આવનારા દિવસોમાં નબળામાં નબળા આર્થિક સ્તરના નાગરિક માટે કેન્સરના ઉપચારનું કેન્દ્ર બનશે એનો મને પુરો વિશ્વાસ છે.અહિંસા માટે હિંસાનો માર્ગ પણ લેવો પડે છે. આજે અનેક સંતો છે કે ભૂમિની રક્ષા અજ્ઞાત રહીને કરી રહ્યાં છે. શાંતિનો માર્ગ સમન્વયથી જાય છે. દરેક સંપ્રદાય પોતાની વાત પર ચાલે છે. જે દુનિયાને સાથે લઇને ચાલે છે તે ભારત સિવાય કોઈ દેશ નથી. વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે ચાલીએ છીએ. હિન્દુ માને છે કે, દેહ જવાનો છે પરંતુ આત્મા અમર છે. જેને સાક્ષી રાખીને કામ કરવાનું છે. આપણને આ જ જન્મભૂમિમાં ફરી જન્મ મળે એ વિચારધારા સાથે લઈને ચાલવાવાળો હિન્દુ છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, અમૃત પુત્ર ક્યારેય સમાપ્ત થતો નથી. ન્યાય, સેવા, સહયોગ આપણા જીવનનું મૂલ્ય છે. ગુજરાતમાં પક્ષીઓને દાણા નાખવાની પણ જગ્યા હોય છે. આપણા લોહીમાં સંસ્કાર છે.
સેવા કરનારી સંસ્થાઓ હિંદુ ધર્મની શક્તિ છે. દેશના અલગ અલગ સ્થાનો પર હિન્દુ મેળા યોજાય છે, આ પ્રેરણા દેવાનો કાર્યક્રમ છે. ભારત અલગ વિચારોનો દેશ છે. કોઈ નેતા નહિ પરંતુ ભારત વિશ્વ ગુરુ બનશે.છજજના સર કાર્યવાહ સુરેશ ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે, ભારત પુણ્ય ભૂમિ છે, સંતોની અને ત્યાગ તેમજ સમર્પણની ભૂમિ છે.આપણે સ્વતંત્ર દેશમાં જન્મ લીધો છે. સંતો મહંતો હાજર છે ત્યારે આપણે પરિવર્તનનો મુક પ્રેક્ષક ના બનીએ. સેવા કરવાવાળા સૈનિક હોય છે. આજે 1 કરોડ આસપાસ લોકો અન્નદાન કરે છે અને પુણ્ય કમાય છે. સંતોના માર્ગદર્શનથી ઘણું બધું થઇ રહ્યું છે. હિંદુ એટલે ધર્મ અને વિચાર છે, જીવનશૈલી અને મૂલ્ય તેમજ સેવા છે. ધર્મની વાત કરીએ ત્યારે માનવતા છે જેને કર્તવ્ય સાથે જોડવામાં આવે છે. ધર્મની વાત આવે ત્યારે સત્ય અને ન્યાયની વાત છે. ધર્મની રક્ષા કરવા અધર્મ કહેવાય એવું પણ કરવું પડે છે .