જૂનાગઢ શિવરાત્રી મેળામાં સનાતન ધર્મ માટે સાધુ-સંતોની મહારેલી યોજી: ભવનાથ સુધીની રેલીમાં હજારો લોકો જોડાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહા શિવરાત્રીનો મેળો આવતીકાલ મહા વદ નોમથી શરુ થવાનો છે ત્યારે મેળાના એક દિવસ પૂર્વે સ્થાનિક સાધુ-સંતો તથા સામાજિક સંસ્થા અને આગેવાનો સાથે એક વિશાળ રેલી દામોદર કુંડથી ભવનાથ તળેટી ક્ષેત્રમાં આવેલ જુના અખાડા, આહવાન અખાડા અને પંચ અગ્નિ અખાડા ખાતે સાધુ-સંતોએ લેખિત પત્ર લખીને રજૂઆત કરી હતી જેમાં આ વર્ષના શિવરાત્રી મેળામાં બિન હિન્દૂની બગી તેમજ બેન્ડ સાથે એક પણ સ્ટોલ નહિ ફાળવવા નહિ તેમજ ભવનાથ વેજ જોન જાહેર કરવાની માંગ તમામ આગેવાનો ધારદાર રજૂઆત કરી હતી તેની સાથે મેળામાં સનાતન ધર્મ સંરક્ષણ મુદ્દે મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મ માટેની અમારી લડાઈ છે તેમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહિ અને સ્થાનિક સંતોનું સન્માન થવું જોઈએ અને નિર્ણયો પણ સ્થાનિક સંતોના હોવા જોઈએ આવી અનેક મુદ્દે રેલી યોજાય હતી અને એક આવેદન પત્ર કલેકટરને પણ આપવામાં આવ્યું હતું. જૂનાગઢ શ્રી ગિરનાર છાંયા મંડળની એક રચના કરવામાં આવી છે ત્યારે ગઇકાલે યોજાયેલ સાધુ-સંતોની રેલીમાં તમામ સામાજીક સંસ્થા અને આગેવાનો દ્વારા સનાતન પ્રસ્તાવ સાથે રજૂઆતો કરવામાં આવી હતી.
જેમાં શિવરાત્રી મેળા સંદર્ભે વસ્ત્રાપથેશ્ર્વર ક્ષેત્રમાં વિશ્ર્વ પ્રસિઘ્ધ મહાશિવરાત્રીનો મેળો યોજાઇ છે આ મેળો સનાતની પરંપરાથી ઉજવાય છે જેમાં લાખો સનાતની ભકતોની આસ્થા જોડાયેલ છે જે મહાશિવરાત્રીના મેળાને શોભાયમાન કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત રીતે ચાલા મહાશિવરાત્રીના મેળામાં વિધર્મી લોકોની ઘુસણખોરી વધી રહી છે જેઓ મેળામાં ધંધા વ્યવસાય અર્થે આવે છે અને સનાની હિંન્દુ સમાજની બહેન, દીકરીઓ સાથે અભદ્ર વર્તન કરતા હોય છે તેમજ ફોન નંબરની આપપલે થાય છે અને લવ જેહાદ જેવા કિસ્સાઓ બહાર આવે છે.
તો આવા વિધર્મી લોકોને મહાશિવરાત્રીના મેળામાં સ્ટોલ, રેકડી કે બીજા કોઇ ધંધા વ્યવસાય અર્થે મેળામાં પ્રવેશ ન આપવો તેવી સ્થાનિક સંતો અને સનાતની જનતાની હાર્દિક વિનંતી કરી હતી. જયારે મહાશિવરાત્રી મેળામાં બગી બેંડ તેમજ સ્ટોલ મુદ્દે ગિરનાર છાંયા મંડળના તમામ સાધુ-સંતો તેમજ સામાજીક સંસ્થાના આગેવાનો દ્વારા સનાતન ધર્મ માટે લડી લેવાના મુડમાં છે ત્યારે આ વર્ષે મહાશિવરાત્રી મેળામાં બિન હિન્દુને પ્રવેશ નહીં એવા નિર્ણય સાથે મકકમ છે તે વાતને લઇને ત્રણ વરિષ્ઠ અખાડાના સંતોને રજૂઆત કરીને શિવરાત્રી મેળામાં સનાતની ધર્મની ધજા ફરકે તેવી પ્રબળ માંગણી સાથે વરિષ્ઠ સંતો અને કલેકટરને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે.