રાજેશ ચુડાસમાનો 1.34 લાખ વધુ મતોથી ભવ્ય વિજય
જૂનાગઢ, ગિર સોમનાથના મતદારોએ ભાજપ પર વિશ્ર્વાસ મુક્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
13 જૂનાગઢ લોકસભા ચૂંટણી રસાકસી ભર્યા વાતાવરણમાં યોજાય હતી આ લોકસભા બેઠકની મતગણતરી કૃષિ યુનિવર્સીટીના ઈંજનેરી કોલેજ ખાતે કરવામાં આવી જેમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની ભવ્ય વિજય હેટ્રિક સાથે વિજય થયો મત ગણતરીના 21 રાઉન્ડ સમયે 1.43 લાખના વધુ મતે ભવ્ય વિજય થયો ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથના મતદારો ફરી ભાજપ પર વિશ્વાસ મૂકીને રાજેશ ચુડાસમાને વિજય થયો હતો આમ જૂનાગઢ લોકસભા બેઠક ફરી ભાજપે જાળવી રાખી છે.ત્યારે રાજેશ ચુડાસમાએ બંને જિલ્લના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ લોકસભા બેઠક પર મુખ્ય હરીફ પક્ષ ભાજપ – કોંગ્રેસ વચ્ચે જંગ જોવા મળ્યો હતો ત્યારે બંને પક્ષે ચૂંટણી જીતવા એડી ચોંટીનું જોર લગાવી દીધું હતું અને બંને પક્ષે જીતના દાવા કર્યા હતા આજે લોકસભા સીટનું પરીણામ સામે આવતા ભાજપના રાજેશ ચુડાસમાઈ વિજય હેટ્રિક થઇ હતી જેમાં ગત 2019 માં દોઢ લાખ મત થી વિજય થયો ત્યારે 2024માં તેની સરખામણી જેટલાજ મત સાથે ભાજપના રાજેશ ચુડાસમાને 5,78,516 જેટલા મત મળતા વિજેતા થયા હતા ત્યારે કોંગ્રેસના હીરાભાઈ જોટવાને 4,44,156 જેટલા મત મળ્યા હતા આમ રાજેશ ચુડાસમા 1.34 લાખ જેટલા મતે વિજય બનતા ભાજપ આગેવાનો કાર્યકરો માં ખુશી જોવા મળી આમ જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ 11 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા જેમાં નોટામાં 13434 જેટલા મતો પડ્યા હજુ છેલ્લે સુધીના ફાયનલ આંકડા બાકી છે.
ભવ્ય જીત બાદ રાજેશ ચુડાસમાની પ્રતિક્રિયા
જૂનાગઢ લોકસભા બેઠક ભાજપના રાજેશ ચુડાસમા 1,34 લાખ જેટલા મતોથી ભવ્ય વિજય થતા તેને મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના મતદારોએ ફરી મારી ઉપર વિશ્વાસ મુક્યો છે તેની સાથે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અને ગુજરાત સાથે જૂનાગઢમાં થયેલ વિકાસ કાર્યો થકી લોકોએ ભાજપ વિશ્વાસ મુક્યો તે બદલ હું મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને હજુ બંને જિલ્લાના જે વિકાસ કાર્યો અધુરા છે.તેવા વિકાસ કાર્યો વેહલી તકે પૂર્ણ કરવાની નેમ સાથે આગળ વધીશ અને સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પોહચે તેવા મારા પ્રયાસો હશે તેમ જણાવી આગેવાનો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
માણાવદર વિધાનસભા બેઠક પર અરવિંદ લાડાણીનો વિજય
જૂનાગઢ લોકસભા બેઠક સાથે માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાય હતી જેમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલ અરવિંદ લાડાણીને ટિકિટ આપીને ચૂંટણી જંગમાં ઉતારતા આજે તેનું પરિણામ ભાજપ તરફી આવ્યું હતું અને અરવિંદ લાડાણી 31 હજાર થી વધુ મતે વિજેતા બન્યા હતા આમ ફરી માણાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે અરવિંદ લાડાણી જીત થતા કાર્યકરો અને આગેવાનોમાં ખુશી જોવા મળી હતી
- Advertisement -