અથાગ પ્રયત્ન બાદ પણ કર્મકાંડી બ્રાહ્મણનું કામ કરતા 70 વર્ષીય વૃદ્ધ દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યુ થતા ડો.પ્રતાપસિંહે પરિવારજનોને કહ્યું “મારે એક પણ રૂપિયો નથી જોઈતો, જે ઇલાજમાં મને સંતોષ ન મળે તે દર્દીનું બિલ હું ન લઈ શકું”
પેટની ગાંઠની બાયોપ્સી કરવા વૃદ્ધ દર્દીને ઍનેસ્થેસીયા અપાયું,બાદમાં લો બીપી થઈ જતા વેન્ટીલેટર પર રખાયા, પરંતુ કમનસીબે દર્દીનું હ્રદય બંધ થયું
- Advertisement -
ખાનગી હોસ્પિટલ એટલે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે “કતલખાના” સમાન ….ખાનગી હોસ્પિટલની આ છાપને તદ્દન ખોટી સાબિત કરી છે જીનેસિસ હોસ્પિટલના ડો.પ્રતાપસિંહ ડોડીયાએ. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લાના કોઈલી ગામના રહેવાસી અને કર્મકાંડી બ્રાહ્મણ નું કામ કરતા 70 વર્ષીય બ્રાહ્મણ વૃદ્ધ ને પેટમાં પાણી ભરાવાની તકલીફ હતી. જીનેસિસ હોસ્પિટલમાં ડો.પ્રતાપસિંહ ડોડીયાએ દર્દીને તપાસી પ્રાથમિક નિદાન કરતા જણાવ્યું હતું કે પેટમાં ગાંઠ હોઈ તેવું જણાઈ આવે છે અને બાયોપ્સી કર્યા બાદ સેની ગાંઠ છે તે ખ્યાલ આવી શકે.પરિવારજનોની મંજૂરી બાદ દર્દીને હોસ્પિટલમાં એડમીટ કરાયા .એનેસ્થેસીયા અપાયો અને પેટમાં રહેલ ગાંઠ ની બાયોપ્સી માટે દુરબીન પેટમાં ઉતરતા ની સાથેજ ડોક્ટર્સ પણ ચોંકી ઉઠ્યા.માત્ર પેટમાં જ નહીં પરંતુ કિડની – લીવર સહિતના ભાગોમાં નાની અને મોટી એવી અસંખ્ય ગાંઠો દર્દીના પેટમાં હતી.ડોક્ટરે ગાંઠનો ટુકડો લઈને બાયોપ્સી માટે મોકલી આપ્યો પરંતુ થોડી જ કલાકોમાં લો બીપી થતા થોડાજ સમયમાં દર્દીનું હૃદય બંધ થયું .સી.પી.આર આપતા ફરીથી હૃદય ધબકતું થયું પરંતુ ફરીથી થોડી જ કલાકોમાં હૃદયના ધબકારા બંધ થયા અને દર્દીનું મૃત્યુ થયું. આ સમગ્ર ઈલાજમાં દર્દીને એક પિતાના રૂપમાં ટ્રીટમેન્ટ આપનાર ડોક્ટર પ્રતાપસિંહ ડોડીયાનું હૃદય દ્રવી ઉઠ્યું અને પરિવારજનોને બોલાવી દર્દીને તેઓ બચાવી ન શક્યા એ બદલ “દિલગીરી” પણ વ્યક્ત કરી.
અને જ્યારે બીલિંગ કાઉન્ટરેથી જવાબ મળ્યો ..” તમારે એક પણ રૂપિયો આપવાનો નથી ..”
બ્રાહ્મણ વૃદ્ધના પાર્થિવ દેહને હોસ્પિટલમાંથી ઘેર લઈ જવાનો હતો ત્યારે પરિવારજનો બિલ ની પ્રક્રિયા માટે કાઉન્ટરે ગયા. કાઉન્ટરેથી પરિવારજનોને જવાબ મળ્યો કે હવે તમારે એક પણ રૂપિયો આપવાનો નથી.બિલ લેવાની ડો.પ્રતાપસિંહે ના પાડેલ છે.આ શબ્દો સાંભળતા જ તુર્તજ દર્દીના પરિવારજનો ડોક્ટર પાસે ગયા..ડો.પ્રતાપસિંહ ડોડીયાએ કહ્યું હું ક્ષત્રિય છું અને દર્દી કર્મકાંડી બ્રાહ્મણ હતા.”જે દર્દીના નિદાનમાં મને સંતોષ ન મળે તેના રૂપિયા મારે નથી જોઈતા”.ડોક્ટરના આ શબ્દો સાંભળતાની સાથેજ પરિવારજનોની આંખ ભરાઈ આવી હતી અને ડોક્ટર ડોડીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.ઉલ્લેખનીય છે કે વેન્ટિલેટર પર જ્યારે દર્દી હોઈ ત્યારે દર્દીના સગાને ભગવાન પર અને ડોક્ટર્સ પર આશા હોઈ છે.ત્યારે દર્દીનું મૃત્યુ થયા બાદ પણ બિલ ચૂકવા સમયે પરિવાર પર આભ ફાટતું હોઈ છે.પરંતુ ડો.પ્રતાપસિંહ ડોડીયાની કામગીરી જોતા તેમ લાગે કે આજે પણ માનવતા જીવંત છે.