આ મહોત્સવમાં મહાયજ્ઞ, મહાપ્રસાદ અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
સમસ્ત હરિપળ ગામ દ્વારા તા. 29-1-2024 સોમવારના રોજ જય વેલનાથ ધામનો ચોથો વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય પ્રસંગે સવારે 7 કલાકે યજ્ઞનો પ્રારંભ, સવારે 7-30 કલાક ધ્વજારોહણ, બપોરે 1-00 કલાકે બીડું હોમવાનું સાંજે 4 કલાકે સંતો મહંતોના સામૈયા-મહેમાનોનું સ્વાગત, સાંજે 4-30 કલાકે ધ્વજારોહણ, સાંજે 6 કલાકે મહાપ્રસાદ, સાંજે 6-30 કલાકે લોકગીત તેમજ બહેનો માટે રાસોત્સવ અને રાત્રે 8-30 કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભવ્ય લોકડાયરામાં ખીમજીભાઈ ભરવાડ, સોનલબેન ઠાકોર, પાયલબેન પટેલ, ગોપાલભાઈ સુરેલા તેમજ અન્ય નામાંકિત કલાકારો પોતાની કલા રજૂ કરશે. આ પાવન અવસરે વિવિધ સમાજના ધાર્મિક જગ્યાના સંતો-મહંતો તેમજ તમામ સમાજના સામાજિક આગેવાનો, રાજકીય મહાનુભાવો, બિલ્ડરો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ડોકટરો, વકીલો, ઉચ્ચ કક્ષાના સરકારી કર્મચારીઓ વગેરે નામાંકિત મોભીઓ ઉપસ્થિત રહેશે.
આ મહોત્સવમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજવરા, ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડીયા, રાજકોટ જિલ્લા પંચાયત સભ્ય નયનાબેન બી. બાળોન્દ્રા, કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજા, માંધાતા ગ્રુપના યુવા અધ્યક્ષ હિરેનભાઈ ડાભી, આહીર સમાજ અગ્રણી મેણંદભાઈ ખીમાણીયા, રાજકોટ જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ હીતેષભાઈ ઠાકોર, લોધીકા તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ માલકીયા મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહેશે.
આ મહોત્સવના મહાપ્રસાદના મુખ્ય દાતા દિપકભાઈ ભનુભાી બાબરીયા, જય વેલનાથ યુવા મંચના અધ્યક્ષ દેવભાઈ વિનોદભાઈ કોરડીયા દ્વારા રૂા. 1,21,000 ઠાકોર મંડપ સર્વિસના સંજયભાઈ નાથાભાઈ માનસુરીયા તેમજ દીપકભાઈ નાથાભાઈ માનસુરીયા મુખ્ય મંડપના દાતા, ચુંવાળીયા કોળી સમાજના ધર્મેશભાઈ મોહનભાઈ જંજવાડીયા દ્વારા રૂા. 51000 તેમજ સીતાપરા પરિવારના બચુભાઈ નરસીભાઈ સીતાપરા દ્વારા રૂા. 51000 દાનમાં આપવામાં આવેલ છે.