દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ-2024માં વડાપ્રધાનનું સંબોધન
લોકોનાં જીવનમાં સરકારની દખલ ઓછી હોવી જોઈએ, એ સુનિશ્ર્ચિત કરવાનું કામ સરકાનું: વડાપ્રધાન
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઞઅઊની બે દિવસીય મુલાકાતે છે. તેઓ આજે સાંજે અબુધાબીમાં 27 એકરમાં ફેલાયેલા પ્રથમ હિન્દુ મંદિરનું લોકાર્પણ કરશે.
આજે દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ-2024માં સંબોધન કરતાં મોદીએ કહ્યું- વિકાસશીલ વિશ્ર્વની ચિંતાઓને દૂર કરતી વખતે આપણે ગ્લોબલ સાઉથને પ્રાથમિકતા આપવી પડશે. તેમનો અવાજ સાંભળવો જરૂરી છે. આપણે જરૂરિયાતમંદ દેશોને મદદ કરવી પડશે. આપણે આપણા દેશની સાર્વભૌમત્વ જાળવી રાખીને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવું પડશે. અઈં, ક્રિપ્ટોકરન્સી, સાયબર ક્રાઈમના પડકારોનો સામનો કરવા માટે આપણે વૈશ્ર્વિક પ્રોટોટાઈપ બનાવવા પડશે.
મોદીએ કહ્યું- ભારતમાં ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ છે. સબકા સાથ સબકા વિકાસના મંત્ર પર કામ થઈ રહ્યું છે. દરેકને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે ફોકસ કરવામાં આવી રહ્યું છે. આમાં કોઈ ભેદભાવ કે ભ્રષ્ટાચાર ન હોવો જોઈએ.
- Advertisement -
અમે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા. જ્યારે સરકાર પારદર્શિતાને પ્રાધાન્ય આપે છે, ત્યારે તે હકારાત્મક પરિણામો આપે છે. આજે ભારતના લોકો પાસે ડિજિટલ ઓળખ છે. ભારતીયોના મોબાઈલ ફોન તેમની બેંકિંગ સાથે જોડાયેલા છે.
Addressing the @WorldGovSummit in Dubai. https://t.co/LbnkRo2sbO
— Narendra Modi (@narendramodi) February 14, 2024
- Advertisement -