ઘઉંના 406 કટ્ટા અને કન્ટેનર સહિત રૂ.15.83 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો
ગિર સોમનાથમાં અનાજ માફિયાઓ ઉપર કલેકટરનો સપાટો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.29
પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા. 27 નાં રોજ ખાનગી બાતમીદાર દ્વારા જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ ડી જાડેજાને સરકારી અનાજનો મોટો જથ્થો ગેરવલ્લે થતો હોવાની બાતમી મળતા તેઓના હેઠળ સીધા માર્ગદર્શન જિલ્લા પુરવઠા અધિકારી, ગીર સોમનાથ અને મામલતદાર સુત્રાપાડા ની ટીમ લોઢવા- કોડીનાર રોડ પર 66 સદ સબ સ્ટેશન પાસે મહેશ અરજણ ભોળા ની વાડીમા આવેલ ગોડાઉન પર ત્રાટકી હતી. જીલ્લા પુરવઠા ટીમને સ્થળ પર ૠઉં 14 ડ 8423 નંબર ના ક્ધટેનર (ટ્રક) માથી અનઅધિકૃત રીતે સંગ્રહિત અનાજનો જથ્થો મળી આવતા અને ગોડાઉનના માલિક મહેશ અરજણ ભોળા દ્વારા સંગ્રહિત જથ્થાની ખરીદ અંગેના કોઈ આધાર પુરાવા રજુ નહીં થતા અને પુરવઠા મેનેજર દ્વારા પ્રાથમિક રીતે સરકારી અનાજ હોવાનું જણાતાં તાત્કાલિક ધોરણસરની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે.
અનાજનો સદર જથ્થો શંકાસ્પદ જણાતાં ઘઉ (અંદાજિત 35સલ/કટ્ટા) – 375 કટ્ટા, બાજરો (અંદાજિત 35સલ/કટ્ટા) – 07 કટ્ટા, ઘઉ (કણકી) (અંદાજિત 35સલ/કટ્ટા) – 24 કટ્ટા મળી કુલ 406 કટ્ટા અનાજ( અંદાજિત 14,210 કિ.ગ્રા અનાજ) તથા ટ્રક-કંટેનર સહિત (અંદાજિત કુલ ₹ 15,83,670/- નો મુદ્દામાલ) સીઝ કરી, ગોરખમઢી – સુત્રાપાડા સ્થિત સરકારી ગોડાઉન ખાતે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહેશ અરજણ ભોળા દ્વારા આ અનાજનો જથ્થો આકાશ ટ્રેસીંગ, પ્રાંચી માટે એકત્ર કરી પીપાવાવ પોર્ટ મારફતે મોકલવામાં આવનાર હતો.