ભારતના Gen-Z બંધારણ બચાવશે, વોટ ચોરી અટકાવશે: રાહુલ ગાંધી
હું તેમની પડખે જ રહીશ, યુવા વર્ગ જ લોકશાહીનું રક્ષણ કરશે: રાહુલ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
નેપાળમાં સરકાર સામે બળવો કરવા બદલ ૠયક્ષ-ણ ચર્ચામાં છે. રાહુલ ગાંધી દ્વારા ૠયક્ષ-ણનો ઉલ્લેખ વ્યાપકપણે કરવામાં આવ્યો છે, જેનું હવે ઘણી રીતે અર્થઘટન કરવામાં આવી રહ્યું છે અને રાહુલ દ્વારા ભારતીય યુવાનોને ઉશ્કેરવાનું ષડયંત્ર ચાલી રહ્યાની પણ લોકોમાં ચર્ચા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે દેશના ૠયક્ષ-ણ બંધારણનું રક્ષણ કરશે અને મત ચોરી અટકાવશે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દેશના યુવાનો, વિદ્યાર્થીઓ અને ૠયક્ષ-ણ બંધારણનું રક્ષણ કરશે, લોકશાહીનું રક્ષણ કરશે અને મત ચોરી અટકાવશે.
તેમણે ઉમેર્યું, ‘હું હંમેશા તેમની સાથે ઉભો છું.’ સ્પષ્ટપણે, વિરોધ પક્ષો રાહુલ ગાંધીના નિવેદન પર વિવાદ ઉભો કરે તેવી શક્યતા છે, કારણ કે પડોશી દેશ નેપાળમાં ૠયક્ષ-ણની તાજેતરની કાર્યવાહી સૌ કોઈ જાણે જ છે.
નેપાળમાં એક ૠયક્ષ-ણ ચળવળના કારણે બળવો થયો. ઇતિહાસમાં આ પહેલું ૠયક્ષ-ણ આંદોલન હતું. રાહુલ ગાંધી દ્વારા ૠયક્ષ-ણ ના ઉલ્લેખનું હવે ઘણી રીતે અર્થઘટન થઈ રહ્યું છે. નેપાળમાં આ ૠયક્ષ-ણ વિરોધ સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે હતો.
- Advertisement -
જોકે, આ વિરોધ ધીમે ધીમે હિંસક બન્યો, જેના પરિણામે 34 થી વધુ લોકો માર્યા ગયા અને હજારો લોકો ઘાયલ થયા. ૠયક્ષ-ણ વિરોધ પ્રદર્શન બાદ, નેપાળમાં એક વચગાળાની સરકારની રચના કરવામાં આવી, જેમાં સુશીલા કાર્કીને વચગાળાના વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
હકીકતમાં, આ દિવસોમાં રાહુલ ગાંધી સતત મત ચોરીના મુદ્દા પર પ્રહાર કરી રહ્યા છે. ગઈકાલે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
કોંગ્રેસના સાંસદે આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણી પંચ લોકોના મત કાઢી રહ્યું છે અને આમ કરવા માટે નકલી મોબાઇલ નંબરનો ઉપયોગ કરી રહ્યું છે. રાહુલે એવો પણ દાવો કર્યો હતો કે ચૂંટણી પંચ પોતે હવે આ માહિતી પૂરી પાડી રહ્યું છે.



