કાઠમંડુમાં મેન્યુઅલ લેન્ડિંગ કરવામાં આવી, પ્લેનમાં સવાર તમામ 76 લોકો સુરક્ષિત
ખાસ-ખબર ન્યૂઝ કાઠમંડુ, તા.7
નેપાળમાં બુદ્ધ એરના વિમાનના ડાબા એન્જિનમાં આગ લાગ્યા બાદ કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટઘછ લેન્ડિંગ અથવા મેન્યુઅલ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 76 લોકો સવાર હતા. આ અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
- Advertisement -
નેપાળ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, બુદ્ધ એરનું એક વિમાન તેના ડાબા એન્જિનમાં આગ લાગવાને કારણે રાજધાની કાઠમંડુથી 43 કિલોમીટર પૂર્વમાં લેન્ડ થયું હતું. જે બાદ તે એક જ એન્જિન પર ઉડીને કાઠમંડુ પરત ફર્યું હતું. સવારે 11:15 વાગ્યે ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેનું મેન્યુઅલ લેન્ડિંગ થયું. પ્લેનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સંપૂર્ણપણે સુરક્ષિત છે. ટઘછ લેન્ડિંગ એ મેન્યુઅલ લેન્ડિંગનો એક પ્રકારનો ભાગ છે. ટઘછ લેન્ડિંગ એ પાઇલટ્સ માટે ટઘછ (વેરી હાઇ ફ્રિકવન્સી ઓમ્નિડાયરેક્શનલ રેન્જ) તરીકે ઓળખાતા ગ્રાઉન્ડ-બેઝ રેડિયો સ્ટેશનના સિગ્નલોનો ઉપયોગ કરીને એરક્રાફ્ટ નેવિગેટ કરવા અને લેન્ડ કરવાની એક પદ્ધતિ છે. આનાથી પાઇલટ્સ રનવે સાથે લાઇન અપ કરવામાં મદદ કરે છે જ્યારે તેઓ તેને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. એક્સપર્ટ્સનું કહેવું છે કે, દુર્ગમ પર્વતીય વિસ્તાર, ખરાબ હવામાન, જૂના એરક્રાફ્ટ અને બિનઅનુભવી પાઇલટ્સ નેપાળને ફ્લાઇટ્સ માટે સૌથી ખતરનાક દેશ બનાવે છે. નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીના 2019ના સેફ્ટી રિપોર્ટ અનુસાર, દેશની ખતરનાક ભૌગોલિક સ્થિતિ પણ પાઇલટ્સ માટે એક મોટો પડકાર છે.
નેપાળમાં લગભગ 3 કરોડ લોકો રહે છે. માઉન્ટ એવરેસ્ટ સહિત વિશ્ર્વના 14 સૌથી ઊંચા પર્વતોમાંથી આઠ અહીં સ્થિત છે. રિપોર્ટ અનુસાર, નેપાળનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દરિયાની સપાટીથી 1,338 મીટરની ઊંચાઈએ એક સાંકડી ખીણમાં છે, જેના કારણે વિમાનોને વળવા માટે ખૂબ જ સાંકડી જગ્યા મળે છે. નેપાળમાં દર વર્ષે સરેરાશ એક પ્લેન ક્રેશ થાય છે. 2010થી 2023 સુધીમાં 12 પ્લેન ક્રેશ થયા છે. 14 જાન્યુઆરી, 2023ના રોજ અહીં એક મોટો વિમાન અકસ્માત થયો હતો. યેતી એરલાઈન્સનું વિમાન કાઠમંડુથી 205 કિલોમીટર દૂર પોખરામાં ક્રેશ થયું હતું. તે અઝછ-72 પ્લેન હતું, જેમાં 68 મુસાફરો અને ચાર ક્રૂ-મેમ્બર સવાર હતા.