ભારત આવનારા વિદેશી મુસાફરોને કેન્દ્ર સરકારે મોટી રહાત આપી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેરાત કરી કે, એર સુવિધા પોર્ટ પર આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરો દ્વારા ભરવામાં આવેલા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની જરૂર નથી. આ નિર્ણય આ જ રાતથી લાગુ કરવામાં આવ્યો છે. એના સિવાય કોરોના વેક્સીન અને મસ્કના જરૂરી નિયમો પણ હવે નિયમો બંધ કરવામાં આવ્યા. પહેલા એર પોર્ટલ પર મળનારા ફોર્મમાં મુસાફરોએ આ વાતની જાણકારી આપવી પડતી હતી કે તેમને રસીના કેટલા ડોઝ લીધા છે. જો કે સરકારનું કહેવું છે કે, જો કોરોનાના લક્ષણો જોવા મળશે તો આઇસોલેશનમાં રહેવું પડશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કેસોમાં આવેલા ઘટાડા અને વિશ્વ સ્તર પર ભારતમાં કોવિડ-19 ટીકાકરણ કવરેજમાં મહત્વપૂર્ણ પ્રગતિને જોતા આ પગલા લેવામાં આવ્યા છે. એક નોટિસમાં કોવિડ-19ના કેસોમાં સતત આવેલા ઘટાડા અને વિશ્વ સ્તર પર અને સાથે જ ભારતમાં કોવિડ-19ના રસીકરણમાં મહત્વપૂર્ણ પ્રગતિના આલોકમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાયલે આંતરરાષ્ટ્રીય આગમન માટે દિશા નિર્દશન જાહેર કરી દીધા છે,
- Advertisement -
સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન અનુસાર, વિદેશથી આવનારા મુસાફરો માટે ડિબોર્ડિંગના દરમ્યાન ફિઝીકલ ડેસ્ટૈંસિંગ રાખવું જરૂરી છે. સ્વાસ્થ્ય વિભાગના ઓફિશિયલ્સ દ્વારા એન્ટ્રી પર પણ બધા મુસાફરોને થર્મલ સ્ક્રીનિંગ કરવું જરૂરી છે. જો કોઇ મુસાફરમાં કોરોનાના લક્ષણો જોવા મળે તો તેમને તરત જ આઇસોલેટ કરવા જરૂરી છે. બધા મુસાફરોએ પોતાના સ્વાસ્થ્યને જાતે તપાસતા રહેવું પડશે. જો કોઇ પણ મુસાફરને કોરોનાના લક્ષણો જોવા મળે તો તેમણે તરત જ નજીકના હેલ્થ સેન્ટર કે નેશનલ હેલ્પલાઇન નંબર 1075 પર સૂચના આપવી જરૂરી છે.
જાણો શું છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ
બધા એર મુસાફરોને એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું જરૂરી છે, વેબસાઇટના જણાવ્યા અનુસાર, ફોર્મ સ્વાસ્થ્ય અને પરિવાર ક્લ્યાણ મંત્રાલય દ્વારા અનિવાર્ય રૂપે ભરવું જરૂરી છે. જેના લીધે બધા વિદેશી મુસાફરોને પોતાની સ્વાસ્થય સ્થિતિની જાણકારી આપે છે. મુસાફરોને બોર્ડિંગથી પહેલા ફોર્મ ભરી શકે છે. ભારતનો પ્રવાસ કરતા સમયે કેટલાક કોવિડ-19 પ્રતિબંધો હતા. જેમાં એર સુવિધા ફોર્મ તેમાનું એક હતું.
- Advertisement -