મોટી મોણપરીમાં ઇકોઝોન હટાવ સંમેલનમાં જશ ખાટવા નેતાઓ રણમેદાન ઉતર્યા
વિસાવદર સંમેલનમાં નેતાઓના એકબીજા પર આકરા પ્રહારો
- Advertisement -
રાજકીય પક્ષો વચ્ચેનો ‘સંપ’ ભ્રામક હોવાની ઉપસતી છાપ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
સરકાર દ્વારા 196 ગામમાં ઇકો સેન્સેટિવ ઝોન લાગુ કરવા માટેનું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યાર થી તમામ પક્ષના નેતાઓ મેદાનમાં ઉતરીને ઇકોઝોન હટાવ મુદ્દે મેદાનમાં ઉતરી ગયા છે અને છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંમેલનો કરીને ઇકોઝોન નાબુદીની લડાઈ સરકાર સામે ચલાવી રહ્યા છે ત્યારે શનિવારના રોજ વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે આપ દ્વારા બોલવામાં આવેલ મહા સંમેલન મળેલ જેમાં ઇકોઝોન નાબુદીની લડાઈ વચ્ચે નેતાઓની લડાઈ જોવા મળે હતી ત્યારે એક વાત ચોક્કસ છે કે, આગામી દિવસોમાં ગમે ત્યારે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી આવી શકે છે ત્યારે સ્થાનિક મતદારો પાસે જશ ખાટવા આપ, કોંગ્રેસ અને ભાજપના નેતાઓ મેદાનમાં ઉતરી ગયા છે. આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ છેલ્લા ઘણા સમયથી ઇકોઝોન હટાવવા ત્રણ જિલ્લામાં સંમેલનો બોલાવી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે.ત્યારે કોંગ્રેસ પણ ઇકોઝોન વિરોધ કરે છે.એવા સમયે ભાજપના નેતાઓ પણ ઇકોઝોન હટે તેવો સુર પુરાવી રહ્યા છે.અને ભાજપ સાથે ચાલનાર ભારતીય કિશાન સંઘ પણ મેદાન ઉતરીને ઇકોઝોનનો વિરોધ કર્યો છે.અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા પણ ઇકોઝોન નાબૂદ થાય તેના માટે ગમેતે પક્ષનું સંમેલન હોઈ તેમાં હાજરી આપીને સરકારનો વિરોધ કરે છે.જયારે મોટી મોણપરીના સંમેલનમાં હર્ષદ રીબડીયાએ મંચ પરથી એવું કહ્યું કે, ઘણા કેહતા હતા કે હર્ષદભાઈ હટી ગયા લાગે છે.હમણાં દેખાતા નથી આ જો ઇકોઝોન મુદ્દે હવે હું ફાળીયું પાછું બાંધીને મેદાનમાં આવી ગયો છું.જયારે 2016માં ઇકોઝોન લાગુ પડ્યો ત્યારે આજ ફાળીયું બાંધીને વિધાનસભા ગજવી હતી.એ સમયે પણ હું ખેડૂતોની સાથે હતો અને આજે પણ સાથે છું અને વિપક્ષોની એક કમિટી બનાવો અને સીધી દિલ્હી જઈને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને રાજુઅત કરો.
હર્ષદ રીબડીયા વિશે આપના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ શું કહ્યું
ભુપત ભાયાણીએ ઇકોઝોન સંમેલન બાદ કહ્યું કે,છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને ભ્રમીત કરવા માટે વિસાવદર વિદ્યાનસભાની જનતાને ભ્રમીત કરવા અને પોતે ખેડૂતોના મસીહા છે એવું જનતા ને બતાવવા માટે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા હિન્દી ચીની ભાઈ જેવી પરિસ્થિતિમાં પોલિટિકલ પાર્ટીની ઇકોઝોનની આડમાં કર્યક્રમોમાં હાજરી આપે છે હાજરી આપે છે.અને હર્ષદભાઈ ખેડૂતોના મસીહા છે.એવું સાબિત કરવા માંગે છે ત્યારે તેમને મારા સામે હાઇકોર્ટમાં સોગંદનામાને લઈને જે રીટ પોતે જીતેલા જાહેર કરવા માંગણી કરી છે.અને તેઓ ધારાસભ્ય હતા ત્યારે ઇકોઝોન મુદ્દો શા માટે ન ઉઠાવ્યો તેમણે રીટ કરીને આખા વિસ્તારને બાનમાં લીધો છે.તેને લીધે ચૂંટણી યોજાતી ખેડૂતોની ચિંતા હોઈ તો હાઇકોર્ટમાંથી રીટ પાછી લેવી જોઈએ.
- Advertisement -
આપ નેતા પ્રવીણ રામે ભૂપત ભાયાણીની ઝાટકણી કાઢી
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને ઇકોઝોનનની લડતના પ્રણેતા અને આપનેતા પ્રવીણ રામે લીધા આડેહાથ લીધા અને આપનેતા પ્રવીણ રામ અને ભૂપત ભાયાણી આમને સામને આવી ગયા છે. જેમાં ભૂપત ભાયાણીના નિવેદન ઉપર આપનેતા પ્રવીણ રામે પલટવાર કરતા કહ્યું કે, ઇકોઝોનના મુદા પર અમુક લોકો નીકળી પડ્યા છો એ બયાન પર આપનેતા પ્રવીણ રામે કહ્યું કે ખેડૂતોને જરૂર હોય ત્યારે નીકળી જ પડવું પડે ભુપતભાઈ એ એવું કહ્યું કે કાયદાની કોઈ સાચી માહિતી નથી આપતા ત્યારે આ વાત પર આપનેતા પ્રવિણ રામે કટાક્ષ કરતા કહ્યું કે હે અવતારી પુરુષ અમે સાચી માહિતીના આપતા હોય તો તમને સાચી માહિતી આપતા કોણ રોકે છે? રાજકીય રોટલા બયાન પર પલટવાર કરતા કહ્યું કે તમે ધારાસભ્યમાંથી રાજીનામું આપી ભાજપમાં ગયા તો તમે શું ત્યાં ભજીયા તળવા ગયા છો? ભૂપત ભાયાણી એ વિડિઓમાં પૂછ્યું કે વિસાવદરની જનતાને એક વર્ષથી રાજકીય નુકસાન કોણ કરી રહ્યું છે ? આ બાબત પર આપનેતા પ્રવીણ રામે જવાબ આપતા કહ્યું કે એમનું નામ છે ભુપતભાઈ ભાયાણી પ્રવીણ રામે કહ્યું કે ભુપતભાઈ તમે રાજીનામું આપ્યું એટલે વિસાવદરની જનતાને નુકસાન થઈ રહ્યું છે ભુપતભાઈની ખંભે બંદૂકની વાતમાં આપનેતા પ્રવીણ રામે કહ્યું કે ભુપતભાઈના ખંભે બંધુક તો ભાજપ વાળા તમારા ઉપર ફોડી ગયા છે.આ તમામ જવાબોની સાથે સાથે આપનેતા પ્રવીણ રામે ભૂપતભાઈને ત્રણ પ્રશ્ર્નો પૂછ્યા અને જવાબ આપવા કહ્યું જેમાં ભુપતભાઈ તમે ઇકોઝોન લાગુ કરાવવા માંગો છો કે નાબૂદ કરવા માંગો છો? અને ઇકોઝોનથી ખેડૂતોને જો ફાયદો થતો હોય તો 10 ફાયદા જણાવો તેવા પ્રશ્ર્નો જવાબ માંગ્યા છે.