By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    6 hours ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    8 hours ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    1 day ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    4 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
    5 hours ago
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    6 hours ago
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    1 day ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    1 day ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    6 hours ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    7 hours ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    1 day ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    2 days ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    5 hours ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    1 day ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    1 day ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    1 day ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઔરંગઝેબના આક્રમણ પર ભારે પડેલી મધમાખીઓ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > ઔરંગઝેબના આક્રમણ પર ભારે પડેલી મધમાખીઓ!
AuthorParakh Bhatt

ઔરંગઝેબના આક્રમણ પર ભારે પડેલી મધમાખીઓ!

Khaskhabar Editor
Last updated: 2022/03/05 at 12:32 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE
મધમાખીઓના એક વૃંદે મુઘલ લશ્કર પર આક્રમણ કર્યું! એમના ડંખથી સેનાની હાલત એટલી ખરાબ થઇ ગઈ કે એમણે પોતાના ઘોડા મેદાનમાં છોડીને ભાગી જવું પડ્યું.  

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

ભારતીય સંસ્કૃતિ સદીઓ જૂની છે. દેશનો ઈતિહાસ ઘણો સમૃદ્ધ અને મજબૂત છે, જેની સાબિતી આપે છે આપણી જૂની ઇમારતો, મહેલો, મંદિરો, તથા દાયકા જુના મળી આવેલા અવશેષો. અલગ અલગ દેવી-દેવતાઓ, સંસ્કૃતિના સ્મરણચિહ્ન સમા એમના અલગ-અલગ દેવાલય અને એની સાથે જોડાયેલી ઐતિહાસિક તથા પૌરાણિક વાર્તાઓ. વિવિધતામાં એકતાનો સાચો અર્થ આ જ તો છે!

Contents
મધમાખીઓના એક વૃંદે મુઘલ લશ્કર પર આક્રમણ કર્યું! એમના ડંખથી સેનાની હાલત એટલી ખરાબ થઇ ગઈ કે એમણે પોતાના ઘોડા મેદાનમાં છોડીને ભાગી જવું પડ્યું.  મોડર્ન ધર્મ – પરખ ભટ્ટ

રાજસ્થાનના જયપુરથી 115 કિલોમીટર દુર, સિકર જીલ્લાનાં અરાવલી પહાડોમાં એક દેવીસ્થાન, જેનું નામ : જીણ માતાનું મંદિર. લોક માન્યતા અનુસાર, એક વાર મુઘલ સમ્રાટ ઔરંગઝેબે જીણ માતા અને ભૈરવના મંદિરને તોડવાના ઈરાદાથી સૈનિકોને મોકલ્યા. આ વાતની જ્યારે સ્થાનિક લોકોને જાણ થઇ, તો તેઓ અતિશય દુ:ખી થયા. રાજાના આ પ્રકારના વ્યવહારથી ચિંતિત થઈને શ્રદ્ધાળુઓએ જીણ માતાને પ્રાર્થના કરી. લોકોની પ્રાર્થના ફળી અને માતાજીએ પોતાનો ચમત્કાર દેખાડયો. ત્યાં મધમાખીઓના એક વૃંદે મુઘલ લશ્કર પર આક્રમણ કર્યું! એમના ડંખથી સેનાની હાલત એટલી ખરાબ થઇ ગઈ કે એમણે પોતાના ઘોડા મેદાનમાં છોડીને ભાગી જવું પડ્યું. કહેવાય છે કે ખુદ શહેનશાહની હાલત પણ ખૂબ ગંભીર થઇ ગઈ હતી. છેવટે એણે પોતાની ભૂલ સ્વીકારીને માતાના ચરણોમાં અખંડ જ્યોત પ્રગટાવવાનું વચન આપ્યું અને ગામવાસીઓને આશ્વાસન આપ્યું કે એ દર મહિને સવા મણ તેલ આ જ્યોત માટે ભેટ કરશે. ત્યાર પછી ઔરંગઝેબની તબિયતમાં સુધારો થવા માંડયો.

- Advertisement -

લોકોનું કહેવું હતું કે, શહેનશાહે ઘણા વર્ષો સુધી તેલ દિલ્હીથી મોકલાવ્યું. ત્યાર પછી જયપુરથી મોકલવામાં આવતું હતું. ઔરંગઝેબનાં દેહાંત પછી પણ આ પરંપરા યથાવત રહી અને જયપુરના મહારાજે આ તેલને માસિકની જગ્યાએ વર્ષમાં બે વાર નવરાત્રિના સમયે મોકલાવવાનું શરુ કરી દીધું. મહારાજા માનસિંહજીનાં સમયે એમના ગૃહમંત્રી, રાજા હરિસિંહ અચરોલે તેલના સ્થાન પર રોકડા વીસ રૂપિયા અને ત્રણ આના પ્રતિમાસ આપવાનું નક્કી કર્યું, જે અવિરતપણે મળતા રહ્યા.

માનવામાં આવે છે કે જીણ માતાનો જન્મ ચૌહાણ વંશના રાજપૂત પરિવારમાં થયો હતો. એ પોતાના ભાઈ હર્ષને ખૂબ સ્નેહ કરતા. એક વાર માતા જીણ એમની ભાભીની સાથે તળાવ પર પાણી ભરવા ગયા. પાણી ભરતી વખતે ભાભી અને નણંદ વચ્ચે એ વાતને લઈને ઝઘડો આરંભ થયો કે હર્ષ કોને વધારે પ્રેમ કરે છે! આખરે બંને વચ્ચે એવો નિર્ણય લેવામાં આવ્યો, કે હર્ષ જેના માથા ઉપરથી પાણીનું માટલું પહેલા ઉતારશે, એ જ એને વધારે પ્રિય હશે. ભાભી અને નણંદ માટલું લઈને ઘરે પહોચ્યા. ઘટના એવી બની કે, હર્ષે પહેલા પોતાની પત્નીના માથા ઉપરથી માટલું નીચે ઉતાર્યું. આ જોઇને જીણ માતા ક્રોધિત થઇ ગયા.

- Advertisement -

ગુસ્સે થઈને એમણે અરાવલીના કાજલ શિખર પર પહોંચી તપસ્યાનો આરંભ કર્યો, જેના પ્રભાવથી રાજસ્થાનના ચુરુમાં જ જીણ માતાનું નિવાસસ્થાન થઇ ગયું. અત્યાર સુધી હર્ષ ભાભી-નણંદ વચ્ચેનાં વિવાદથી અજાણ હતો. આ શરત વિશે જયારે એને ખબર પડી, ત્યારે તે પોતાની બહેનની નારાજગીને દૂર કરવા કાજલ શિખર પર પહોચી ગયો. એણે બહેન જીણને ઘેર પાછા ફરવા વિનંતી કરી, પરંતુ માતાએ ઘરે આવવાની ના પાડી. બહેનને ત્યાં જોઇને હર્ષ પણ પહાડો ઉપર ભૈરવની તપસ્યા કરવા માંડયો અને એમણે ભૈરવપદ મેળવી લીધું.

જીણ માતાનું વાસ્તવિક નામ જયંતી માતા છે. એમને દુર્ગા માતાનો અવતાર માનવામાં આવે છે. ગાઢ જંગલથી ઘેરાયેલું આ દેવીસ્થાન, ત્રણ નાના પહાડોના સંગમ પર સ્થિત છે. મંદિરમાં આરસ પહાણનું વિશાળ શિવલિંગ તથા નંદી મૂર્તિનું આકર્ષણ સૌથી વિશેષ છે. ત્યાંના લોકોનું કહેવું છે કે માતાજીનું મંદિર 1000 વર્ષ જૂનું છે. કેટલાક ઇતિહાસકાર આઠમી સદીને જીણ માતા મંદિરના નિર્વાણકાળ તરીકે માને છે.

જીણધામની મર્યાદાઓ તેમજ પૂજા વિધિઓ:

(1) જીણ માતા મંદિર સ્થિત પુરી સંપ્રદાયની ગાદીના પૂજા-પાઠ, માત્ર પુરી સંપ્રદાયના સાધુઓ દ્વારા જ થાય છે.
(2) જે પૂજારી જીણ માતાની પૂજા કરતા હોય, તેઓ પરાશર બ્રાહ્મણ તરીકે ઓળખાય છે.
(3) જીણ માતા મંદિરના પૂજારીઓના લગભગ 100 પરિવાર છે, જેઓ પોતાના ક્રમાનુસાર એક પછી એક પૂજાવિધિની જવાબદારી સંભાળે છે.
(4) પૂજારીઓના ઉપનયન સંસ્કાર થયા પછી તેમને વિધિ-વિધાન સાથે પૂજા માટે તૈયાર કરવામાં આવે છે.
(5) પૂજા સમય દરમિયાન પૂજારીએ સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે તથા એમનું પોતાના ઘરે જવાનું તદ્દન પ્રતિબંધિત થઇ જાય છે.
(6) જીણ માતા મંદિરમાં અર્પણ કરવામાં આવેલા દેવદ્રવ્યનો ઉપયોગ પૂજારીઓની બહેન – દીકરીઓ જ કરી શકે. એમની પત્ની માટે એ નિષેધ હોય છે.
(7) વહેલી સવારે ચાર વાગ્યે જીણ ભવાનીની મંગલા આરતી થાય છે. સવારે આઠ વાગ્યે શ્રૃંગાર તથા સાંજે સાત વાગ્યે ફરી શયન-આરતી થાય છે. ત્યારબાદ ભક્તગણોમાં પ્રસાદનું વિતરણ.
(8) ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના સમયે પણ આરતી પોતાના સમય પર જ થાય છે.
(9) દર મહિને શુક્લ પક્ષની આઠમે વિશેષ આરતી તથા પ્રસાદનું વિતરણ.
(10) મંદિરના ગર્ભગૃહના દ્વાર ચોવીસ કલાક ખુલ્લા હોય છે. ફકત શ્રૃંગારના સમયે પડદા લગાવવામાં આવે છે.
(11) પ્રત્યેક વર્ષ, શરદ પુનમે મંદિરમાં વિશેષ ઉત્સવ મનાવવામાં આવે, જેમાં પૂજારીઓનો વારો બદલાય જાય છે.
(12) દર વર્ષે ભદ્ર પક્ષ મહિનાના શુક્લ પક્ષમાં શ્રીમદ્ દેવી-ભાગવતનો પાઠ તથા મહાયજ્ઞ થાય છે.

દેવાલયના પહાડોની ટોચ પર ભાઈ હર્ષ (ભૈરવનાથ)નું મંદિર છે. જીણ માતાનાં મુખ્ય અનુયાયીઓમાં એ ક્ષેત્રના વાણિયા, રાજપૂત, જીંગરા અને મીનાનો સમાવેશ થાય છે. જીણ માતા શેખાવાટી રાજપૂત, જીંગરા, મીના અને વાણીયાઓના કુળદેવી છે.

You Might Also Like

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર

ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફૂટબોલને ગુજરાતમાં ઊચ્ચ સ્તરે લાવવા YCC કલબ રાજકોટનો નોંધપાત્ર ફાળો
Next Article આત્મા હંમેશાં વિશુદ્ધ હોય છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોન બેઠક યોજાઈઃ રામ મંદિર મુદ્દે ભાજપ સામે વિપક્ષના આકરા પ્રહારો
રાજકોટ થશે વધુ હરિયાળું: 66 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી જંગલો વિકસાવાશે
સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorShailesh Sagpariya

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?