By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    4 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    6 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    6 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    1 day ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    2 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    2 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    2 days ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    5 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    6 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જેનેરીક દવાના વેરહાઉસનું રાજકોટમાં રવિવારે થશે ઉદ્ઘાટન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જેનેરીક દવાના વેરહાઉસનું રાજકોટમાં રવિવારે થશે ઉદ્ઘાટન
રાજકોટ

જેનેરીક દવાના વેરહાઉસનું રાજકોટમાં રવિવારે થશે ઉદ્ઘાટન

Khaskhabar Editor
Last updated: 2022/02/14 at 11:24 AM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE
  • ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ
  • પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના હેઠળ દેશભરમાં 8640 સ્ટોરના માધ્યમથી બ્રાન્ડેડ દવા કરતાં 50થી 90%ના ઓછા દરે જેનેરીક દવાઓનું વિતરણ થઈ રહ્યું છે.
  • સૌરાષ્ટ્રના ગામેગામ સુધી દવા પહોંચાડવા માટે ‘મનન ડીસ્ટ્રીબ્યુટર્સ’ દ્વારા નવી વ્યવસ્થા ઉભી કરાઇ રહી છે

સૌરાષ્ટ્રના સૌથી મોટા ‘મનન ડીસ્ટ્રીબ્યુટર્સ’ વેરહાઉસના માધ્યમથી ગામેગામ પહોંચશે ખૂબ જ સસ્તી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘સ્વસ્થ ભારત’નું સ્વપ્ન થશે સાકાર: બ્રાન્ડેડ દવા કરતાં 50થી 90 ટકા ઓછા ભાવે મળતી 1450 જેટલી દવાના દેશભરમાં 8640 સ્ટોર. ‘સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત’ નિર્માણના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાર્થક કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે ત્યારે સ્વચ્છતાના ક્ષેત્રે ભારતે ઘણી પ્રગતિ કરી લીધી છે. હવે તેની સાથોસાથ સ્વસ્થતા પ્રત્યે પણ ખૂબ ઝડપી પ્રગતિ પ્રાપ્ત થાય તેવા હેતુ સાથે અને ગરીબ તથા મધ્યમ વર્ગના દર્દીઓને ખૂબ સસ્તી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવા મળી રહે તે માટે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના હેઠળ દેશભરમાં 8640 સ્ટોરના માધ્યમથી બ્રાન્ડેડ દવા કરતાં 50થી 90 ટકાના ઓછા દરે જેનેરીક દવાઓનું વિતરણ થઈ રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું વેરહાઉસ ‘મનન ડીસ્ટ્રીબ્યુટર્સ’નું કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે આ દવાઓ ખરા અર્થમાં છેવાડાના માનવીઓ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે.

સમગ્ર દેશમાં 8600થી વધુ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રના માધ્યમથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત જેનેરીક દવાઓ ખૂબ જ ઓછા ભાવથી લોકો સુધી પહોંચે તે માટે અને પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાને સમગ્ર સૌરાષ્ટ્રમાં વધુ પ્રગતિશીલ બનાવવાના હેતુ સાથે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં રવિવાર તા. 13-2-22 બપોરે 4 વાગ્યે જૂના કોઠારીયા, ગોંડલ રોડ ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટા ડીસ્ટ્રીબ્યુટર ‘મનન ડીસ્ટ્રીબ્યુટર્સ’ના વેરહાઉસનું કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકઉપયોગી અનેક આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં છે. જે યોજનાની મદદથી પોતાનું આરોગ્ય શ્રેષ્ઠ રીતે જાળવી રહ્યા છે ત્યારે સસ્તી તથા ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓના જેનેરીક સ્ટોર ખાતેથી મળતી દવાઓ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

- Advertisement -

આજના મોંઘવારીના જમાનામાં કેન્દ્ર સરકારના ફાર્માસ્યુટીકલ વિભાગની પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજનાના માધ્યમથી ખૂબ જ રાહત દરે મળતી દવાઓએ અનેકની જીવનરેખાને લંબાવી છે ત્યારે રાજકોટમાં આ પ્રકારના વેરહાઉસનું ઉદ્ઘાટન રવિવારે થઈ રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના ગામેગામ સુધી આ દવા પહોંચાડવા માટે ‘મનન ડીસ્ટ્રીબ્યુટર્સ’ દ્વારા નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.

સેવાભાવી તબીબ ડો. નીતિન લાલના પુત્ર મનનના સાહસને બિરદાવાયું

- Advertisement -

સામાન્ય રીતે ડોકટરના સંતાનો ડોકટર બનતા હોય છે ત્યારે મુળ પોરબંદરના તથા છેલ્લાં કેટલાક વર્ષોથી રાજકોટ ખાતે તબીબી જગતમાં પોતાની આગવી નામના મેળવનારા સેવાભાવી ગાયનેક તબીબ ડો. નીતિન લાલના પુત્ર મનને પિતાના પગલે ચાલીને ડોકટરની ડીગ્રી મેળવી છે પરંતુ પિતા કરતાં એક કદમ આગળ વધીને પુત્ર મનને નવો રાહ અપનાવીને દર્દીઓની સેવા માટે જીવન સમર્પિત કરવા સસ્તા દરે દવા ઉપલબ્ધ કરાવવાનું મહાભગીરથ કાર્ય હાથમાં લીધુ છે ત્યારે આ યુવાનની કામગીરીને પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરના તબીબી જગત સાથે સંકળાયેલા માંધાતાઓએ બિરદાવી છે.

  • વેરહાઉસને કેન્દ્રીય મંત્રી લોકાર્પણ કરતાં હોય તેવો પ્રથમ અવસરદેશમાં પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજના હેઠળ અનેક વેરહાઉસ કાર્યરત છે. ગુજરાતમાં પણ ચાર વેરહાઉસ અસ્તિત્ત્વમાં છે ત્યારે રાજકોટ ખાતે રવિવારે સૌરાષ્ટ્રના સૌથી મોટા વેરહાઉસ ‘મનન ડીસ્ટ્રીબ્યુટર્સ’નું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. વેરહાઉસને કેન્દ્રીય મંત્રી લોકાર્પણ કરતા હોય તેવો આ પ્રથમ અવસર રાજકોટના આંગણે આવી રહ્યો છે ત્યારે સૌ રાજકોટવાસીઓ પણ કેન્દ્રના આરોગ્યમંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાને આવકારવા થનગની રહ્યા છે.
  • અમો આપની સેવામાં છીએ ચોવીસ કલાક હાજર: મનન લાલઆરોગ્યલક્ષી સેવાઓ અને સુવિધાઓ ચોવીસે કલાક ઉપલબ્ધ થતી હોય છે ત્યારે મુળ પોરબંદરના તથા રાજકોટ ખાતે ‘મનન ડીસ્ટ્રીબ્યુટર્સ’ વેરહાઉસનું ભગીરથ સાહસ ખેડનારા યુવાન મનન લાલે જણાવ્યું હતું કે અમે આપની સેવામાં ચોવીસ કલાક હાજર છીએ. જનઔષધિ કેન્દ્ર તથા તેની કોઈ પણ પ્રકારની માહિતી માટે મો. 7383630608 કે 7383730608નો સંપર્ક સાધી શકાશે.જેનેરીક દવાઓના વેચાણમાં પાંચ વર્ષમાં અધધધ વિકાસ!

    ઇ.સ. 2015-16 ભારતમાં ભારતીય જનઔષધિ પરિજન હેઠળ જેનેરીક દવાઓના સ્ટોરનો પ્રારંભ થયો. ભારત સરકારના કેમીકલ અને ફર્ટીલાઈઝર મંત્રાલયના ફાર્માસ્યુકીટલ બ્યુરો ઓફ ફાર્મા, પી.એસ.યુ. ઓફ ઈન્ડીયા (બીપીપીઆઈ) દ્વારા શરૂ કરવામાં આવેલ જેનેરીક દવાઓના વેચાણમાં પણ પાંચ વર્ષમાં અધધધ વિકાસ જોવા મળ્યો છે. ઈ.સ. 2015-16માં દેશમાં માત્ર 240 સ્ટોર હતા. જ્યારે 31 ડીસેમ્બર 2021 સુધીમાં 8640 સ્ટોર થયા છે. ઇ.સ. 2015-16માં દેશમાં 12.16 કરોડની દવાનું વેચાણ થયું હતું. જ્યારે હાલમાં 652.67 કરોડની દવાઓ વેચાઈ રહી છે. જ્યારે શરૂઆત થઈ ત્યારે ઈ.સ. 2015-16માં દેશમાં 488 જેટલી દવાઓ ઉપલબ્ધ હતી જ્યારે હાલમાં 1691 જેટલી દવાઓ દર્દીઓ માટે જીવન સંજીવની બની ચૂકી છે અને સૌરાષ્ટ્રના સૌથી મોટા ‘મનન ડીસ્ટ્રીબ્યુટર્સ’નું લોકાર્પણ થઈ ત્યારે તે ખરા અર્થમાં દર્દીનારાયણ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. દેશમાં કુલ 70 જેટલા ડીસ્ટ્રીબ્યુટર સુધી દવા પહોંચાડવા માટે સરકાર દ્વારા ખાનગી એજન્સી એથિક્સ ગ્રુપને જવાબદારી સોંપવામાં આવી છે જેના ભારતમાં ચાર વેરહાઉસ છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ માન્યતા

    સમગ્ર દેશમાં 8640 જનઔષધિ કેન્દ્રના માધ્યમથી જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત 1450થી વધુ દવા, 240થી વધુ સર્જીકલ સાધનો અને ક્ધઝયુમેબલનું વેચાણ થઈ રહ્યું છે જેને વૈશ્ર્વિક આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ માન્યતા પ્રાપ્ત થઈ છે. જી.એમ.પી. તથા એન.એ.બી.એલ. ટેસ્ટેડ ગુણવત્તા સાથેની બ્રાન્ડેડ દવાઓ ખરા અર્થમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે જીવન સંજીવની સાબિત થઈ રહી છે.

    બ્રાન્ડેડ દવાઓ કરતાં ખૂબ જ સસ્તી છતા ગુણવત્તામાં ઊંચી

    સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે બ્રાન્ડેડ દવાઓ ઉચ્ચ ગુણવત્તાવાળી હોય છે, પરંતુ જ્યારથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના માનવીઓને પણ સરકારી યોજનાનો શ્રેષ્ઠ લાભ અપાવ્યો છે ત્યારે તેમણે કેન્દ્ર સરકારના ફાર્માસ્યુકીટલ વિભાગને ધબકતો રાખીને બ્રાન્ડેડ દવાઓ કરતાં 50થી 90 ટકા સસ્તી અને તેમ છતાં ખૂબ ઉંચી ગુણવત્તાસભર દવાઓ બનાવવા માટે આહ્વાન કર્યા બાદ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રના માધ્યમથી દૂર દૂરના અંતરિયાળ વિસ્તારોમાં પણ આ દવાઓ પહોંચાડવામાં આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર ખાતે સૌથી મોટા વેરહાઉસ ‘મનન ડીસ્ટ્રીબ્યુટર્સ’નું રવિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા કરશે એ ક્ષણ સમગ્ર ગુજરાત માટે ગૌરવવંતી બની જશે. આમ રાજકોટ ખાતે જેનેરીક દવાના સૌરાષ્ટ્રના સૌથી મોટા વેરહાઉસનું રવિવારે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે તેના સંચાલક મનન લાલને પણ સૌએ શુભેચ્છા આપી છે અને રાજકોટમાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ આ યુવાનને બિરદાવ્યો છે.

    સેનેટરી પેડ મળશે માત્ર એક રૂપિયામાં

    તરૂણીઓ, યુવતીઓ, મહિલાઓને દર મહિને માસિકસ્ત્રાવ સમયે સેનેટરી પેડની જરૂરિયાત ઉભી થતી હોય છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ જૂના કપડાં કે અન્ય કોઈ નબળી ગુણવત્તાવાળા સેનેટરી પેડનો ઉપયોગ કરતી હોય છે ત્યારે જનઔષધિ પરિયોજના હેઠળ સેનેટરી પેડ માત્ર એક જ રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. મોંઘા ભાવના સેનેટરી પેડ કરતાં પણ વધુ સારી ગુણવત્તાવાળા સેનેટરી નેપકીન જનઔષધિ સુવિધા યોજના હેઠળ અપાનાર છે. જે નારી શક્તિ માટે ખૂબ ઉપયોગી અને આર્થિક રીતે પણ લાભદાયી સાબિત થશે અને સ્ત્રી સશક્તિકરણનો હેતુ ખરા અર્થમાં સાર્થક થશે.

    સુગમ એપ્લીકેશનના માધ્યમથી નજીકના સ્ટોર વિશેની મળશે માહિતી

    લોકો ઈમરજન્સી સમયે જેનેરીક દવા સ્ટોર શોધવો ન પડે અને તાત્કાલીક અસરથી પહોંચી શકાય તે માટે આરોગ્ય મંત્રાલયે જનઔષધિ સુગમ નામની એપ્લીકેશન લોન્ચ કરી છે. જેમાં લોકોના લોકેશન નજીક ક્યા પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર આવેલું છે તે સ્થળનું નામ સર્ચ કરતાં જ તેની આસપાસ આવેલા સ્ટોર્સની વિગત આંગળીના ટેરવે મળી જશે. આ એપ્લીકેશન ગુગલ પ્લે સ્ટોર્સના માધ્યમથી ડાઉનલોડ કરી શકાશે.

You Might Also Like

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

ગુજરાતમાં બપોર સુધીમાં 200 તાલુકામાં વરસાદ : પોપટપરાનો અન્ડરપાસ માત્ર બે ઇંચ વરસાદમાં બંધ

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ

માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના પ્રત્યેની જવાબદારી જ સાચી જીવનસાધના : વ્રજરાજકુમાર મહારાજ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જેની જીવવાની પણ શક્યતા નહોતી એ માણસે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો…
Next Article ભારતની કોકિલા…સરોજિની નાયડુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાતરાજકોટ

ગુજરાતમાં બપોર સુધીમાં 200 તાલુકામાં વરસાદ : પોપટપરાનો અન્ડરપાસ માત્ર બે ઇંચ વરસાદમાં બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?