By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    11 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    11 hours ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    11 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    12 hours ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અરવલ્લી પર્વતમાળાનો વિનાશ ભારતને રેગિસ્તાન બનાવી દેશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અરવલ્લી પર્વતમાળાનો વિનાશ ભારતને રેગિસ્તાન બનાવી દેશે
રાજકોટ

અરવલ્લી પર્વતમાળાનો વિનાશ ભારતને રેગિસ્તાન બનાવી દેશે

Khaskhabar Editor
Last updated: 2025/12/19 at 3:22 PM
Khaskhabar Editor 8 months ago
Share
6 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

આપણે બાળપણથી વાંચતા આવ્યા છીએ કે જળ, જંગલ અને જમીન પ્રકૃતિ તરફથી મળેલા નિ:શુલ્ક ઉપહાર છે. પરંતુ આજે પાણી વેચાઈ રહ્યું છે, જંગલો કપાઈ રહ્યા છે અને ત્યાં રહેતા પ્રાણીઓ તથા માનવોને ઉખેડી ફેંકવામાં આવી રહ્યા છે. આ બાબતનો સોથી મોટો પુરાવો એ છે કે હાલ પ્રાપ્ત જાણકારી અનુસાર અરવલ્લીની 100 મીટર સુધીની પર્વતમાળાને પર્વત ન ગણાવીને ત્યાં ખનન કરવાની મંજૂરી આપવામાં આવશે. કારણ સ્પષ્ટ છે, આ વિસ્તારમાં અમૂલ્ય ખનિજ ભંડારો છે. જે આ વિસ્તારના આર્થિક અને ભૂગર્ભીય મહત્વને દર્શાવે છે. ભૂગર્ભશાસ્ત્રીઓ મુજબ અરવલ્લી લગભગ બે અબજ વર્ષ જૂની છે. એટલા માટે આજે તેની પર્વતમાળા મોટા ભાગે ઉચ્ચપ્રદેશ સ્વરૂપમાં જોવા મળે છે, છતાં પણ અહીં 1722 મીટર ઊંચું ગુરુ શિખર આવેલું છે, જે માઉન્ટ આબૂમાં સ્થિત છે.
અરવલ્લી પર્વતમાળા રાજસ્થાનની ઓળખ છે. તેને વિશ્ર્વની સૌથી જૂની પર્વતમાળા માનવામાં આવે છે. તેની કુલ લંબાઈ 692 કિલોમીટર છે, જેમાંથી આશરે 550 કિલોમીટર રાજસ્થાનમાં આવેલું છે. આ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ આબુમાં ગુરુ શિખર છે, જેની ઊંચાઈ 1727 મીટર છે. અરવલ્લી પર્વતમાળા રાજસ્થાનની મોટાભાગની નદીઓનો સ્ત્રોત છે અને રાજ્યના પાણી પુરવઠા માટે મહત્વપૂર્ણ છે. અરવલ્લીની ગોદમાં વસેલું કોટલા વેટલેન્ડ વિસ્તારનું સૌથી મોટું કુદરતી પાણીનું સ્ત્રોત માનવામાં આવે છે. આશરે 5 હજાર એકરમાં ફેલાયેલી આ વિશાળ ઝીલ માત્ર વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનું કામ કરતી નથી, પરંતુ નૂંહ અને આસપાસના ગામો માટે એકમાત્ર મોટું વોટર રિચાર્જ ઝોન પણ છે. ચિંતાની વાત એ છે કે આ વિભાગ સમગ્ર વેટલેન્ડમાંથી ફક્ત 90 એકર વિસ્તારને જ સુરક્ષિત માને છે. આવી સ્થિતિમાં બાકી રહેલો વિસ્તાર નાશ પામવાના ભયમાં છે. આ મુદ્દે પર્યાવરણવિદોએ લગભગ એક વર્ષ પહેલાં એનજીટીમાં અરજી પણ દાખલ કરી હતી, જેના આધારે ટ્રિબ્યુનલએ રાજ્ય સરકારને તપાસના આદેશ આપ્યા છે.

- Advertisement -

અરવલ્લી પર્વતમાળા: સૌથી મોટો વોટર સોર્સ

અરવલ્લી પર્વતમાળામાંથી અનેક મહત્વની નદીઓ નીકળે છે. તેમાં મુખ્ય બનાસ, સાબરમતી અને લૂણી છે. બનાસ યમુનાની સહાયક નદી છે, સાબરમતી ખંભાતની ખાડીમાં મળે છે અને લૂણી કચ્છના રણમાં સમાપ્ત થાય છે. આ ઉપરાંત બેરાચ, વાગલી, વૈગન અને ગંભીરિ જેવી અનેક સહાયક નદીઓ પણ અરવલ્લી માંથી નીકળે છે. રાજસ્થાનમાં નખી તળાવ, સાંભર તળાવ, પિછોલા તળાવ (ઉદયપુર) અને જયસમંદ તળાવ; જ્યારે હરિયાણામાં દમદમા તળાવ, બડખલ તળાવ અને સૂરજકુંડ જેવા તળાવો પણ અરવલ્લીના પાણી પર આધારિત છે. અરવલ્લી પર્વતમાળા જળ સંગ્રહ માટેનો એક અત્યંત મહત્વનો વિસ્તાર છે. જો તેને નષ્ટ થવાથી બચાવવામાં નહીં આવે, તો આ તમામ નદીઓ અને તળાવો સુકાઈ જશે.

100 મીટર સુધીની પર્વતમાળાને પર્વત ન ગણાવીને ત્યાં ખનન કરવાની મંજૂરી આપતી સુપ્રીમ કોર્ટ

- Advertisement -

અરવલ્લી પર્વતમાળાની લંબાઈ 692 કિ.મી. છે, જેમાંથી 550 કિ.મી. રાજસ્થાનમાં

અરવલ્લી બચાવો સિટિઝન મૂવમેન્ટની ટ્રસ્ટી વૈશાલી રાણાએ જણાવ્યું કે, જો હાલ ઝીલનું સંરક્ષણ નહીં થાય તો તે માત્ર ઇતિહાસ બનીને રહી જશે. વર્ષ 1882ના લેન્ડ રેવન્યુ અને હાલના સિંચાઈ વિભાગના રેકોર્ડ મુજબ આ વેટલેન્ડ લગભગ 5 હજાર એકરમાં ફેલાયેલું છે, પરંતુ વિભાગ ફક્ત 90 એકરને જ સુરક્ષિત વિસ્તાર માને છે. બ્રિટિશ કાળના દસ્તાવેજોમાં પણ તેને ગુડગાંવની સૌથી મોટી ઝીલ તરીકે દર્શાવવામાં આવી છે. આ ઝીલ ઉત્તરથી દક્ષિણ તરફ 3 માઈલ લાંબી અને 2.5 માઈલ પહોળી હતી. વરસાદના સમયમાં ઝીલ 20 માઈલ સુધી વિસ્તરતી હતી. આ એક કુદરતી વોટર રિઝર્વોયર હતું, જે આજે પ્રશાસનિક બેદરકારીનો ભોગ બની રહ્યું છે.
જો આ સુંદર અરવલ્લીની લગભગ સાતસો કિલોમીટર લાંબા વિસ્તારને નષ્ટ કરવામાં આવશે તો થાર રણ સમગ્ર રાજસ્થાન, ગુજરાતનો ઉત્તર ભાગ, હરિયાણા, દિલ્હી અને અહીં સુધી કે પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશને પણ પોતાની ચપેટમાં લઈ લેશે. જળ સંગ્રહ કેન્દ્ર નષ્ટ થતાં આ વિસ્તારો ભયંકર દુષ્કાળગ્રસ્ત બની જશે. પરિણામે અજમેર શરીફ, પુષ્કર, ખાટૂ શ્ર્યામજી સાથે સાથે જેસલમેર, જોધપુર, ઉદયપુર અને માઉન્ટ આબૂના દેશી-વિદેશી પર્યટન પર પણ ગંભીર અસર પડશે. ભરતપુરમાં જોવા મળતી જૈવ વૈવિધ્યતા પણ ખતમ થઈ જશે. પહેલેથી જ પ્રદૂષણના ધુમાડાથી હેરાન રાજધાની દિલ્હીનું ભવિષ્ય શું થશે?
અરવલ્લીના વિનાશથી ભારતનું ભૂગોળીય સ્વરૂપ બદલાઈ જશે, જેના કારણે હજારો વર્ષોથી વિકસેલી આપણી સંસ્કૃતિ અને સભ્યતા પણ નષ્ટ થવાની સપાટી પર પહોંચી જશે. આ કહેવામાં કોઈ સંકોચ નથી કે ખાનગીકરણ દ્વારા અગાઉની સરકારોએ ઊભી કરેલી મોટી સંસ્થાઓ જેમ કે શિક્ષણ, આરોગ્ય, રેલવે, હવાઈ મુસાફરી વગેરેના દુ:ખદ પરિણામો હવે સામે આવવા લાગ્યા છે. જંગલો એટલે કે હવા, પાણી અને જમીન પછી હવે અરવલ્લી પર્વતમાળા સંબંધિત આ નિર્ણય સૌથી વધુ ખતરનાક સાબિત થવાનો છે.

કોર્ટના નિર્ણયથી અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા બદલાઈ ગઈ

20 નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટની બેન્ચે ભારતની સૌથી જૂની પર્વતમાળા, અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા પર એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. જેમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (ખજ્ઞઊઋઈઈ)ના નેતૃત્વ હેઠળની સમિતિની ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો. કોર્ટના નિર્ણયથી અરવલ્લી પર્વતમાળાઓની નવી વ્યાખ્યા 100 મીટરની ઊંચાઈ મર્યાદા સુધી મર્યાદિત થઈ ગઈ, 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓ પર્વત શ્રેણીની વ્યાખ્યાની બહાર રહી ગઈ, જેનાથી મોટા પાયે ખાણકામને મંજૂરી મળશે. હવે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓ અરવલ્લી પર્વતમાળાનો ભાગ ગણાશે નહીં એટલે તેમાં ખનન કરી શકાશે એવું કહેવાય છે.

સોશિયલ મીડિયામાં અરવલ્લી બચાવ અભિયાન શરૂ

રાજસ્થાનના નાથદ્વારાની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જીગીશા જોશી, જે મેવાડી બાઈ તરીકે જાણીતી છે તેણે અરવલ્લી પર્વતમાળા વિશે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકોનો ટેકો મેળવી રહ્યો છે. આ વીડિયોએ અરવલ્લી વિવાદને ફરીથી ચર્ચામાં લાવ્યો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ પર્યાવરણ માટે ખતરનાક ગણાવી અને ‘અરવલ્લી કો બચાઓ’ અભિયાનને ટેકો આપ્યો. દરમિયાન સોશિયલ મીડિયા પર જાહેર અને પર્યાવરણીય કાર્યકરો બંને સક્રિયપણે અરવલ્લીઓના રક્ષણની માંગ કરી રહ્યા છે.

You Might Also Like

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ રૂ.39.63 કરોડના ખર્ચે 43 કામને મંજૂરી આપી

જન્માષ્ટમી મહોત્સવની થીમનું અપૂર્વમુની સ્વામીના હસ્તે અનાવરણ : સુદર્શન ચક્રધારી કા સંદેશ, નશા મુક્ત રહે સારા દેશ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એશિઝ: જોફ્રા આર્ચર સાથે બેન સ્ટોક્સનું ગરમાગરમ વિનિમય વાયરલ થયું: સ્ટમ્પ પર ફક્ત બોલ કરો
Next Article અરવલ્લી પર્વતમાળામાં ખનન મામલે સરકાર, ન્યાયાલય અને વિપક્ષ આમને-સામને, પ્રકૃતિ પ્રેમીઓથી લઈ પર્યાવરણવિદ્દ વિપક્ષની સાથે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?