By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    તોશાખાના 2 કેસમાં પૂર્વ પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની સજા
    1 day ago
    જાપાનમાં વ્યાજદરનો 30 વર્ષનો રેકોર્ડ તૂટતાં તમામ શેરબજારોમાં થશે અસર
    2 days ago
    નોર્થ કેરોલિના એરપોર્ટ નજીક ખાનગી જેટ ક્રેશ થતાં NASCAR લિજેન્ડ ગ્રેગ બિફલ અને તેના પરિવારનું મોત
    2 days ago
    ઓસ્માન હાદીના મૃત્યુ પછી બાંગ્લાદેશમાં વિરોધ ફાટી નીકળ્યો
    2 days ago
    10 મહિનામાં 8 યુદ્ધો સમાપ્ત: ટ્રમ્પ ફરીથી તેના પર, મનપસંદ શબ્દ ‘ટેરિફ’નો શ્રેય
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં રાજધાની એક્સપ્રેસની અડફેટે આવતાં 7 હાથી કપાયા: એક બચ્ચું ઘાયલ
    1 day ago
    આણંદ જિલ્લાના તારાપુરના રીંઝા ખાતે સાબરમતી નદી પર રૂ. 110 કરોડનો પુલ બનશે
    1 day ago
    પવન કલ્યાણ, પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિન્દુ કાર્યકરની લિંચિંગની નિંદા કરી
    1 day ago
    GSRTCની નવી પહેલ : હવે ટ્રેનની જેમ જઝ બસમાં પણ જમવાનું ઑનલાઇન મગાવી શકાશે
    2 days ago
    દિલ્હીમાં છઠ્ઠા દિવસે પણ હવા ઝેરી, AQI 387
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાતમાં સુર્યકુમાર કેપ્ટન, અક્ષર પટેલ વાઇસ કેપ્ટન
    1 day ago
    સુર્યકુમાર યાદવનું મોટું નિવેદન: ‘ખોવાઈ ગયો છે પણ કમબેક મજબૂત હશે..’
    1 day ago
    એશિઝ: જોફ્રા આર્ચર સાથે બેન સ્ટોક્સનું ગરમાગરમ વિનિમય વાયરલ થયું: સ્ટમ્પ પર ફક્ત બોલ કરો
    2 days ago
    ઝારખંડ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતીને જંગી સિદ્ધિ હાંસલ કરનાર ઈશાન કિશન પહેલો ભારતીય ક્રિકેટર બન્યો
    2 days ago
    લખનૌ T20I ધુમ્મસને કારણે ત્યજી દેવાયું, ચાહકોએ લાગણીઓ વધારે હોવાથી BCCI શેડ્યૂલ પર પ્રશ્ન કર્યો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    3 days ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 week ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 week ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 weeks ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અરવલ્લી પર્વતમાળાનો વિનાશ ભારતને રેગિસ્તાન બનાવી દેશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અરવલ્લી પર્વતમાળાનો વિનાશ ભારતને રેગિસ્તાન બનાવી દેશે
રાજકોટ

અરવલ્લી પર્વતમાળાનો વિનાશ ભારતને રેગિસ્તાન બનાવી દેશે

Khaskhabar Editor
Last updated: 2025/12/19 at 3:22 PM
Khaskhabar Editor 2 days ago
Share
6 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

આપણે બાળપણથી વાંચતા આવ્યા છીએ કે જળ, જંગલ અને જમીન પ્રકૃતિ તરફથી મળેલા નિ:શુલ્ક ઉપહાર છે. પરંતુ આજે પાણી વેચાઈ રહ્યું છે, જંગલો કપાઈ રહ્યા છે અને ત્યાં રહેતા પ્રાણીઓ તથા માનવોને ઉખેડી ફેંકવામાં આવી રહ્યા છે. આ બાબતનો સોથી મોટો પુરાવો એ છે કે હાલ પ્રાપ્ત જાણકારી અનુસાર અરવલ્લીની 100 મીટર સુધીની પર્વતમાળાને પર્વત ન ગણાવીને ત્યાં ખનન કરવાની મંજૂરી આપવામાં આવશે. કારણ સ્પષ્ટ છે, આ વિસ્તારમાં અમૂલ્ય ખનિજ ભંડારો છે. જે આ વિસ્તારના આર્થિક અને ભૂગર્ભીય મહત્વને દર્શાવે છે. ભૂગર્ભશાસ્ત્રીઓ મુજબ અરવલ્લી લગભગ બે અબજ વર્ષ જૂની છે. એટલા માટે આજે તેની પર્વતમાળા મોટા ભાગે ઉચ્ચપ્રદેશ સ્વરૂપમાં જોવા મળે છે, છતાં પણ અહીં 1722 મીટર ઊંચું ગુરુ શિખર આવેલું છે, જે માઉન્ટ આબૂમાં સ્થિત છે.
અરવલ્લી પર્વતમાળા રાજસ્થાનની ઓળખ છે. તેને વિશ્ર્વની સૌથી જૂની પર્વતમાળા માનવામાં આવે છે. તેની કુલ લંબાઈ 692 કિલોમીટર છે, જેમાંથી આશરે 550 કિલોમીટર રાજસ્થાનમાં આવેલું છે. આ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ આબુમાં ગુરુ શિખર છે, જેની ઊંચાઈ 1727 મીટર છે. અરવલ્લી પર્વતમાળા રાજસ્થાનની મોટાભાગની નદીઓનો સ્ત્રોત છે અને રાજ્યના પાણી પુરવઠા માટે મહત્વપૂર્ણ છે. અરવલ્લીની ગોદમાં વસેલું કોટલા વેટલેન્ડ વિસ્તારનું સૌથી મોટું કુદરતી પાણીનું સ્ત્રોત માનવામાં આવે છે. આશરે 5 હજાર એકરમાં ફેલાયેલી આ વિશાળ ઝીલ માત્ર વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનું કામ કરતી નથી, પરંતુ નૂંહ અને આસપાસના ગામો માટે એકમાત્ર મોટું વોટર રિચાર્જ ઝોન પણ છે. ચિંતાની વાત એ છે કે આ વિભાગ સમગ્ર વેટલેન્ડમાંથી ફક્ત 90 એકર વિસ્તારને જ સુરક્ષિત માને છે. આવી સ્થિતિમાં બાકી રહેલો વિસ્તાર નાશ પામવાના ભયમાં છે. આ મુદ્દે પર્યાવરણવિદોએ લગભગ એક વર્ષ પહેલાં એનજીટીમાં અરજી પણ દાખલ કરી હતી, જેના આધારે ટ્રિબ્યુનલએ રાજ્ય સરકારને તપાસના આદેશ આપ્યા છે.

- Advertisement -

અરવલ્લી પર્વતમાળા: સૌથી મોટો વોટર સોર્સ

અરવલ્લી પર્વતમાળામાંથી અનેક મહત્વની નદીઓ નીકળે છે. તેમાં મુખ્ય બનાસ, સાબરમતી અને લૂણી છે. બનાસ યમુનાની સહાયક નદી છે, સાબરમતી ખંભાતની ખાડીમાં મળે છે અને લૂણી કચ્છના રણમાં સમાપ્ત થાય છે. આ ઉપરાંત બેરાચ, વાગલી, વૈગન અને ગંભીરિ જેવી અનેક સહાયક નદીઓ પણ અરવલ્લી માંથી નીકળે છે. રાજસ્થાનમાં નખી તળાવ, સાંભર તળાવ, પિછોલા તળાવ (ઉદયપુર) અને જયસમંદ તળાવ; જ્યારે હરિયાણામાં દમદમા તળાવ, બડખલ તળાવ અને સૂરજકુંડ જેવા તળાવો પણ અરવલ્લીના પાણી પર આધારિત છે. અરવલ્લી પર્વતમાળા જળ સંગ્રહ માટેનો એક અત્યંત મહત્વનો વિસ્તાર છે. જો તેને નષ્ટ થવાથી બચાવવામાં નહીં આવે, તો આ તમામ નદીઓ અને તળાવો સુકાઈ જશે.

100 મીટર સુધીની પર્વતમાળાને પર્વત ન ગણાવીને ત્યાં ખનન કરવાની મંજૂરી આપતી સુપ્રીમ કોર્ટ

- Advertisement -

અરવલ્લી પર્વતમાળાની લંબાઈ 692 કિ.મી. છે, જેમાંથી 550 કિ.મી. રાજસ્થાનમાં

અરવલ્લી બચાવો સિટિઝન મૂવમેન્ટની ટ્રસ્ટી વૈશાલી રાણાએ જણાવ્યું કે, જો હાલ ઝીલનું સંરક્ષણ નહીં થાય તો તે માત્ર ઇતિહાસ બનીને રહી જશે. વર્ષ 1882ના લેન્ડ રેવન્યુ અને હાલના સિંચાઈ વિભાગના રેકોર્ડ મુજબ આ વેટલેન્ડ લગભગ 5 હજાર એકરમાં ફેલાયેલું છે, પરંતુ વિભાગ ફક્ત 90 એકરને જ સુરક્ષિત વિસ્તાર માને છે. બ્રિટિશ કાળના દસ્તાવેજોમાં પણ તેને ગુડગાંવની સૌથી મોટી ઝીલ તરીકે દર્શાવવામાં આવી છે. આ ઝીલ ઉત્તરથી દક્ષિણ તરફ 3 માઈલ લાંબી અને 2.5 માઈલ પહોળી હતી. વરસાદના સમયમાં ઝીલ 20 માઈલ સુધી વિસ્તરતી હતી. આ એક કુદરતી વોટર રિઝર્વોયર હતું, જે આજે પ્રશાસનિક બેદરકારીનો ભોગ બની રહ્યું છે.
જો આ સુંદર અરવલ્લીની લગભગ સાતસો કિલોમીટર લાંબા વિસ્તારને નષ્ટ કરવામાં આવશે તો થાર રણ સમગ્ર રાજસ્થાન, ગુજરાતનો ઉત્તર ભાગ, હરિયાણા, દિલ્હી અને અહીં સુધી કે પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશને પણ પોતાની ચપેટમાં લઈ લેશે. જળ સંગ્રહ કેન્દ્ર નષ્ટ થતાં આ વિસ્તારો ભયંકર દુષ્કાળગ્રસ્ત બની જશે. પરિણામે અજમેર શરીફ, પુષ્કર, ખાટૂ શ્ર્યામજી સાથે સાથે જેસલમેર, જોધપુર, ઉદયપુર અને માઉન્ટ આબૂના દેશી-વિદેશી પર્યટન પર પણ ગંભીર અસર પડશે. ભરતપુરમાં જોવા મળતી જૈવ વૈવિધ્યતા પણ ખતમ થઈ જશે. પહેલેથી જ પ્રદૂષણના ધુમાડાથી હેરાન રાજધાની દિલ્હીનું ભવિષ્ય શું થશે?
અરવલ્લીના વિનાશથી ભારતનું ભૂગોળીય સ્વરૂપ બદલાઈ જશે, જેના કારણે હજારો વર્ષોથી વિકસેલી આપણી સંસ્કૃતિ અને સભ્યતા પણ નષ્ટ થવાની સપાટી પર પહોંચી જશે. આ કહેવામાં કોઈ સંકોચ નથી કે ખાનગીકરણ દ્વારા અગાઉની સરકારોએ ઊભી કરેલી મોટી સંસ્થાઓ જેમ કે શિક્ષણ, આરોગ્ય, રેલવે, હવાઈ મુસાફરી વગેરેના દુ:ખદ પરિણામો હવે સામે આવવા લાગ્યા છે. જંગલો એટલે કે હવા, પાણી અને જમીન પછી હવે અરવલ્લી પર્વતમાળા સંબંધિત આ નિર્ણય સૌથી વધુ ખતરનાક સાબિત થવાનો છે.

કોર્ટના નિર્ણયથી અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા બદલાઈ ગઈ

20 નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટની બેન્ચે ભારતની સૌથી જૂની પર્વતમાળા, અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા પર એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. જેમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (ખજ્ઞઊઋઈઈ)ના નેતૃત્વ હેઠળની સમિતિની ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો. કોર્ટના નિર્ણયથી અરવલ્લી પર્વતમાળાઓની નવી વ્યાખ્યા 100 મીટરની ઊંચાઈ મર્યાદા સુધી મર્યાદિત થઈ ગઈ, 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓ પર્વત શ્રેણીની વ્યાખ્યાની બહાર રહી ગઈ, જેનાથી મોટા પાયે ખાણકામને મંજૂરી મળશે. હવે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓ અરવલ્લી પર્વતમાળાનો ભાગ ગણાશે નહીં એટલે તેમાં ખનન કરી શકાશે એવું કહેવાય છે.

સોશિયલ મીડિયામાં અરવલ્લી બચાવ અભિયાન શરૂ

રાજસ્થાનના નાથદ્વારાની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જીગીશા જોશી, જે મેવાડી બાઈ તરીકે જાણીતી છે તેણે અરવલ્લી પર્વતમાળા વિશે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકોનો ટેકો મેળવી રહ્યો છે. આ વીડિયોએ અરવલ્લી વિવાદને ફરીથી ચર્ચામાં લાવ્યો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ પર્યાવરણ માટે ખતરનાક ગણાવી અને ‘અરવલ્લી કો બચાઓ’ અભિયાનને ટેકો આપ્યો. દરમિયાન સોશિયલ મીડિયા પર જાહેર અને પર્યાવરણીય કાર્યકરો બંને સક્રિયપણે અરવલ્લીઓના રક્ષણની માંગ કરી રહ્યા છે.

You Might Also Like

જઈંછની મતદારયાદીની પ્રસિદ્ધિ રાજકોટ જિલ્લામાં 20.55 લાખ મતદારો, 3.35 લાખ નામ રદ

રોજ 50 હજાર વાહનોની અવરજવર વચ્ચે માલિયાસણ ટોલનાકું બનશે ટ્રાફિકનું કેન્દ્ર

પાળિયાદ વિહળધામ: ભારતમાં એકમાત્ર એવું સ્થાન જ્યાં વર્ષની તમામ 12 અમાસે ભરાય છે મેળો

રંગીલા રાજકોટમાં રફી સાહેબના 100મા જન્મદિવસની ઐતિહાસિક ઉજવણી: હેમુભાઈ ગઢવી હોલ ‘હાઉસફુલ’

રાજકોટ: ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ વચ્ચે જલ સંરક્ષણ માટે MoU

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એશિઝ: જોફ્રા આર્ચર સાથે બેન સ્ટોક્સનું ગરમાગરમ વિનિમય વાયરલ થયું: સ્ટમ્પ પર ફક્ત બોલ કરો
Next Article અરવલ્લી પર્વતમાળામાં ખનન મામલે સરકાર, ન્યાયાલય અને વિપક્ષ આમને-સામને, પ્રકૃતિ પ્રેમીઓથી લઈ પર્યાવરણવિદ્દ વિપક્ષની સાથે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Hemadri Acharya Dave

અરાવલ્લી વ્યાખ્યા બદલાઈ, અને વિનાશનો રસ્તો ખુલ્યો!

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ગોઝારી ઘટનાઓ બ્લેક સ્વાન ઇવેન્ટસ
માનવ મસ્તિષ્ક કવોન્ટમ એનર્જી સેન્ટર
ભક્તિના સરનામાં ભલે અલગ હોય, પરંતુ ગંતવ્ય સ્થાન તો એક જ છે
જીવનની પ્રાથમિકતાઓ નક્કી કરીએ!
ગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા (જઈંછ) કાર્યક્રમ અંતર્ગત મુસદ્દા મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ જાહેર કરાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જઈંછની મતદારયાદીની પ્રસિદ્ધિ રાજકોટ જિલ્લામાં 20.55 લાખ મતદારો, 3.35 લાખ નામ રદ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

રોજ 50 હજાર વાહનોની અવરજવર વચ્ચે માલિયાસણ ટોલનાકું બનશે ટ્રાફિકનું કેન્દ્ર

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

પાળિયાદ વિહળધામ: ભારતમાં એકમાત્ર એવું સ્થાન જ્યાં વર્ષની તમામ 12 અમાસે ભરાય છે મેળો

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?