2021 થી 2023 સુધીના હવાની ગુણવત્તાના ડેટાનું વિશ્લેષણ કરતા સંશોધકોએ અભ્યાસમાં જણાવ્યું હતું કે રાજધાનીમાં સૂક્ષ્મ રજકણોની સાંદ્રતા રાષ્ટ્રીય મર્યાદા કરતા અઢી ગણી વધારે હતી.
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવનારો દિલ્હીનો લાલ કિલ્લો હાલ કાળો પડી રહ્યો છે. તેની લાલ દિવાલો હવે કાળી થઈ રહી છે. 15 સપ્ટેમ્બર, 2025 ના રોજ પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે દિલ્હીની ઝેરી હવા લાલ કિલ્લાને કાળી બનાવી રહી છે. ‘કેરેક્ટરાઈઝેશન ઓફ રેડ સેન્ડસ્ટોન એન્ડ બ્લેક ક્રસ્ટ ટુ એનાલાઈઝ એર પોલ્યુશન ઈમ્પેક્ટ્સ ઓન અ કલ્ચરલ હેરિટેજ બિલ્ડિંગઃ રેડ ફોર્ટ, દિલ્હી, ઈન્ડિયા’ શીર્ષક હેઠળ રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જાણવા મળ્યું છે કે, વાયુ પ્રદૂષણના કારણે આ સ્મારકને નુકસાન થઈ રહ્યું છે.
- Advertisement -
લાલ કિલ્લાનો ઈતિહાસ અને વર્તમાન સમસ્યા
લાલ કિલ્લો 1639માં શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેનું બાંધકામ 1648માં પૂર્ણ થયું હતું. તેનું નામ લાલ વિંધ્ય રેતીના પથ્થર પરથી આવ્યું છે, જે તેની વિશાળ દિવાલો (20-23 મીટર ઊંચી અને 14 મીટર જાડી) અને મહેલોનો આધાર છે. 1 ચોરસ વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા લાલ કિલ્લો તે 2.4 કિલોમીટર દિવાલોથી ઘેરાયેલું છે. 2007માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ પ્લેસ તરીકે જાહેર કર્યું હતું. પરંતુ આજે તેની દિવાલો પર કાળા પડ (કાળા પોપડા) બની રહ્યા છે. આ પોપડા આશ્રય વિસ્તારોમાં 0.05 મીમી પાતળા અને ટ્રાફિક વિસ્તારોમાં 0.5 મીમી જાડા છે. આ કિલ્લાની સૌંદર્યલક્ષી અને માળખાકીય અખંડિતતાને જોખમમાં મૂકે છે. 2018માં, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ2 મીટર જાડો કાળો થર દૂર કર્યો હતો. પરંતુ પ્રદૂષણ આ સમસ્યામાં વધારો કરી રહ્યું છે.
પ્રદૂષણથી સાંસ્કૃતિક વારસાને થઈ રહ્યું છે નુકસાન
- Advertisement -
ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા ઇટાલીના વિદેશ મંત્રાલયના સહયોગથી હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, પ્રદુષણના કારણે લાલ કિલ્લો કાળો પડી રહ્યો છે. આ અહેવાલ તૈયાર કરવામાં IIT રૂરકી, IIT કાનપુર, ફોસ્કરી યુનિવર્સિટી (વેનિસ) અને ASIના વૈજ્ઞાનિકોએ સહયોગ આપ્યો હતો. સંશોધકોએ કિલ્લાના વિવિધ ભાગો (જેમ કે ઝફર મહેલ) માંથી લાલ રેતીના પથ્થર અને કાળા પોપડાના નમૂના લીધા હતા. તેનું પ્રયોગશાળા પરીક્ષણ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
દિલ્હીમાં PM2.5, PM10 અને NO2 નું સ્તર રાષ્ટ્રીય ધોરણો (NAAQS) કરતા 2.5 ગણું વધુ છે. આના કારણે કિલ્લાની દિવાલો પર કાળા પોપડા પડી રહ્યા છે. અભ્યાસના મુખ્ય લેખક ગૌરવ કુમારે જણાવ્યું હતું કે પ્રદૂષણથી સાંસ્કૃતિક વારસાને થતા નુકસાનનો આ પહેલો વૈજ્ઞાનિક અભ્યાસ છે. જૂન 2025માં ‘હેરિટેજ’ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસ શહેરી પ્રદૂષણની અસર પર પ્રકાશ પાડે છે. લાલ કિલ્લાની દિવાલો લાલ રેતીના પથ્થરથી બનેલી છે, જે મુખ્યત્વે સિલિકા (ક્વાર્ટઝ) અને આયર્ન ઓક્સાઇડથી બનેલી છે. આયર્ન ઓક્સાઇડ તેને લાલ રંગ આપે છે. પરંતુ દિલ્હીની ઝેરી હવા આ પથ્થરને નુકસાન પહોંચાડી રહી છે.
ભારે ધાતુઓની અસર: અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કાળા પોપડામાં ટાઇટેનિયમ, નિકલ, તાંબુ, જસત, બેરિયમ અને સીસું જેવી ભારે ધાતુઓ ખૂબ જ વધુ હોય છે. જે બાંધકામ પ્રવૃત્તિઓ, રસ્તાની ધૂળ અને ફેક્ટરીના ઉત્સર્જનમાંથી આવે છે. આ ધાતુઓ પથ્થરની સપાટી પર મજબૂત કાળો પડ બનાવે છે. દિવાલોને નબળી પાડે છે. ઉદાહરણ તરીકે, સીસું અને તાંબુ ઓક્સિડેશનથી કાળી ચમક ઉત્પન્ન કરે છે.
વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો પૈકી એક
દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો પૈકી એક છે. શિયાળામાં ધુમ્મસને કારણે PM સ્તર 10 ગણું વધે છે. ચાંદની ચોક અને કિલ્લાની આસપાસ જૂની દિલ્હીમાં ટ્રાફિક અને બાંધકામમાં વધુ પ્રદૂષણ થાય છે. અભ્યાસમાં CPCB ડેટાને જોડવામાં આવ્યો છે કે 2021-2023માં NO2 અને PM સ્તર ધોરણોથી ઉપર હતા, જે જીપ્સમ પોપડાનું મુખ્ય કારણ છે.




