ટ્રમ્પે આદેશ પર હસ્તાક્ષર કર્યા: ભારતની 39 હજાર કરોડ રૂપિયાની નિકાસને અસર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.04
અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર આજથી 50% ટેરિફ લાગુ થઈ ગયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સંબંધિત આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. જોકે, તેમણે બ્રિટનને આ ટેરિફમાંથી બાકાત રાખ્યું છે. તેના પર પહેલાની જેમ જ 25% ટેરિફ લાગુ પડશે, કારણ કે અમેરિકા અને બ્રિટન વચ્ચે વેપાર કરાર પર વાટાઘાટો પહેલાથી જ ચાલી રહી છે.
30 મેના રોજ, ટ્રમ્પે 1962ના યુએસ ટ્રેડ એક્સપાન્શન એક્ટની કલમ 232 હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓનો ઉલ્લેખ કરીને સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પરના હાલના ટેરિફ 25% થી વધારીને 50% કરવાની જાહેરાત કરી. આ કાયદા હેઠળ, જો કોઈપણ પ્રકારની આયાત રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરે તો યુએસ રાષ્ટ્રપતિને વેપાર પ્રતિબંધો લાદવાનો અધિકાર છે.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI ) ના એક નવા વિશ્લેષણ અહેવાલ મુજબ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર ટ્રમ્પ દ્વારા આગામી ટેરિફ વધારાથી ભારતીય ધાતુની નિકાસ પર 4.56 બિલિયન (રૂ. 39,000 કરોડ) અસર થવાની શક્યતા છે.
- Advertisement -
યુએસ બજારમાં ભારતીય ઉત્પાદકો અને નિકાસકારો માટે ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની ધારણા છે, જે તેમની સ્પર્ધાત્મકતા પર અસર કરી શકે છે. GTRI એ કહ્યું, ’ટેરિફમાં વધારાનો સીધો પ્રભાવ ભારત પર પડશે. નાણાકીય વર્ષ 2025માં ભારતે અમેરિકાને 4.56 બિલિયનના મૂલ્યના લોખંડ, સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનોની નિકાસ કરી હતી.’ ભારતના ધાતુ ક્ષેત્ર માટે અમેરિકા એક મુખ્ય બજાર છે. નાણાકીય વર્ષ 25 માં નિકાસમાં 587.5 મિલિયનનું લોખંડ અને સ્ટીલ, 3.1 બિલિયનના મૂલ્યના લોખંડ અને સ્ટીલ ઉત્પાદનો અને 860 મિલિયનના મૂલ્યના એલ્યુમિનિયમ અને સંબંધિત વસ્તુઓનો સમાવેશ થાય છે.
GTRI રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે આ શ્રેણીઓ પર ટેરિફ વધારવાથી અમેરિકામાં ભારતના બજાર હિસ્સા અને નફાકારકતાને પડકાર મળશે. GTRI એ કહ્યું, ’આ નિર્ણય ટ્રમ્પ વહીવટીતંત્રની પર્યાવરણીય સંરક્ષણ કરતાં આર્થિક રાષ્ટ્રવાદની પ્રાથમિકતાને પ્રતિબિંબિત કરે છે.’ ૠઝછઈં એ એમ પણ કહ્યું કે તે વૈશ્વિક આબોહવા લક્ષ્યો અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ પ્રત્યે અમેરિકાની પ્રતિબદ્ધતા પર પણ પ્રશ્ર્નો ઉભા કરે છે.
યુએસ સ્ટીલનો ભાવ પ્રતિ ટન રૂ. 1 લાખ થઈ શકે છે
GTRI ના મતે, તાજેતરના ટેરિફ વધારાથી યુએસ સ્ટીલના ભાવ 1,180 અથવા લગભગ રૂ. 1 લાખ પ્રતિ ટનથી ઉપર જઈ શકે છે, જે ઓટોમોટિવ, બાંધકામ અને ઉત્પાદન જેવા મુખ્ય ક્ષેત્રોને અસર કરશે. ભારતે ટેરિફ વધારા અંગે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ઠઝઘ) ને સૂચના ફાઇલ કરી છે અને વધારાના પ્રતિભાવ પગલાંની શોધ કરી રહ્યું છે. ૠઝછઈં એ અમેરિકાના આ પગલાની પર્યાવરણીય અસર અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. થિંક ટેન્કે જણાવ્યું હતું કે, ’સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદન વૈશ્વિક સ્તરે કાર્બન ઉત્સર્જનનું કારણ બને છે. જ્યારે અન્ય દેશો પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન પદ્ધતિઓમાં રોકાણ કરે છે, ત્યારે અમેરિકાની નીતિમાં પર્યાવરણીય વિચારણાઓનો અભાવ છે.’