જૂનાગઢ, તાલાલાના 23 તબીબોએ આપી વિના મૂલ્યે સેવા
ગિર બોર્ડરના ગામોમાં ‘સહ-અસ્તીત્વ દ્વારા વન્યજીવ સંરક્ષણ’ સેમિનાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.9
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધણેજ બાકુલા ગામ ખાતે ગીર પશ્ચિમ વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ 2024 અનુલક્ષીને જિલ્લા કક્ષાનો વન્યપ્રાણી અવર-જવર ધરાવતાં ગીર બોર્ડરના ગામોમાં “સહ-અસ્તીત્વ દ્વારા વન્યજીવ સંરક્ષણ” બાબતે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર સહિત તાલાલા તાલુકાના ધણેજ(બાકુલા), જેપુર, ઉમરેઠી તથા માળીયા હાટીના તાલુકાના જલંધર, લાડુડી સહિતના ગામોના લોકોની ઉપસ્થિતમાં વન્યપ્રાણી સહ- અસ્તીત્વ બાબતે જાહેરજનતા સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો તેમજ વન્યપ્રાણી સંરક્ષણ બાબતેની ડોકયુમેન્ટ્રી પ્રદર્શન દેખાડવામાં આવ્યું હતું.
આ સેમીનાર બાદ “”Wildlife conservation through Co-existing” ની થીમ અનુસાર ગીર પશ્ચિમ વિભાગ, જૂનાગઢ, રોટરી કલ્બ જૂનાગઢ તથા એલપીએસના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. ચિરાગ સાકરીયા, ઓરલ રીહેબલીલેટી એન્કોલોજી, ડો. પ્રવિણ દુધાત, ગાયકનોલોજીસ્ટ, ડો. અક્ષય હડીયલ, ગાયકનોલોજીસ્ટ, ડો. નિકુંજ હુંમર, હાડકા તથા સાંધાના નિષ્ણાંત, ડો. મૌલિક ભાલડીયા, હાડકા તથા સાંધાના નિષ્ણાંત, ડો. ધ્રુવિત વોરા, ઘુંટણ તથા સાંધાના નિષ્ણાંત, ડો. આકાશ પટોળીયા, ક્રિટીકલ કેર સુપર સ્પેશીયાલીસ્ટ, ર્ડા. રાહુલ હુંબલ, એમ.ડી. (ઇમરજન્સી મેડીસીન), ડો. જતીન સોલંકી, જનરલ એન્ડ લેપ્રોસ્કોપી સર્જન, ડો. જીજ્ઞેશ રામાણી, જનરલ એન્ડ લેપ્રોસ્કોપી સર્જન, ડો. વત્સલ ગોંડલીયા, કાન, નાક, ગળાના નિષ્ણાંત, ડો. આશા પટોળીયા, ક્ધસ્ટન્ટ પેથોલોજીસ્ટ, ડો.ભવ્યા ટીલાળા, ક્ધસ્ટન્ટ પેથોલોજીસ, ડો. શ્રધ્ધા સાકરીયા, દાંતના સર્જન, ડો. જય રાઠોડ, આંખના નિષ્ણાંત, ડો. કૃણાલસિંહ ગોહીલ, બાળરોગના નિષ્ણાંત, ડો. શિવમ કાલરીયા, દાંતના નિષ્ણાંત, ડો. જનક ભલાણી, એનેસ્થેસ્યોલોજીસ્ટ, ડો. ચિરાગ પાનસુરીયા, ન્યુરો ફીઝીયોથેરાપીસ્ટ, ડો. શ્રૃતિ ગાજીપરા, ફીઝીયોથેરાપીસ્ટ, ડો. કૃપાલી જોષી, મેડીકલ ઓફિસર, ડો.જલ્પા વાજા, મેડીકલ ઓફિસર, ડો.રીઘી ભટ્ટી, મેડીકલ ઓફિસર સહિત કુલ- 23 જેટલા ખ્યાતનામ ડોકટરશ્રીઓ દ્વારા ફ્રી નિદાન સેવા આપી હતી.