અગલે બરસ તુ જલદી આ…ના નાદ સાથે દુંદાળાદેવને વિદાય
વિસર્જન સ્થળે રેસ્ક્યૂ ટીમ તૈનાત, આજીડેમ, વગુદળ પાટિયા, ન્યારા પાટીયા પાસે ભીડ ઉમટી વિસર્જન સ્થળે રેસ્ક્યૂ ટીમ તૈનાત, 1654 પોલીસનો બંદોબસ્ત ખડેપગે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં 10 દિવસ સુધી ગણેશ પૂજન કર્યા બાદ આજે ભક્તોએ બાપ્પાને ભાવભેર વિદાય આપી હતી. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અણબનાવ ન બને તે માટે મહાનગરપાલિકા અને પોલીસ તંત્રએ પૂરતી તૈયારી રાખી છે. આજે કુલ 7 સ્થળે ગણેશ વિસર્જન કરી શકાશે. તેમજ 1654 પોલીસ બંદોબસ્તમાં રહેશે. જ્યારે વિસર્જન સ્થળે રેસ્ક્યૂ ટીમ ક્રેન, લાઇટિંગ સહિતની સુવિધા માટે ખડેપગે તૈનાત છે. જ્યાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 950 પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. રાજકોટનમાં વિસર્જન ત્રણ કલરમાં વેચવામાં આવ્યા છે. જેમાં રેડ કલર-આજીડેમ કિશાન ગૌશાળા પાસે, ઓરેન્જ કલર -પાળગામ ઝખરાપીર દરગાહ પાસે મવડી ગામથી આગળ, ગ્રીન કલર – વગુદળ પાટિયા પછી પુલ નીચે અને જામનગર રોડ ન્યારા રોડ ન્યારા પાટિયા પાસે ખાણમાં કલર કોડ મુજબ જ દરેક ગણપતિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ગણેશ વિસર્જનનો અવસર શાંતિપૂર્ણ માહોલમાં સુચારુપણે સંપન્ન થાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વધારે પડતી ભીડ એકઠી ન થાય તે માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દર વર્ષે ગણેશ વિસર્જન સમયે નદી-તળાવોમાં ડુબવાની ઘટનાઓ પણ ઘણી સામે આવતી હોય છે. ત્યારે આ વર્ષે આવી ઘટનાઓને ટાળી શકાય તે માટે પણ આ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે.
10 દી’માં 100 કરોડનું ટર્નઓવર, રાજકોટમાં 500 પંડાલ, હજારો ઘરોમાં મૂર્તિનું સ્થાપન કરાયું
- Advertisement -
આ વર્ષે વિઘ્નહર્તાના સ્વાગતમાં રાજકોટના માર્ગો પર ઉમંગ અને ઉત્સાહનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. કોરોનાએ બે વર્ષથી બ્રેક લગાવી હતી, જમયારે હવે ફરી દરેક તહેવારની ઉજવણી શરૂ થઈ ગઈ છે. રસ્તા પર અને મંડળો- સોસાયટીઓએ બાપાને વધાવવામાં કોઈ પ્રકારની કસર છોડી નથી. સાતમ-આઠમના મેળામાં લોકોએ મન ભરી પૈસા ખર્ચ્યા હતા, જેને પગલે 5 દિવસમાં અંદાજિત રૂ.25 કરોડનું ટર્નઓવર થયું હતું. હવે ગણેશોત્સવમાં પણ રાજકોટિયન્સે દિલથી પૈસા ખર્ચ્યા છે. છેલ્લા દસ દિવસમાં આશરેમાં 100 કરોડનું ટર્નઓવર થયું હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.
વિસર્જન શબ્દનો અર્થ પાણીમાં વિલીન થવું
વિસર્જન સંસ્કૃત ભાષાનો શબ્દ છે, જેનો અર્થ પાણીમાં વિલીન થવું થાય છે. આ સન્માન સૂચક પ્રક્રિયા છે એટલે ઘરમાં પૂજા માટે પ્રયોગમાં લેવામાં આવેલી મૂર્તિઓને વિસર્જિત કરીને તેમને સન્માન આપવામાં આવે છે. વિસર્જનની ક્રિયામાં મૂર્તિ પંચતત્વમાં સમાહિત થઇ જાય છે અને દેવી-દેવતાઓ પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે.
આટલી જગ્યા પર ગણેશ વિસર્જન
– આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં. – 1
– આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં. – 2
– આજી ડેમ ઓવરફ્લો ચેક ડેમ
– પાળ ગામ, જખરા પીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ
– ન્યારાના પાટીયા પાસે ન્યારા રોડ, ખાણમા જામનગર રોડ
– એચ.પી.ના પેટ્રોલ પમ્પ સામે, રવિવારી બજાર વાળુ ગ્રાઉન્ડ
-આજી ડેમ પાસે