સ્ટેટ ઓફ ઈમોશનલ વેલબીઈંગ નામનાં રિપોર્ટમાં આ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો
87 ટકા લોકોમાં કાઉન્સેલિંગ લેતાં પહેલાં ડિપ્રેશનના લક્ષણો જોવા મળ્યાં હતાં
- Advertisement -
91 ટકા યુવા કાર્યકરોમાં ચિંતા અને હતાશાના લક્ષણો જોવા મળ્યાં હતાં
53 ટકા લોકોમાં કાઉન્સિલિંગથી ડિપ્રેશનનાં લક્ષણોમાં ઘટાડો થયો હતો
28 ટકા વ્યક્તિઓએ પોતાને નુકસાન અથવા આત્મહત્યાનાં વિચારો કર્યા હોવાનું જણાયું હતું
- Advertisement -
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આધેડ વયનાં લોકો કરતાં યુવા કર્મચારીઓ વધુ ચિંતાથી પીડાય છે. આમાં 25 વર્ષથી ઓછી ઉંમરનાં 90 ટકા યુવાનો ચિંતિત અને બેચેન રહે છે.
રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે 45 વર્ષથી વધુ ઉંમરનાં 67 ટકા કર્મચારીઓએ ચિંતા અને ડિપ્રેશનનો અનુભવ કર્યો છે. દેશનાં કર્મચારી સહાયતા કાર્યક્રમ જૂથ વન ટુ વન હેલ્પે આ અભ્યાસ હાથ ધર્યો હતો.
83 હજારથી વધુ લોકોનું કાઉન્સેલિંગ થયું
ઈમોશનલ વેલબીઈંગ રિપોર્ટ 2024 નામનાં અભ્યાસમાં 83 હજારથી વધુ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેમાં માનસિક સ્વાસ્થ્ય, પડકારો અને ઉકેલો વિશે વાત કરવામાં આવી હતી.
ડેટા દર્શાવે છે કે, 2023 સુધીમાં આત્મહત્યાનું જોખમ 22 ટકા વધ્યું છે તે જ સમયે, કંપનીઓમાં કામ કરતાં લોકોમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ 15 ટકા વધી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે 59 ટકા લોકોએ પોતાને કોઈને કોઈ રીતે નુકસાન પહોંચાડવાની વૃત્તિ દર્શાવી છે.
30 ટકા લોકો ગંભીર ડિપ્રેશનથી પીડાય છે
ઘણાં લોકો જેઓ પ્રથમ વખત કાઉન્સેલિંગ માટે આવે છે તેઓ ચિંતા અને ડિપ્રેશન સાથે સંઘર્ષ કરી રહ્યાં હોય છે. તેમાંથી 30 ટકાથી વધુ ગંભીર હતાશા અને ગંભીર ચિંતાથી પીડાય છે. જ્યારે 30 ટકા કર્મચારીઓમાં આત્મહત્યાનાં જોખમના સંકેતો જોવા મળ્યાં હતાં જ્યારે 8 ટકા કામ સંબંધિત હતાં.