સૌજન્ય : ઑપ ઇન્ડિયા, ગુજરાતી
7 હજાર લઇ રહ્યાં છે મઝહબી શિક્ષણ: ભાવનગરમાં 1400 અને બનાસકાંઠામાં 11 વિદ્યાર્થીઓ પણ માત્ર મદરેસાનું શિક્ષણ લઈ રહ્યા છે
- Advertisement -
અમદાવાદ શહેરમાં 200 બાળકો એવા છે, જે માત્ર મઝહબી શિક્ષણ સાથે જોડાયેલા છે
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા નિર્દેશો અપાયા બાદ શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતભરની મદરેસાઓમાં સરવે હાથ ધરવામાં આવ્યો હતો. મે મહિનાના બીજા અઠવાડિયામાં શરૂ કરવામાં આવેલો સરવે એક સપ્તાહ સુધી ચાલ્યો. આ દરમિયાન મદરેસામાં કેટલાં બાળકો અભ્યાસ કરે છે, તેમાંથી બિનમુસ્લિમ બાળકો છે કે કેમ, તેની સાથે મદરેસાને મળી રહેલા ફંડિંગ, ટીચર્સ અને ઇન્ફ્રાસ્ટ્રકચર વિશે પણ માહિતી મેળવવામાં આવી હતી. આ સરવે દરમિયાન અનેક વિગતો સામે આવી છે. સામે આવેલા આંકડાઓ અનુસાર, રાજ્યભરના 80 હજાર બાળકો મદરેસામાં ભણે અને તેમાંના 7000 બાળકો તો માત્ર મઝહબી શિક્ષણ જ લઈ રહ્યાં છે. ગુજરાતના 1300થી વધુ મદરેસાઓમાં સરવે કરવામાં આવ્યો હતો.
સરવે દ્વારા જાણવા મળ્યું કે, રાજ્યભરનાં 80 હજાર બાળકો મદરેસામાં શિક્ષણ લઈ રહ્યાં છે. આ 80 હજાર બાળકોમાંથી એવા બાળકો પણ ઘણાં છે, જે માત્ર મદરેસામાં જઈને મઝહબી શિક્ષણ જ મેળવી રહ્યાં છે. તેઓ સામાન્ય શિક્ષણ મેળવી રહ્યાં નથી. શાળાએ ન જઈને માત્ર મદરેસાઓમાં જ જતાં હોય તેવાં બાળકોની સંખ્યા ભાવનગર અને બનાસકાંઠા જિલ્લાઓમાં વધુ હોય તેમ જાણવા મળ્યું છે. 1300 મદરેસાઓના સરવે અનુસાર, રાજ્યના 80 હજાર બાળકો મદરેસામાં અભ્યાસ કરે છે. તેમાંથી 73,000 બાળકો મઝહબી શિક્ષણની સાથે સામાન્ય શિક્ષણ પણ મેળવી રહ્યાં છે. જ્યારે અન્ય 7000 બાળકો માત્ર મઝહબી શિક્ષણ મેળવે છે. સરકાર હવે તે અંગે કાર્યવાહી હાથ ધરશે અને તે બાળકોને સામાન્ય શિક્ષણ પણ મળી રહે તે માટેની વ્યવસ્થા કરશે. તે તમામ બાળકોને રેગ્યુલર શિક્ષણ તરફ વાળવા માટે શાળા પ્રવેશોત્સવ દ્વારા પ્રયાસ કરવામાં આવશે.
- Advertisement -
જે 7000 બાળકો માત્ર મઝહબી શિક્ષણ મેળવી રહ્યાં છે, તેમાં 4700 વિદ્યાર્થીઓ છે અને 2300 વિદ્યાર્થિનીઓ છે.
અમદાવાદ શહેરમાં 200 બાળકો એવાં છે, જે માત્ર મઝહબી શિક્ષણ સાથે જોડાયેલા છે. દિવ્ય ભાસ્કર અનુસાર, ભાવનગરમાં સૌથી વધારે 1400 બાળકો સામાન્ય શિક્ષણ લઈ રહ્યાં નથી. જ્યારે બીજા નંબર પર બનાસકાંઠામાં પણ 1100 બાળકો માત્ર મદરેસાનું શિક્ષણ લઈ રહ્યાં છે.
સરેરાશ 6થી 15 વર્ષનાં બાળકો સામાન્ય શિક્ષણ નથી લઈ રહ્યાં
જે 7 હજાર બાળકો માત્ર અને માત્ર મઝહબી શિક્ષણ જ પ્રાપ્ત કરી રહ્યાં છે. તેમની સરેરાશ ઉંમર 6થી 15 વર્ષની જ છે. 15 વર્ષ પછી જ્યારે તે બાળક સમાજમાં ભળે છે, તો તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નોકરી-વ્યવસાય અને અન્ય શિક્ષણ આધારિત કાર્યોમાં તેઓ સેટ થઈ શકતા નથી. આજીવિકાના સ્ત્રોતના અભાવે આ બાળકો મોટા થઈને ગરીબી તરફ પણ ધકેલાઇ શકે છે. આ બધી પરિસ્થિતિ બાદ અસામાજિક પ્રવૃતિ તરફ તેઓ ઝૂકી શકે તે વાતને નકારી શકાય નહીં. આ બધી બાબતોને ધ્યાને લઈને સરકાર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવશે.