હિમસ્ખલન સોમવારે સવારે 5,630-મીટર (18,471-ફૂટ) યાલુંગ રીના બેઝ કેમ્પ પર 12 લોકોના જૂથ સાથે અથડાયું હતું.
નેપાળના ઉતર પૂર્વી વિસ્તારમાં સોમવારે એક મોટું હિમસ્ખલન થયું હતું જેમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત નિપજયા હતા અને ચાર લોકો ઘાયલ થયા હતા. દુર્ઘટના યાલુંગ રી નામની પહાડી પર સર્જાઈ હતી, જેની ઉંચાઈ 5630 મીટર છે.
- Advertisement -
અહેવાલો અનુસાર હિમસ્ખલને શિખર બેઝ કેમ્પને પોતાની ઝપટમાં લઈ લીધો હતો. આ દરમ્યાન અનેક વિદેશી પર્વતારોહકો ત્યાં હાજર હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ ચાર લોકો હજુ પણ લાપતા છે, જેની શોધખોળ ચાલુ છે. અહેવાલો મુજબ મૃતકોમાં ત્રણ અમેરિકી એક કેનેડીયન, એક ઈટાલીયન અને બે નેપાળી નાગરિક સામેલ છે. આ યાલુંગ રી શિખર બાગમતી પ્રાંતના રોલવાલિંગ ખીણમાં આવેલ છે.
વ્યસ્ત વસંતની તુલનામાં ટૂંકા, ઠંડા દિવસો, બરફીલા ભૂપ્રદેશ અને સાંકડી શિખર વિન્ડો હોવા છતાં, પાનખર ઋતુ હિમાલયન અભિયાનો માટેનો બીજો સૌથી લોકપ્રિય સમય છે.
- Advertisement -




