ચોમાસા પૂર્વે જળસંચયનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી
39 નદીઓ તથા એક વોકળાની સાફસફાઈ કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યમાં ચોમાસાના પાણી થકી ભૂગર્ભ જળસંચય કરવાના મુખ્ય હેતુસર સુજલામ સુફલામ જળ અભિયાન -કેચ ધ રેઈન – 2.0 અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ચોમાસા પૂર્વે જળસંચયનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં હાલ જળસંપત્તિ વિભાગના 145 જેટલાં કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ જિલ્લામાં 66 તળાવો ઊંડા ઉતારાશે, 13 ચેકડેમોના રીપેરીંગ કરાશે. રાજકોટ જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે જળસંપત્તિ વિભાગના વિવિધ પ્રકારના 154 જેટલા કામોમાંથી 145 કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં ચેકડેમ ડીસીલ્ટીંગનાં 20 કામો, ચેકડેમ રીપેરીંગનાં 13 કામોનો સમાવેશ થાય છે. જિલ્લામાં 66 તળાવો ઊંડા ઉતારવામાં આવશે. એક નદીને પુન:જીવિત કરવામાં આવશે, 39 નદીઓ તથા એક વોકળાની સાફસફાઈ કરાશે.
અત્યાર સુધીમાં જળાશય ડીડીસીલ્ટીંગનાં 2 કામો, બે તળાવના પાળા અને વેસ્ટ વિયરનું મજબુતીકરણની કામગીરી અને એક અનુશ્રવણ તળાવની કામગીરી સંપન્ન થઈ ગઈ છે. જ્યારે 102 કામો પ્રગતિ હેઠળ છે.
મહત્ત્વનું છે કે, આ કામોમાંથી 67 કામો પંચાયત (લોકભાગીદારી)થી કરાશે, જયારે બે કામો પંચાયત વિભાગ દ્વારા થશે. 61 કામો રાજ્ય (લોકભાગીદારી) તથા 15 કામો રાજ્ય (વિભાગ) દ્વારા થશે.