By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુબઈ એર શોમાં ભરતીય તેજસ ફાઈટર જેટ ક્રેશ થતા પાઈલટનું મોત
    2 days ago
    બાંગ્લાદેશમાં ભૂકંપના આંચકા, 10ના મોત અને 100 જેટલા ઘાયલ
    2 days ago
    બ્રાઝિલમાં ઈઘઙ30 ક્લાઇમેટ સમિટમાં ભયંકર આગ: 13 ઘાયલ
    3 days ago
    મધ્ય વિયેતનામમાં પૂરમાં મૃત્યુઆંક વધીને 41 થયો, વધુ ભારે વરસાદની આગાહી
    3 days ago
    યુક્રેન શાંતિ યોજનામાં હસ્તાક્ષર કરો, અને કા તો સત્તા છોડો : ટ્રમ્પનું ઝેલેન્સ્કીને અલ્ટીમેટમ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે દેખાવ
    4 hours ago
    ડીપફેક અને આતંકવાદમાં AIનો ઉપયોગ માનવતા માટે જોખમી: મોદી
    4 hours ago
    બદ્રીનાથમાં પારો માઈનસ 16 ડિગ્રી, ધોધ થીજી ગયો
    4 hours ago
    ઉત્તરાખંડમાં બસ ખીણમાં ખાબકી: 5 ગુજરાતીના મોતની આશંકા, 17થી વધુ ઘાયલ
    4 hours ago
    ભારતીય પ્રતિનિધિમંડળ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પરત લેવા ભુતાન માટે રવાના થયા
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    6 days ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    1 week ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    1 week ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    2 weeks ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હી-મેન થયા પંચતત્વમાં વિલીન, પ્રધાનમંત્રી મોદીએ એક યુગનો અંત ગણાવ્યો
    5 hours ago
    ધર્મેન્દ્રના નિધન પર ફિલ્મ જગતમાં શોક, તેમના જીવનની અમુક વાતો તાજી કરીયે
    5 hours ago
    એક યુગનો અંત: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન
    7 hours ago
    ટ્રમ્પના પુત્રએ અનંત-રાધિકા સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી
    3 days ago
    સોશિયલ મીડિયામાંથી ભારતીય ક્રિએટર્સ વર્ષે 16 હજાર કરોડ કમાયા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઇઝરાઈલ-લેબનાન બોર્ડર નજીક તહેનાત છે 600 ભારતીય સૈનિકો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > ઇઝરાઈલ-લેબનાન બોર્ડર નજીક તહેનાત છે 600 ભારતીય સૈનિકો!
Hemadri Acharya Dave

ઇઝરાઈલ-લેબનાન બોર્ડર નજીક તહેનાત છે 600 ભારતીય સૈનિકો!

Khaskhabar Editor
Last updated: 2024/09/30 at 11:39 AM
Khaskhabar Editor 1 year ago
Share
8 Min Read
SHARE

21 દેશો દ્વારા અપાયેલા યુદ્ધવિરામ પ્રસ્તાવને ઈઝરાયેલે નકારી કાઢતાં હિઝબુલ્લાહ સાથે યુદ્ધ ચાલુ રાખવાની જાહેરાત કરી છે

લેબનોનમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ ચાલુ છે. એક સપ્તાહથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લેબનાનના 600થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકા સહિત 21 દેશો દ્વારા આપવામાં આવેલા યુદ્ધવિરામ પ્રસ્તાવને ઈઝરાયેલે નકારી કાઢતાં હિઝબુલ્લાહ સાથે યુદ્ધ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. નેતન્યાહુના કાર્યાલયનાં એક નિવેદનમાં સેનાને “સંપૂર્ણ બળ સાથે લડાઈ ચાલુ રાખવા”નો આદેશ આપવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે જ્યાં સુધી હિઝબુલ્લાહને લેબનોનમાંથી ખતમ કરવામાં નહીં આવે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. તો ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (DF) ચીફ ઓફ સ્ટાફ હરઝી હલેવીએ હિઝબુલ્લાહને ટૂંક સમયમાં જમીની હુમલા માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે કે અમારા સૈનિકો ટૂંક સમયમાં દુશ્મનના વિસ્તારોમાં પ્રવેશ કરશે. દરમિયાન, ‘બ્લુ લાઇન’ને લઈને ચર્ચાઓ થઈ રહી છે. ખાસ વાત એ છે કે બંને દેશો વચ્ચેની આ સરહદ પર ભારતીય સૈનિકો પણ તૈનાત છે ત્યારે આપણને આ બ્લુ લાઇન વિશે જાણવાનું કુતુહલ રહે એ સ્વાભાવિક છે.

- Advertisement -

બ્લુ લાઇન શું છે

યુનાઇટેડ નેશન્સે 7 જૂન, 2000ના રોજ ઇઝરાયેલ અને લેબનોન વચ્ચેની સરહદ રેખાને બ્લુ લાઇન નામ આપ્યું હતું. બ્લુ લાઈનના વિસ્તાર પર યુનોનું આધિપત્ય છે. આ સરહદ રેખા ઇઝરાયેલને લેબનોન અને ગોલાન હાઇટ્સથી અલગ કરે છે. બ્લુ લાઇન સત્તાવાર આંતરરાષ્ટ્રીય સરહદ નથી, પરંતુ સીમાંકન રેખા અથવા તો બફર ઝોન છે. છે. આ રેખા ત્યારે નક્કી કરવામાં આવી હતી કે જ્યારે ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાંથી તેની સેના પાછી ખેંચી લીધી હતી કે જ્યાં તેણે 1978માં આક્રમણ કરવાનું શરૂ કર્યું હતું. વધુમાં કહીએ તો, માર્ચ 1978માં પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (PLO)ના કાર્યકર્તાઓ દ્વારા 37 ઈઝરાયેલીઓની હત્યા કરવામાં આવી હતી. આ પછી, ઇઝરાયેલની સેનાએ દક્ષિણ લેબનોનમાં પ્રવેશ કર્યો અને થોડા દિવસોમાં તેને કબજે કરી લીધો, આ દરમિયાન લેબનીઝ સરકાર યુએન સુધી પહોંચી. યુએનએ ઇઝરાયેલને તેની સેના પાછી ખેંચી લેવા જણાવ્યું હતું. આખરે વર્ષ 2000માં ઈઝરાયેલી સેના આ વિસ્તારમાંથી હટી ગઈ. જ્યાંથી સૈન્ય પરત ફર્યું તે સ્થળને ઞગ દ્વારા ‘બ્લુ લાઇન’ ઘોષિત કરવામાં આવ્યું. તે યુનાઇટેડ નેશન્સ દ્વારા 7 જૂન 2000 ના રોજ એ નિર્ધારિત કરવાના હેતુથી જાહેર કરવામાં આવ્યું હતું કે ઇઝરાયેલે લેબનોનમાંથી પોતાનું સૈન્ય સંપૂર્ણપણે પાછું ખેંચી લીધું છે. તેની વ્યાખ્યા આ રીતે કરવામાં આવી છે: “સરહદ નહીં, પરંતુ “રીટર્ન લાઇન”. ઇઝરાયેલ અને લેબનોન વચ્ચેની આ સરહદ, બ્લુ લાઇની કુલ લંબાઈ 120 કિલોમીટર છે. જો કે, તે જૂના નકશાઓ પર આધારિત છે અને કાલ્પનિક છે, તેથી ઇઝરાયેલ અને લેબનોન બંને ઘણા સ્થળો પર પોતાના દાવા કરે છે જેમાં ગઝરગાંવ, શેબા ફાર્મ અને કફારચૌબાની આસપાસની ટેકરીઓનો સમાવેશ થાય છે. 39 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું શેબા ફાર્મ ગોલાન હાઇટ્સમાં છે. 1967ના યુદ્ધમાં ઈઝરાયેલે તેના પર કબજો કરી લીધો હતો. આ સિવાય બ્લૂ લાઇન પર ઘણા વિવાદિત વિસ્તારો છે. અગાઉ કહ્યું તેમ, ઞગ બ્લુ લાઈનનું કસ્ટોડિયન છે. યુનાઈટેડ નેશન્સ ઈન્ટરિમ ફોર્સ ઈન લેબનોન (UNIFIL) દ્વારા તેની દેખરેખ રાખવામાં આવે છે. UNIFILબહુરાષ્ટ્રીય સૈનિકોનો સમૂહ છે, એટલે કે આ દળમાં વિશ્વના અનેક દેશના સૈનિકોની ભરતી કરવામાં આવે છે, જેને ઞગ દ્વારા સ્થાપવામાં આવ્યો છે. જ્યારે પણ ઈઝરાયેલ અથવા લેબનીઝ અધિકારીઓ બ્લુ લાઈનની નજીક કોઈ જાળવણી અથવા સુરક્ષા પ્રવૃત્તિ કરવા માગે છે, ત્યારે તેઓએ UNIFILને તેની આગોતરી જાણ કરવાની રહે છે. UNIFILદળો આ સરહદ પર ઉભા શાંતિ અને સુરક્ષા જાળવવા તહેનાત રહે છે.

આ બફર ઝોનમાં તૈનાત આ UNદળોનું કામ સંયુક્ત રાષ્ટ્રના આદેશ હેઠળ કામ કરવાનું છે. તેમનું કામ યુદ્ધ અટકાવવાનું કે તેમાં સામેલ થવાનું નથી. બલ્કે શાંતિ જળવાઇ રહે તે જોવાનું છે. આ સાથે, જો તે વિસ્તારમાં યુએનના જુદા જુદા મિશન ચલાવવામાં આવે તેમાં આ સેના સુરક્ષાના મુદ્દે કાર્યરત રહે છે. કોઈપણ પ્રકારના ખતરાનો સામનો કરે છે અને સાથોસાથ ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચે કોઈ પણ પ્રકારનો વિવાદ કે હિંસા ન થાય તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો આ સેના કરે છે. સેનાના એક અધિકારીના કહેવા પ્રમાણે, ઞગઈંઋઈંકનું કામ ઘણું જટિલ છે અને દરેક નાની-મોટી પ્રવૃત્તિ પર હંમેશા નજર રાખવી પડે છે. જ્યારે પણ ઇઝરાયેલ UNIFILના વિસ્તારમાં એટલે કે દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલો કરવાનું હોય, ત્યારે તે સૌપ્રથમ તે વિસ્તારની તપાસ કરીને ખાતરી કરે છે કે UNIFIL સૈનિકો આ વિસ્તારની નજીક નથી. જો ત્યાં હોય, તો UNIFIL ને તેના વિશે જાણ કરવામાં આવે છે અને બ્લુ હેલ્મેટને તાત્કાલિક ત્યાંથી દૂર કરવા વિનંતી કરવામાં આવે છે. યુએન પીસકીપીંગ ફોર્સની હેલ્મેટ બ્લુ છે, તેથી આ કોડમાં સંદેશ જારી કરવામાં આવે છે. જો આ વિસ્તારમાં UNના શાંતિ જાળવણી આ મિશન અને હિઝબુલ્લાહની પકડ વિશે વાત કરીએ તો, ઇઝરાયેલ સરહદથી 30 કિલોમીટર દૂર લેબનોનના શહેર, ટાયર સુધીના વિસ્તારમાં આ પીસકીપિંગ ફોર્સ હાજર છે. બીજું, અહીં હિઝબુલ્લાહની હાજરી નહિવત છે પરંતુ હિઝબુલ્લાહના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ અહીં સંપૂર્ણ રીતે સક્રિય છે. ટાયર અને સિડોન વચ્ચે પેલેસ્ટિનિયન શરણાર્થીઓની વસાહતો છે અને આ વિસ્તારમાં શિયા સમુદાયના લોકો સૌથી વધુ છે. અહીં હિઝબુલ્લાહનો સૌથી વધુ હોલ્ડ છે. ઈરાન, જે શિયા દેશ છે, આ ક્ષેત્રમાં હિઝબુલ્લાહને સીધી મદદ કરે છે. જો આપણે લેબનોનની વસ્તી અને સમુદાય વિશે વાત કરીએ, તો 2020ના આંકડા અનુસાર, લેબનોનની કુલ વસ્તીના 67 ટકા મુસ્લિમ છે. જેમાં 32 ટકા સુન્ની અને 31 ટકા શિયા છે. 32 ટકા ખ્રિસ્તીઓ, 5 ટકા ડ્રુઝ સમુદાયના લોકો ત્યાં રહે છે. બાકીની બહુ ઓછી વસ્તી યહૂદી, બહાઈ, બૌદ્ધ અને હિંદુ છે. પેલેસ્ટિનિયન શરણાર્થીઓની સંખ્યા પણ ઘણી વધારે છે અને આ શરણાર્થીઓ હિઝબુલ્લાહના સમર્થકોમાં પણ સામેલ છે. UNIFIL હેઠળ શાંતિ રક્ષા દળો, બ્લુ લાઇન બે સેક્ટરમાં વહેંચાયેલી છે. એક ઈસ્ટ સેક્ટર અને એક વેસ્ટ સેક્ટર. બંને સેક્ટરમાં બ્રિગેડ સ્તરનું સૈન્ય તૈનાત છે. એટલે કે બંને સેક્ટરમાં 3 થી 4 બટાલિયન છે અને એક બટાલિયનમાં 600થી વધુ સૈનિકો હાજર છે. ઉપર કહ્યું તેમ, ભારતીય સેનાની એક બટાલિયન લેબનોનમાં યુનાઇટેડ નેશન્સ ઇન્ટરિમ ફોર્સ એટલે કે UNIFIL તરીકે ઘણા દાયકાઓથી ત્યાં તૈનાત છે.ભારતીય સૈન્ય બટાલિયન એ માળખાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે UNIFILહેઠળ ચાલી રહેલા શાંતિ સુરક્ષા પ્રયત્નોમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.ભારતીય સેનાના લગભગ 600 સૈનિકો આ બ્લુ લાઇન પર UNIFIL હેઠળ લેબનોનમાં કાર્યરત છે. હાલમાં ભારતીય સેનાની બટાલિયન ગોલાન હાઇટ તરફ પૂર્વ સેક્ટરમાં તૈનાત છે. આ ક્ષેત્રમાં ભારતીય સેનાની હાજરી વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે આપણી દીર્ઘકાલીન પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે. યુદ્ધની ભીષણ પરિસ્થિતિ વચ્ચે રાહતનાં સમાચાર એ છે કે ઞગના જણાવ્યા અનુસાર, સતત રોકેટ અને હવાઈ હુમલા વચ્ચે, અહીં તૈનાત ભારતીય સેનાના તમામ જવાનો સુરક્ષિત છે.

- Advertisement -

બફર ઝોનમાં તૈનાત UN દળોનું કામ યુદ્ધ અટકાવવાનું કે સામેલ થવાનું નથી, શાંતિ જળવાઇ રહે તે જોવાનું છે

બ્લુ લાઈનના વિસ્તાર પર યુનોનું આધિપત્ય છે, આ સરહદ રેખા ઇઝરાયેલને લેબનોન અને ગોલાન હાઇટ્સથી અલગ કરે છે

બ્લુ લાઇન સત્તાવાર આંતરરાષ્ટ્રીય સરહદ નથી, પરંતુ સીમાંકન રેખા અથવા તો બફર ઝોન છે

You Might Also Like

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

ટેક્નોલોજીએ આપણી માનસિક ક્ષમતાઓને પણ નિર્ભર બનાવી દીધી છે, હજુ દોઢ દાયકા પહેલાં આપણે મોટા મોટા સરવાળા-બાદબાકી, ગાણિતિક ગણતરીઓ મોઢે કરી નાખતા હતા અને હજારો ફોન નંબર યાદ રાખતા હતા પરંતુ હવે, બે-ચાર સંખ્યાઓનો સરળ સરવાળો પણ આપણાથી થતો નથી….

આધુનિક સુવિધાઓની અદૃશ્ય ગુલામી…

ઉત્સવોની ઉજવણી કે બેદરકારીનો ઉત્સવ!

ગુજરાતનું નવું મંત્રીમંડળ: નવા ચહેરા, નવા સંકેત અને આગામી રાજકીય દિશા

TAGGED: Indian soldiers, Israel-Lebanon border
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે, શ્વાસોની આવજાવને દંડવત પ્રણામ છે
Next Article જીવન Undo કે Restoreનો વિકલ્પ આપતું નથી..!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ઉપલેટા નગરપાલિકાનું સિટી સિવિક સેન્ટર અચાનક બંધ થતાં અરજદારો હેરાન

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
પાળના નકલંક મંદિર (ઠાકર દ્વારો) ખાતે પ્રાણ પ્રતિષ્ઠા તથા ભાગવત સપ્તાહનું આયોજન
રાજકોટ એસઓજીએ 179 ગ્રામ એમડી સાથે ગોધરાના પેડલર સહિત બેને ઝડપી લીધા
ઉદ્યોગનગરમાં બુટલેગરના આતંક સામે સ્થાનિકોનો ફાટી નીકળેલો રોષ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેને 1500થી વધુ લોકોને યોગ ટ્રેનર બનવા આહવાન કર્યું
રાજુલાના પોલીસ કર્મચારી રવિરાજ વરૂ દ્વારા માનવતાનું જીવંત ઉદાહરણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Hemadri Acharya Dave

ટેક્નોલોજીએ આપણી માનસિક ક્ષમતાઓને પણ નિર્ભર બનાવી દીધી છે, હજુ દોઢ દાયકા પહેલાં આપણે મોટા મોટા સરવાળા-બાદબાકી, ગાણિતિક ગણતરીઓ મોઢે કરી નાખતા હતા અને હજારો ફોન નંબર યાદ રાખતા હતા પરંતુ હવે, બે-ચાર સંખ્યાઓનો સરળ સરવાળો પણ આપણાથી થતો નથી….

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Hemadri Acharya Dave

આધુનિક સુવિધાઓની અદૃશ્ય ગુલામી…

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?