વેરાવળમાં સંત શિરોમણી સ્વામી લીલાશાહ મહારાજની 51મી પુણ્યતિથીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ તકે વહેલી સવારે પ્રભાત ફેરી, આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.ત્યારબાદ બપોરે સમૂહ પ્રસાદ, ગુરુનાનક કીર્તન મંડળી અને ઝુલેલાલ બાળક મંડળી દ્વારા સત્સંગ,આરતી સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.આ તકે 12 લોકોએ સમૂહ જનોઈ ધારણ કરી હતી તેમજ 48 બાળકીઓ અને મહિલાઓએ આરતી સ્પર્ધામાં ભાગ લીધો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વામી લીલાશાહ સાર્વજનિક ટ્રસ્ટના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
વેરાવળમાં પ.પૂજ્ય સંત શિરોમણી સ્વામી લીલાશાહ મહારાજની 51મી પુણ્યતિથિની ઉત્સાહભેર ઉજવણી

You Might Also Like
Follow US
Find US on Social Medias