ડે. કમિશનર સાહિતનાને રજૂઆત કરી રસ્તા-પાણીની સમસ્યા ઉકેલવા માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
રાજકોટના વોર્ડ-11માં આવેલા પંચરત્ન પાર્ક વિસ્તારમાં કાળઝાળ ગરમી છતાં અપૂરતું પાણી આપવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. ભારે ગરમી વચ્ચે પૂરતું પાણી નહીં મળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેને લઈને આજે આ વિસ્તારના લોકો મનપા કચેરીએ દોડી આવ્યા હતા અને ‘પાણી આપો, પાણી આપો’ સહિતના નારા લગાવી ડે. કમિશનર રજૂઆત કરી રસ્તા-પાણીની સમસ્યા ઉકેલવા માંગ કરવામાં આવી હતી.
- Advertisement -
પંચરત્ન પાર્કમાં રહેતા સૂર્યસેન તથાગતે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં 25 મીટરનાં પ્લોટ્સ આવેલા છે. જે જગદીશન સાહેબ કલેક્ટર હતા તે સમયમાં આપવામાં આવ્યા છે. વર્ષ 1991-92માં આપવામાં આવેલા આ પ્લોટમાં હાલ 500 કરતા વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. અગાઉ આ વિસ્તાર મોટામૌવામાં હતો ત્યારે પાણી સહિતની કોઈ સમસ્યા થતી નહોતી.
જોકે, 2019-20માં અમારો વિસ્તાર મનપામાં ભળ્યા બાદ આ વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ બની છે. મનપા દ્વારા અમારા વિસ્તારમાં પાણીની લાઇન નાખવામાં આવી છે પરંતુ, તે હજુ શરૂ થઈ નહીં હોવાથી ટેન્કર દ્વારા પાણી વિતરણ થાય છે.
જોકે, આટલા મોટા વિસ્તારમાં 10,000 લિટરનાં માત્ર બે ટાંકા આપવામાં આવે છે. છખઈ દ્વારા પાણીના ટાંકા મન પડે ત્યારે ભરવામાં આવે છે, જેના કારણે પાણીની સતત અછત રહે છે. ફક્ત એટલું જ નહીં આ વિસ્તારમાં પાણીનાં ટેન્કર લઈને આવતા કર્મચારીઓ “દાદાગીરી” કરી પાણી આપે છે અને ઘણીવાર મહિલાઓ સાથે અસભ્ય વર્તન પણ કરે છે. આ વિસ્તારમાં મજૂરી વર્ગના લોકો રહે છે, જેઓ માંડ પોતાનાં ઘરનું ગુજરાત ચલાવી શકતા હોય છે. હાલ આવા લોકોને 150 રૂપિયામાં પાણીના નાના ટાંકા લેવા મજબૂર બન્યા છે. છખઈ દ્વારા આ ગેરરીતિની જાણ હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી.
- Advertisement -
6 મહિનાથી પાણી અને ડ્રેનેજ લાઈનનું કામ અધૂરું પડ્યું છે
વધુમાં તેમણે જણાવ્યું કે, પાણી ઉપરાંત, વિસ્તારમાં રોડ-રસ્તાની હાલત પણ દયનીય છે. અમારા વિસ્તારમાં ડીઆઈ લાઇન અને ડ્રેનેજની લાઇન તાત્કાલિક ધોરણે નાખવામાં આવી હતી. પણ તે કામ 6 મહિનાથી અધૂરું પડ્યું છે. વિસ્તારમાં મેટલિંગ કામ કરવામાં આવ્યું છે, પરંતુ આવા જવાના રસ્તામાં બાકી છે.આ અધૂરા કામને કારણે ચોમાસામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે તેમ છે. ત્યારે આ સમસ્યાઓ તાત્કાલિક દૂર કરવા આજે મનપા કમિશનર અને મેયર સહિતનાઓને રજૂઆત કરવામાં આવી છે.
અમને પૂરતું પાણી મળી રહે તે માટે રજૂઆત કરવા આવ્યા છીએ
અલકાબેન મંડોરાએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પાણીની મુખ્ય સમસ્યા છે. ટાંકાઓ આવે છે પરંતુ, તેમાં પણ ઘોર અનિયમિતતા હોય છે. બે-ચાર દિવસ રેગ્યુલર આવે અને નો આવે તો લાંબો સમય સુધી આવતા નથી. હાલ ઉનાળાને કારણે બોરનાં પાણી ડૂકી ગયા છે. જેને લઈને માત્ર ટેન્કરનાં પાણી ઉપર આધાર રાખવો પડતો હોય છે પરંતુ, તે પાણી પણ નિયમિત આવતું ન હોવાથી જીવન મુશ્કેલ બન્યું છે. પાણીની લાઇનનાં કનેક્શન શરૂ ન થાય ત્યાં સુધી અમને નિયમિત અને પૂરતું પાણી મળે તે માટે રજૂઆત કરવા અમે આવ્યા છીએ.



