ખાનગી શાળાઓએ DEOના પરિપત્રના ભંગ કરી વાલીઓને ચોક્કસ સ્થળેથી પુસ્તક-યૂનિફોર્મ લેવા સર્ક્યુલરો મોકલ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
એજ્યૂ મોલની માલિકી કેટલીક ખાનગી શાળાના ટ્રસ્ટી કે સંચાલકની હોવાનો આક્ષેપ, કોંગ્રેસની શિક્ષણાધિકારીને રજૂઆત
વિદ્યાર્થીઓને પોતાની જાગીર સમજીને શિક્ષણના નામે થતા વેપલાઓ અમે બંધ કરાવીશુ : રોહિતસિંહ રાજપુત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરની અનેક ખાનગી શાળાઓએ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા સ્પષ્ટ પરિપત્રનો ખુલ્લેઆમ ઉલાળિયો કરીને વિદ્યાર્થીઓને યુનિફોર્મ, પુસ્તકો, સ્કૂલ બેગ શૂઝ જેવી સ્ટેશનરીએ લગતી વિવિધ પ્રકારની વસ્તુઓ ચોક્કસ જગ્યા પરથી લેવા મજબૂર કરતા હોવાનુ કોંગ્રેસના ધ્યાને આવતા આજે વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે પુરાવા સહિત જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી. જીલ્લા શિક્ષણ વિભાગની કચેરીએ કરેલા પરિપત્ર મુજબ કોઈપણ ખાનગી શાળા વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ સ્થળેથી (દુકાન, મોલ કે સ્ટોર) પુસ્તક કે યુનિફોર્મ કે અન્ય ચીજ વસ્તુઓ લેવા માટે મજબૂર (ફરજ) કરી શકતી નથી. દરેક વાલીઓએ પોતાના બાળક માટે બજારમાંથી પોતાની સગવડ મુજબ પસંદગીના વેચાણકર્તા પાસેથી પુસ્તક કે ડ્રેસ ખરીદી શકે છે અને એ હક્ક તેમને સરકાર તરફથી અપાયો છે. પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે રાજકોટના ખાનગી શાળા સંચાલક મંડળના કહેવાતા મુખ્ય 5-6 આગેવાનોએ એક એજ્યુ મોલ ઉભો કર્યો છે જેથી સેલ્ફ ફાઇનાઇન્સ સ્કૂલોના એશોશિયનનો સભ્યસદો સ્કૂલોનો ઉપયોગ કરીને તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓને યુનિફોર્મ, બુક્સ, બેગ, શૂઝ જેવી વસ્તુઓ અહીથી જ ખરીદવા માટે સૂચનાઓ અને સર્ક્યુલરો અપાવીને કરોડો રૂપિયા કમાવવાના માટેનુ સંશાધન ઊભું કર્યું છે તેવા આક્ષેપો કર્યા છે. રાજકોટની અનેક ખાનગી શાળાઓએ આ તમામ પ્રકારની વસ્તુઓ ખરીદવા માટે ખાસ સર્ક્યુલર જે વિદ્યાર્થીઓને આપવામા આવ્યુ છે.
મોટાભાગની શાળાઓએ એજ્યુમોલમાંથી ખરીદી કરવા સૂચના આપી છે તો અમુક સ્કૂલોએ લિબર્ટીનામની એજન્સીમાંથી ખરીદી કરવા સૂચના આપી છે કે આ જગ્યા પર સૂચવેલા તમામ પ્રકારની વસ્તુઓ મળી રહેશે જેના પુરાવાઓ અમારી પાસે છે. શાળા એ વિદ્યાનુ મંદિર છે અને શિક્ષકો (સંચાલકો)ને ગુરુનો દરજ્જો આપવામા આવ્યો છે ત્યારે રાજકોટના અનેક સંચાલકો પોતાના બાળકોને કમાવાનુ સંસાધન સમજીને દરેક બાબતોમા કમિશન ગટગટાવવા માટે બાળકોની મજબૂરીનો ફાયદો ઉઠાવે તે ખૂબ જ શરમજનક બાબત છે અને આવા પ્રકારની પ્રવૃતિઓ અટકાવવી જરૂરી બને છે.એજ્યૂ મોલની માલિકીમાં કેટલીક ખાનગી શાળાના ટ્રસ્ટી કે સંચાલક હોય એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. સ્કૂલ સંચાલકોની શિક્ષણના નામે વ્યાપારી પ્રવૃત્તિઓ ચલાવવા માંડતા રાજકોટમા આવેલા યુનિફોર્મ, સ્ટેશનરીઓને લગતા 700થી વધુ વેપારીઓના રોજગાર ધંધાઓ ઠપ્પ થયા છે. રાજકોટના અમુક વેપારી સ્કૂલ સંચાલકોના કૃત્યના કારણે અનેક પરિવારોના પેટ ઉપર તરાપ મારવી તે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય છે. નાના વેપારીઓ વિદ્યાર્થીઓને આ તમામ વસ્તુઓ સસ્તી અને સારી ગુણવતાની આપતા હતા પરંતુ હવેથી વિદ્યાર્થીઓને મજબૂરીમા સંચાલકોની મનમાની મુજબના ભાવોથી ખરીદી કરવી પડે તે પ્રથા સદંતર બંધ થવી જોઈએ તેવી અમારી માંગ છે. રોહિતસિંહ અંતમાં જણાવ્યું હતું કે આ ગંભીર બાબતોને ધ્યાને લઈને તમામ મુદે કાયદેસરની કડક કાર્યવહી કરવામા આવે અન્યથા કોંગ્રેસની ટીમ આવનારા સમયમા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈ ઉગ્ર આંદોલન કરવામા આવશે તેવી ચિમ્મકી ઉચ્ચારી હતી.
આ બાબતોને ધ્યાન લેવા માંગ
રાજકોટના એજ્યુમોલના પરોક્ષ રીતે રહેલા માલિકોની સ્કૂલોની માન્યતાઓ રદ કરવામા આવે
જે શાળાઓએ વાલીઓને ચોક્કસ મોલ કે સ્ટોર પરથી ખરીદી કરવા માટે સૂચન કે સર્ક્યુલર મોકલામા આવ્યા તે સ્કૂલો પર તાકીદે કડક કાર્યવાહી કરવામાં આવે.
વાલીઓ માટે સરકારી ધોરણે જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટ કરવું કે તેમને કોઈ પણ વેચાણકર્તા પાસેથી સામાન લેવા મજબૂર ન કરવામાં આવે અને તેમની સાથે થતો આર્થિક શોષણ બંધ થાય.
આવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે ઇન્સપેક્શન અને સરપ્રાઈઝ ચેકિંગ તેમજ પેરન્ટ્સ હેલ્પલાઇન શરૂ કરવામાં આવે.