મોરબીનો સિરામીક ઉદ્યોગ બંધ: 450 કરોડની નુકશાનીનો અંદાજ
ખાસ-ખબર સંવાદદાતા
મીઠા ઉત્પાદનમાં મોરબી નજીકનુ માળીયા તથા કચ્છનું નવલખી મુખ્ય મથક ગણાય છે. મીઠાની ભરસીઝન હોવાને કારણે ઉત્પાદન એકમોમાં મોટો સ્ટોક હતો. પાંચ લાખ ટન મીઠુ તણાઈ-ધોવાઈ ગયાનું અનુમાન છે. મહિને સોલ્ટ મેન્યુફેકચરર્સ એસોસીએશનના કહેવા પ્રમાણે આગોતરી ચેતવણી હતી છતાં જંગી સ્ટોકને ખસેડવાનું મુશ્કેલ હતું. 500 ઉત્પાદન એકમોમાં સ્ટોક ધોવાઈ ગયો હતો. હવે સપ્લાયમાં ખેંચ વર્તાશે એટલે ઔદ્યોગીક મીઠાના ભાવમાં તેજી થવાની શકયતા છે.
- Advertisement -
એશિયાના સૌથી મોટા સિરામીક કલસ્ટર તરીકે ગણના પામતા મોરબીના સિરામીક ટાઈલ્સ ઉદ્યોગને 450 કરોડનો કારોબાર ઠપ્પ થયાનો અંદાજ છે. 1000 જેટલી ટાઈલ્સ-સેનીટરીવેર્સ ફેકટરીઓ ધરાવતા ઉદ્યોગોમાં 15 જૂનથી રજા છે. ફેકટરીઓ દસ દિવસ બંધ રહેશે અને તેમાં 450 કરોડનુ ઉત્પાદન નુકશાન રહેશે. ભારે વરસાદ ઠપ્પ પરિવહન તથા વિજપુરવઠાને કારણે ફેકટરીઓ બંધ રાખવા સિવાય કોઈ વિકલ્પ ન હોવાનું સિરામીક એસોસીએશનના પુર્વ પ્રમુખ કે.જી. કુંડારીયાએ કહ્યુ હતું.
9000 જેટલા નાના-મોટા એકમો ધરાવતો જામનગરનો બ્રાસપાર્ટ ઉદ્યોગ ભારે વરસાદ તથા પરિવહન ઠપ્પ થવાને કારણે સ્થગીત જેવો થઈ ગયો છે. અનેક વિજથાંભલા ઉખડી ગયા હતા.
કારખાનામાં ફરી શરૂ થવામાં પાંચથી સાત દિવસ નિકળી જાય તેમ છે. વિજટીમો રીપેરીંગમાં કામે લાગી છે. વિજસપ્લાય શરૂ થાય પછી જ ઉદ્યોગ ધમધમી શકે તેમ હોવાનું જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલાએ કહ્યું હતું. નિકાસ ઓર્ડર પણ ફટકો છે. દર મહિને 4000 ટન બ્રાસપાર્ટસનું ઉત્પાદન થાય છે.