પાકિસ્તાન ઘૂસણખોરીના પ્રયાસમાં હોવાનો દાવો
સેનાનો કાઉન્ટર એટેક, સુરક્ષા દળોનું સર્ચ- ઓપરેશન શરૂ
- Advertisement -
આ શસ્ત્રો પીળા રંગની ટેપમાં લપેટીને સાંબાના પાલુરા ગામમાં ડ્રોનથી છોડવામાં આવ્યાં હતાં જે જથ્થો સેનાએ ઝડપી પાડ્યો હતો.
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
જમ્મુ-કાશ્ર્મીરના સાંબા, રાજૌરી અને પૂંછમાં પાકિસ્તાન સાથેની સરહદ અને લાઇન ઓફ કંટ્રોલ (કજ્ઞઈ) નજીક રવિવારે સાંજે લગભગ 5 ડ્રોન જોવા મળ્યાં.
ન્યૂઝ એજન્સી ઙઝઈંના રિપોર્ટ અનુસાર, રાજૌરીમાં નૌશેરા સેક્ટરની રખેવાળી કરી રહેલા જવાનોએ સાંજે લગભગ 6.35 વાગ્યે ગનિયા-કલસિયાં ગામ ઉપર ડ્રોન જોયું. ત્યાર બાદ મીડિયમ અને લાઇટ મશીન ગનથી ફાયરિંગ કર્યું.
રાજૌરીના તેરિયાથના ખબ્બર ગામમાં સાંજે 6.35 વાગ્યે એક વધુ ડ્રોન જોવા મળ્યું. આ ડ્રોન કલાકોટના ધર્મસાલ ગામ તરફથી આવ્યું અને આગળ ભરખ તરફ આગળ વધ્યું.
જ્યારે સાંબાના રામગઢ સેક્ટરમાં ચક બબરલ ગામ ઉપર સાંજે લગભગ 7.15 વાગ્યે ડ્રોન જેવી વસ્તુ થોડી મિનિટો સુધી મંડરાતી જોવા મળી. પૂંછમાં પણ મનકોટ સેક્ટરમાં સાંજે 6.25 વાગ્યે તૈનથી ટોપા તરફ ડ્રોન જેવી એક અન્ય વસ્તુ જતી જોવા મળી.
ફોરવર્ડ વિસ્તારોમાં શંકાસ્પદ ડ્રોનની હિલચાલ દેખાયા બાદ સુરક્ષા દળોએ વિસ્તારોમાં સર્ચ-ઓપરેશન શરૂ કરી દીધું છે.
આ પહેલાં 9 જાન્યુઆરીના રોજ સાંબામાં ઈંઇ નજીક ઘગવાલના પાલુરા ગામમાં હથિયારોનો જથ્થો મળ્યો હતો, જેને પાકિસ્તાનથી આવેલા ડ્રોને પાડ્યો હતો. એમાં 2 પિસ્તોલ, ત્રણ મેગેઝિન, 16 રાઉન્ડ અને એક ગ્રેનેડનો સમાવેશ થતો હતો.
દેશમાં ગણતંત્ર દિવસને લઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આ ડ્રોનનો ઉપયોગ સરહદ પર સેનાની સ્થિતિ જાણવા અથવા આતંકવાદીઓ માટે હથિયારો અને નશીલા પદાર્થો પાડવા માટે કરવામાં આવી રહ્યો છે.
સેનાએ ઓપરેશન સિંદૂરના 8 મહિના બાદ ડ્રોન પર એટેક કર્યો. ઓપરેશન સિંદૂર ભારતનું સૈન્ય અભિયાન હતું, જે 7 મે 2025ના રોજ ચલાવવામાં આવ્યું, જેમાં પાકિસ્તાની અને પાકિસ્તાન-આધીન કાશ્ર્મીર (ઙજ્ઞઊં)માં આતંકવાદી ઠેકાણાં પર સર્જિકલ સ્ટ્રાઈક / એર સ્ટ્રાઈક્સ કરવામાં આવી હતી. આને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. આ અભિયાન 22 એપ્રિલ 2025ના પહેલગામ આતંકી હુમલાના જવાબમાં શરૂ કરવામાં આવ્યું હતું. પહેલગામ આતંકી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. અંદાજે 25 મિનિટની અંદર પાકિસ્તાનમાં બહાવલપુર, મુરીદકે જેવા જૈશ અને લશ્ર્કરના 9 ઠેકાણાંને સ્ટ્રાઈક કરીને ધ્વસ્ત કરવામાં આવ્યાં હતાં. તાજેતરમાં પુણેમાં એક ઇવેન્ટ દરમિયાન ઈઉજ અનિલ ચૌહાણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ ખતમ નથી થયું, પરંતુ એને રોકવામાં આવ્યું છે. પાકિસ્તાન જો આતંકી હુમલા કે ઘૂસણખોરી કરશે તો ઓપરેશન સિંદૂર ફરીથી એક્ટિવ કરી દેવામાં આવશે.



