SP મનોહરસિંહ જાડેજાએ પાસા દરખાસ્ત કલેક્ટરને મોકલાતા વૉરન્ટ જાહેર કરાયું
ભૂજ જેલમાં બે, અમદાવાદ-સુરત અને વડોદરા જેલમાં એક-એક આરોપીને ધકેલવામાં આવ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.20
ઉના શહેર અને તાલુકામાં શાંતિ જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાએ સુચના આપતા ઉનાના સનખડા ગામના 5 બુટલેગરને પાસા હેઠળ રાજ્યના અલગ અલગ જિલ્લાની જેલમાં ધકેલવામાં આવ્યા છે. 31 ડિસેમ્બર નજીક હોવાથી શહેર અને જિલ્લામાં દારૂ આધારિત ગુન્હાઓ ન બને તે બાબતને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ આચરનાર સામે કાર્યવાહી કરવા સુચના આપવામાં આવતા ઉના ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક મહાદેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઉના પો.ઈન્સ.મહેન્દ્રસિંહ રાણાએ ઉના તાલુકામાં દારૂના ગુન્હાઓમાં સંડોવાયેલા બુટલેગરોની પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસ વડા મારફત ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાને મોકલાતા પાસા વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું.
આ આરોપીઓ વિરુદ્ધ પાસા વોરંટ જાહેર થતાં જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પો.ઈન્સ.એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પો.હેડ.કોન્સ. ગોવિંદસિંહ વાળા, રાજુ ગઢીયા, પો.કોન્સ.રાહુલ છેલણા, વિજય ચૌહાણ, પેરોલ ફર્લો સ્ક્વોડના અજઈં સુભાષ ચાવડા, પો.હેડ.કોન્સ.પ્રવીણ મોરી, અજઈં પીઠરામ જેઠવા, નરવણ સિંહ, રામદેવસિંહ જાડેજા, નારણ ચાવડા, દેવિબેન રામ, પ્રવીણ બાંભણિયા સહિતનાઓએ ટીમ બનાવી આરોપી જયેશ ઉર્ફે નાગણી લખમણ ભાઈ વાઘેલા.રહે.સનખડા, તા.ઉના વાળાને ભુજ જેલ, જયદીપ જીતુભાઈ શિયાળ (ગોહિલ) રહે.સનખડા. તા.ઉનાવાળાને સુરત મધ્યસ્થ જેલ, હરદીપ ઉર્ફે ચેતન જીતુભાઈ શિયાળ (ગોહિલ)રહે.સનખડા. તા.ઉનાવાળાને ભુજ જેલ, નીરવ વિશાલભાઈ ગોહિલ.રહે.સનખડા.તા.ઉનાવાળાને અમદાવાદ મધ્યસ્થ જેલ, ભગુ જોધુભાઈ ગોહિલ.રહે.સનખડા.તા.ઉનાવાળાને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ધકેલવામાં આવ્યા હતા. આમ ઉના તાલુકામાં એક સાથે 5 બુટલેગરોને રાજ્યના વિવિધ જિલ્લાઓની જેલમાં પાસા હેઠળ ધકેલવામાં આવતા તાલુકામાં ગુન્હાઓ આચરતા ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.