આજે સવારે સિદ્ધાંત વીર સૂર્યવંશી જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા અને અચાનક એમનું નિધન થયું હતું.
જાણીતા ટીવી એક્ટર સિદ્ધાંત સૂર્યવંશીનું 46 વર્ષની વયે અવસાન થયું છે. મળતી જાણકારી અનુસાર શુક્રવારે સવારે સિદ્ધાંત વીર સૂર્યવંશી જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા અને અચાનક એમનું નિધન થયું હતું. જો કે જિમમાંથી એમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જય તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સિદ્ધાંત ને ડોક્ટરોએ બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા. જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવ અને દિપેશ ભાન પછી આ ત્રીજું અવસાન છે જ્યારે કોઈ એક્ટર જિમમાં વર્કઆઉટ કરી રહ્યા હોય અને અચાનક એમનું અવસાન થયું હોય.
- Advertisement -
અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશી ‘કુસુમ’, ‘વારિસ’ અને ‘સૂર્યપુત્ર કરણ’ જએવી સિરિયલોમાં જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે ટીવી એક્ટર જય ભાનુશાળીએ તેમના ફેન્સને આ દુઃખદ સમાચાર આપ્યા છે.
સિદ્ધાંત વીર સૂર્યવંશીના પરિવારની વાત કરી તો એમના પરિવારમાં તેની પત્ની એલિસિયા રાઉત અને તેના બે બાળકો છે. આ સિવાય એક વાત જાણવા મળી છે કે સિદ્ધાંત એમની ફિટનેસને લઈને ખૂબ જ સતર્ક હતા.