ફરી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, હજારો જીવ બચ્યા: ડૉગ સ્ક્વૉડ-ડ્રોન કેમેરાથી તપાસ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ બોટાદ
- Advertisement -
ગુજરાતમાં 4 દિવસ પહેલાં સુરતના કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો પર્દાફાશ થયા બાદ આજે ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે. બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે રેલવે ટ્રેક પર 4 ફૂટ ઊંચા પાટાનો ટુકડો કોઇએ ઊભો કરી દીધો. મોડી રાત્રે ઓખા-ભાવનગર ટ્રેન તેની સાથે અથડાતા એન્જિન બંધ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ટ્રેન સહીસલામત ટ્રેક પર ઊભી રહી જતા હજારો લોકોના જીવ બચી ગયા હતા. ઘટનાની તપાસમાં ડોગ સ્ક્વોડ-ડ્રોન કેમેરાની પણ મદદ લેવાઇ રહી છે.
પોલીસે ટ્રેન ઉથલાવાનો પ્રયાસ થયો હોય તેવી આશંકાએ તપાસ હાથ ધરી છે. રેલવે ટ્રેક પરથી લોખંડના ટુકડા મળ્યા હોવાની પ્રાથમિક વિગતો હાલ સામે આવી છે. હાલ બોટાદ પોલીસ, કઈઇ, જઘૠ સહિતની ટીમે આ બનાવ કઈ રીતે બન્યો તે અંગે ડોગ-સ્ક્વોડ અને ડ્રોન કેમેરાની મદદથી તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે બોટાદ જિલ્લા જઙ કે.એફ. બરોડિયાએ જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લાના રામપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી 2 કિલોમીટરના અંતરે વહેલી સવારે પેસેન્જર ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટ્રેન જતી હતી ત્યારે કોઈએ રેલવે ટ્રેકની વચ્ચે આશરે ચારેક ફૂટ લંબાઈનો જૂનો પાટાનો ટુકડો ઊભો કરી દીધો હતો. જેના લીધે ઓખા-ભાવનગર ટ્રેનનું એન્જિન અથડાતાં ટ્રેન ઊભી રહી ગઈ હતી. ત્યાર બાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા રાણપુર પોલીસને જાણ કરતા હાલ કઈઇ, જઘૠ સહિતની ટીમે આ અંગે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં બે મહિનામાં ટ્રેનને પાટા પરથી ઉતારવાનો આ 23મો પ્રયાસ છે. અગાઉ 20 સપ્ટેમ્બરે સુરતમાં રેલવે ટ્રેકમાં છેડછાડ કરવામાં આવી હતી. એ કેસની તપાસ ગઈંઅને સોંપવામાં આવી છે. બીજી તરફ બિહારના મુઝફ્ફરપુર જંક્શન પર શનિવારે રાત્રે મુઝફ્ફરપુર-પુણે સ્પેશિયલ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઊતરી ગયું હતું. સિગ્નલ ન મળતા ટ્રેન આગળ વધવા લાગી ત્યારે આ અકસ્માત થયો હતો.
- Advertisement -
ટ્રેનોને પાટા પરથી ઉતારવાના વધી રહેલા પ્રયાસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર રેલવે એક્ટમાં સુધારો કરવા જઈ રહી છે. આ અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે. આ અંતર્ગત અકસ્માતનું ષડ્યંત્ર રચવા બદલ રાજદ્રોહનો કેસ નોંધવામાં આવશે. આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ પણ હશે.