-દેશના અન્ય રાજયો સાથે જોડતા માર્ગોની ખૂટતી કડી ભરાશે
-2000 કરોડના ખર્ચે બે વર્ષમાં પૂર્ણ થશે
- Advertisement -
દેશના વિવિધ રાજયોને રોડ માર્ગથી જોડવા માટે ગુજરાત સરકારે 3500 કિલોમીટરનો ‘પરિક્રમા પથ’ પ્રોજેકટ તૈયાર કર્યો છે.સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ તથા સાપુતારા જેવા સરહદી ક્ષેત્રોમાંથી આ પથને આગળ ધપાવવામાં આવશે. રૂા.2000 કરોડનો આ પ્રોજેકટ અંદાજીત બે વર્ષમાં પૂર્ણ કરવાનો ટારગેટ રાખવામાં આવ્યો છે.
રાજય સરકારનાં માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું કે રાજય તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગો વચ્ચેની રસ્તાની ખૂટી કડી બનાવીને સમગ્ર પરિક્રમા પથ બનાવવામાં આવશે. તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરી લેવામાં આવી છે, ત્રણ કોરીડોર નિર્માણ પામશે જેમાં પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાપુતારા લીંક રોડને પૂર્વોતર બેલ્ટ સાથે જોડવામાં આવશે. બીજો દક્ષિણ ગુજરાતના દરીયાકાંઠાથી સૌરાષ્ટ્ર સુધી લંબાવવામાં આવશે. જયારે ત્રીજો કચ્છની આંતર રાષ્ટ્રીય સરહદથી શરૂ થશે અને ઉતર ગુજરાતને કવર કરી લેશે.
સરકારના એક સીનીયર અધિકારીએ કહ્યુ કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે સાંકળતા 50 ટકા રસ્તા મૌજુદ છે જ. પરિક્રમા પથ પ્રોજેકટ હેઠળ વચ્ચેની ખુટતી કડી જ જોડવાની છે. બે વર્ષમાં પ્રોજેકટ પૂર્ણ કરવાનો ટારગેટ પૂર્ણ થયા બાદ પ્રવાસનને તો પ્રોત્સાહન મળશે જ સાથોસાથ જુદા જુદા બંદરોની કનેકટીવીટી સારી થશે જેના પરીણામે સર્વગ્રાહી સર્વાંગી વિકાસને વેગ મળી શકશે.
- Advertisement -
ભવિષ્યની પ્રવાસન ડીમાંડ તથા ટ્રાફીકની જરૂરીયાતને લક્ષ્યમાં રાખવામાં આવ્યા છે. પરિક્રમા પથનું નિર્માણ એ રીતે કરવામાં આવશે કે જેનાથી રાજય રાષ્ટ્રીય ધોરીમાર્ગોને જોડતો રીંગરોડ ઉભો થઈ જાય તેમાં અનેક પુલનુ પણ નિર્માણ કરવામા આવશે.
પરિક્રમા પ્રોજેકટમાં 40 ટકા કામ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં 33 ટકા રાજય હાઈવે તથા 27 ટકા અન્ય બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે અને વિકાસને લક્ષ્યમાં રખાયો છે. આ પ્રોજેકટમાં રાજયનાં 33 જીલ્લાનાં 79 ટકા ભાગો તથા ચાર તાલુકાનાં 43 ટકા ભાગોને આવરી લેવાશે.