સ્વચ્છ ભારત મિશન હેઠળ પ્લાસ્ટિક પ્રદુષણ નાબુદ કરવા ચલાવાઈ રહ્યું છે કેમ્પેઈન
સખી મંડળની બહેનો દ્વારા જુનાં કપડાંમાંથી થેલીઓ બનાવી વિતરણ કરવામાં આવે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
05 જુન વિશ્વ પર્યાવરણ દિન-2025ની ઉજવણીનાં અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ’સ્વચ્છ ભારત મિશન’ હેઠળ પ્લાસ્ટિકથી થતા પ્રદુષણનો અંત લાવવા માટેના પ્રયાસ રૂપે તમામ ઘર પ્લાસ્ટિકની થેલીથી મુકત થાય તે માટે તા.05-જુન થી 31ઓક્ટોબર-2025 દરમ્યાન “ખુ ઝવયહશ” કેમ્પેઈનનું આયોજન કરવામાં આવેલ. જેમાં, અઠવાડીયાના બે દિવસ (ગુરૂવાર અને શુક્રવાર)નાં રોજ શહેરના (6) છ સ્થળોએથી સખી મંડળના બહેનો મારફત નાગરિકો દ્વારા લાવેલ જુના કપડામાંથી કાપડની આકર્ષક થેલી સ્થળ પર જ સિલાઈ કરી આપવામાં આવશે. આ કેમ્પેઇનથી પ્લાસ્ટિકથી થતા પ્રદુષણનો અંત લાવવા માટેના પ્રયાસ રૂપે તમામ ઘર પ્લાસ્ટિકની થેલીથી મુકત થાય અને આ કેમ્પેઇન રાજકોટ શહેરમાં તા:05/06/2025(ગુરૂવાર) તથા 06/06/2025(શુક્રવાર)નાં રોજ રાજકોટ શહેરનાં અલગ – અલગ (6) છ સ્થળોએ શહેરીજનોએ આ યોજનાનો લાભ લીધેલ છે, તેમ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઇ.ચા. મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોષી, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
આમ તા:05/06/2025 તથા 06/06/2025નાં રોજ કુલ 281 શહેરીજનો દ્વારા સેન્ટરની મુલાકાત લીધેલ અને 316 જેટલી જુના કપડામાંથી કાપડની થેલી સ્વસહાય જૂથના બહેનો દ્વારા સ્થળ પર જ સિલાઈ કરી આપવામાં આવેલ હતી.આ માય થેલીકેમ્પેઈન થકી પ્લાસ્ટીકથી થતા પ્રદુષણનો અંત લાવવાના પ્રયાસ રૂપે તમામ ઘર પ્લાસ્ટીકથી મુકત થાય તે માટે આ અભિયાનમાં શહેરીજનોને જોડાવા અનુરોધ કરવામાં આવે છે. આ માય થેલી કેમ્પેઇન ઉપર દર્શાવેલ સ્થળોએ તારીખ 31 ઓક્ટોબર 2025 સુધી સમય સવારનાં 10 થી 2 અને બપોરના 3 થી સાંજના 6 કલાક સુધી (દર ગુરુવાર અને શુક્રવાર)નાં રોજ યોજવામાં આવશે.