સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખાણમાં 3 શ્રમિકોના મોત થવા પામ્યા છે. ત્યારે દેવપરા ગામે ચાલી રહેલ ગેરકાયદે ખનન ચાલી રહ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે મુળી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો.
સુરેન્દ્રનગરનાં દેવપરા ગામે ચાલી રહેલ ગેરકાયદે ખનનમાં કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત થવા પામ્યા હતા. ખનીજ માફીયાઓ સામે માનવવધની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. મોડી રાત્રે મુળી પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો. ત્યારે ગેરકાયદેસર ચાલતી ખાણમાં ગેસ ગળતરની ઘટના બની હતી. રણજીત ધાંધલ, સતુ કરપડા સામે માનવ વધની કલમો લગાવાઈ છે. પોલીસે બંને ખનીજ માફિયાઓને પોલીસે ઝડપી લીધા હતા. ત્રણેય મૃતકો રાજસ્થાનનાં રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે.
- Advertisement -
તાજેતરમાં જ અમે 1200 જેટલા ગેરકાયદેસર ખોદેલા ખાડા પુરાવ્યા છેઃ કે.પી.સંપટ (કલેક્ટર)
આ બાબતે સુરેન્દ્રનગર કલેક્ટર કે.પી.સંપટે જણાવ્યું હતું કે, આ ઘટના દુઃખદ છે. પરપ્રાંતનાં શ્રમિકોને ભોળવીને ગેરકાયદેસર પ્રવૃતિઓ કરે છે. તેમજ આ સમગ્ર બાબતે એસપી સાથે પણ મારે વિગતવાર ચર્ચા થઈ છે. તાજેતરમાં જ અમે 1200 જેટલા ગેરકાયદેસર ખોદેલા ખાડા પુરાવ્યા છે. આ પ્રવૃતિ સાથે સંકળાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરીઃ એચ.પી.દોશી (ડી.વાય.એસ.પી)
આ બાબતે સુરેન્દ્રનગર ડીવાયએસપી એચ.પી.દોસીએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરના દેવપરા ગામે કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરની ઘટનામાં ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે. ત્રણેય મૃતકોની લાશને પીએમ અર્થે મુળી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. તેમજ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ તપાસ હાથ ધરી છે.