UPના પિલીભીતમાં STFઅને પંજાબ પોલીસનું ઓપરેશન: ગુરદાસપુરમાં પોલીસચોકી પર ગ્રેનેડ હુમલો કર્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
યુપીના પીલીભીતમાં એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકવાદી માર્યા ગયા છે. જઝઋ અને પંજાબ પોલીસે સોમવારે વહેલી સવારે આ ઓપરેશન હાથ ધર્યું હતું. માર્યા ગયેલા તમામ આતંકીઓ ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના હોવાનું કહેવાય છે. તેમણે પંજાબના ગુરદાસપુર જિલ્લામાં પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલો કર્યો હતો.
માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે એકે-47 રાઈફલ, બે ગ્લોક પિસ્તોલ અને મોટી માત્રામાં કારતૂસ મળી આવ્યાં છે. આ એન્કાઉન્ટર પીલીભીતના પુરનપુર કોતવાલી વિસ્તારમાં થયું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓ ગુરદાસપુરના રહેવાસી ગુરવિંદર સિંહ, વીરેન્દ્ર સિંહ ઉર્ફે રવિ અને જસપ્રીત સિંહ ઉર્ફે પ્રતાપ સિંહ છે. એન્કાઉન્ટરમાં ગોળી વાગ્યા બાદ તમામને પુરનપુર સીએચસીમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં તબીબોએ તમામને મૃત જાહેર કર્યા હતા.
પીલીભીતના જઙ અવિનાશ પાંડેએ કહ્યું- સોમવારે સવારે પંજાબની ગુરદાસપુર પોલીસની ટીમ પુરનપુર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જાણકારી મુજબ થોડા દિવસો પહેલા ગુરદાસપુરમાં બક્ષીવાલ પોલીસ ચોકી પર ખાલિસ્તાની આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. તેઓ પુરનપુર વિસ્તારમાં છુપાયા હોવાની માહિતી મળી હતી. સમગ્ર જિલ્લામાં તાત્કાલિક નાકાબંધી કરી દેવામાં આવી હતી. ચેકિંગ શરૂ કરાયું હતું. આ દરમિયાન ખબરિયા પોઈન્ટ પર તહેનાત પોલીસે માહિતી આપી હતી કે એક બાઇક પર ત્રણ શકમંદો જોવા મળ્યા હતા. તેમની પાસે કેટલીક શંકાસ્પદ વસ્તુઓ છે. તે બાઇક પર પીલીભીત તરફ ગયા હતા. પંજાબ પોલીસ અને પુરનપુર પોલીસે તેમનો પીછો કર્યો હતો. આગળના પોલીસ સ્ટેશનોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે પુરનપુર અને પીલીભીત વચ્ચે નિર્માણાધીન પુલ પર આ લોકોને ઘેરી લીધા તો તેઓ એક ટ્રેક તરફ વળ્યા. આ પછી, જ્યારે અમે તેમને રોકવા માટે કહ્યું, તો તેઓએ પોલીસ ટીમ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. જવાબી કાર્યવાહીમાં ત્રણેય આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. પંજાબ પોલીસે કહ્યું કે આ આતંકવાદીઓનું વિદેશી કનેક્શન પણ છે. આરોપી પાસેથી ચોરીની બાઈક મળી આવી છે. તે પુરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ હતી. આતંકીઓના ગોળીબારમાં બે પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયા છે.
- Advertisement -
આતંકીઓએ 30 મિનિટમાં 100 રાઉન્ડ ફાયર કર્યા
એન્કાઉન્ટર ટીમના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું – આતંકવાદીઓ પાસે અઊં-47 હતી. પંજાબ પોલીસને પહેલેથી જ અંદાજ હતો કે આતંકીઓ પાસે મોટા હથિયારો છે. તેથી, પીલીભીત પોલીસના એસપી અવિનાશ પાંડેએ જવાનોને લાંબા અંતરના હથિયારો સાથે લીધા હતા.પોલીસને ઘેરાયેલી જોઈને આતંકવાદીઓએ પોલીસ પર ગ્રેનેડ ફેંક્યા હતા. જો કે, પીલીભીત પોલીસની ગાડી પર તે વિસ્ફોટ થયો ન હતો, અન્યથા મોટી ઘટના બની શકી હોત. લગભગ અડધા કલાકમાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે 100 રાઉન્ડથી વધુ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મોટા ભાગનું ફાયરિંગ આતંકવાદીઓએ કર્યું હતું.