ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ
સૌથી અમદાવાદીઓ અડફેટે ચડયા, 6 મહિનામાં 2 હજારથી વધુ કિસ્સા નોંધાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં પશુઓ દ્વારા લોકો પર હુમલાના 2656 કિસ્સાઓ નોંધાયા છે. રાજ્યના ઇમરજન્સી સેવા 108માં મળેલા કોલ આધારે સૌથી વધુ પશુઓના હુમલાના કિસ્સા અમદાવાદ શહેરમાં નોંધાયા છે. ત્યાર બાદ સુરત, વડોદરા, ભાવનગર, જૂનાગઢ અને જામનગરમાં પશુઓ દ્વારા હુમલામાં લોકોની ઘાયલ થવાની સંખ્યા વધારે જોવા મળી છે. રાજ્ય સરકાર દ્વારા રખડતા પશુઓની સમસ્યાના સમાધાન માટે યોજના બનાવામાં આવી છે. તેમ છતાં શહેરી વિસ્તારમાં પશુઓના હુમલાનો ભોગ બનનારની સંખ્યામાં વધારો થતો જાય છે.
ખાસ કરીને મહિલાઓ, બાળકો અને સિનિયર સિટીઝન પર પશુઓ દ્વારા હુમલો વધારે કરવામાં આવે છે. આ ઉપરાંત જાહેર માર્ગો પર પશુઓને કારણે થતાં અકસ્માતની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. રાજ્ય સરકાર રખડતા પશુઓની સમસ્યાને રોકવા માટે વિધાનસભામાં રખડતા ઢોર નિયત્રણનું બીલ પસાર કર્યુ હતુ. પરંતુ આ બીલનો વિરોધ થતાં વિધાનસભા ચૂંટણી બાદ આ બીલ પરત ખેચવામાં આવ્યું હતું. જો કે, રાજ્ય સરકાર રખડતા ઢોર નિયત્રણ માટે પશુ નિભાવ ખર્ચ પણ ચુકવે છે, તેમ છતાં શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા વિકટ બનતી જઇ રહી છે.
પશુ વસ્તી ગણતરી 2019 મુજબ રાજ્યમાં રખડતા પશુઓની સંખ્યા 3,39,981 છે. જિલ્લા કચેરીઓ દ્વારા કરવામા આવેલા સર્વે પ્રમાણે રખડતા ઢોરની કુલ સંખ્યા 1,83,903 છે. જેની સામે ઢોરવાડા તેમજ પાંજરાપોર ખાતે 2,23,689 પશુઓ રાખવાની ક્ષમતા છે. અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને લઇને હાઇકોર્ટની ફટકાર બાદ અમદાવાદ મનપા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદની દરખાસ્ત તરીકે શહેરમાં શહેરમાં ઢોક ત્રાસ અટકાવવા અને નિયત્રણની પોલીસી મુજબ શહેરમાં પશુ રાખવા માટે પશુપાલક પાસે જમીન હોવી અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે. જો પશુપાલક પાસે પશુ રાખવા માટે પોતાના માલીકીની જમીન નહી હોય તો પશુ રાખી શકશે નહી.
- Advertisement -
પશુ માલિક માટે પશુ રાખવા માટે લાયસન્સ ફરજીયાત કરવામાં આવ્યુ છે. સ્ટેન્ડિંગ કમિટીએ આંશિક સુધારા સાથે ઢોર ત્રાસ અટકાવવા અને નિયત્રણ અંગેની પોલીસી 2023ના ડ્રાફ્ટને મંજૂરી આપી છે.
6 મહિનાઓમાં પશુઓએ કરેલા હુમલાની વિગત
શહેર(જિલ્લો) જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન કુલ
અમદાવાદ 52 55 61 43 63 68 342
અમરેલી 11 20 20 1 4 13 107
આણંદ 5 5 10 6 6 10 42
ભાવનગર 19 15 29 12 18 14 107
દેવભુમિ દ્વારકા 8 5 4 9 7 3 36
ગાંધીનગર 6 8 15 9 13 15 66
ગીર સોમનાથ 7 9 7 6 3 4 36
જામનગર 8 13 8 9 15 28 81
જૂનાગઢ 17 13 16 10 31 12 99
કચ્છ 21 12 11 14 11 24 93
મોરબી 7 3 4 3 4 9 30
પોરબંદર 6 5 9 9 6 9 44
રાજકોટ 11 14 10 10 20 16 81
સુરત 22 21 30 35 36 30 174
સુરેન્દ્રનગર 20 5 9 12 8 9 63
વડોદરા 21 16 27 22 33 23 142
મહિને પશુઓના હુમલાના સરેરાશ 400 કિસ્સા
રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં પશુઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય તેવા સરેરાશ 400 કોલ 108 ઇમરજન્સી સેવામાં નોધાયા છે. છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ માર્ચ મહિનામાં પશુઓના હુમલાના 490 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ મે,જૂન અને જાન્યુઆરીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
આ કિસ્સાઓમાં રખડતા ઢોર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય, પાળતું પ્રાણીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય અથવા રખડતાં કૂતરાં દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય તેવા કેસનો સમાવેશ થાય છે.
મહિના પ્રમાણે હુમલાની વિગત
423-જાન્યુઆરી
388- ફેબ્રુઆરી
490- માર્ચ
391- એપ્રિલ
482- મે
482- જૂન