-ઉતરાખંડમાં અનેક સ્થળોએ ભુસ્ખલન: ગંગોત્રી-બદ્રીનાથ માર્ગ બંધ: દહેરાદુન જળબંબાકાર
દેશના મોટાભાગનાં ક્ષેત્રોમાં ચોમાસુ સક્રિય છે અને ઉતરાખંડ તથા બિહારમાં આફત બનીને ત્રાટકયો છે. ઉતરાખંડમાં ઠેકઠેકાણે ભુસ્ખલન વચ્ચે બદ્રીનાથ ગંગોત્રી સહીતનાં માર્ગો બંધ થયા હતા. બિહારમાં આકાશી વિજળી ત્રાટકતા ચોવીસ કલાકમાં 25 લોકોનાં મોત નીપજયા હતા.
- Advertisement -
બિહારમાં ભારે વરસાદથી હાલત ખરાબ થઈ છે. આકાશી આફતની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ચોવીસ કલાકમાં આસમાનમાંથી વિજળી ત્રાટકતા 25 લોકોના મોત નીપજયા હતા. રોહતાસમાં 6, ભાગલપુરમાં 4 જસનાબાદ-બકસર તથા જસુઈમાં 3-3 બાંદ્રામાં 2, ગયા, ઔરંગાબાદ, કટીહાર જેવા અન્ય અર્ધો ડઝન જીલ્લાઓમાં એક એક વ્યકિતનો ભોગ લેવાયો હતો. તેમાં ચાર મહિલા અને બે બાળકોનો પણ સમાવેશ થયો હતો.મોટાભાગનાં કિસ્સામાં ખેતરોમાં કામ કરતી વખતે વિજળી ત્રાટકવાથી ખેત મજુરો જ ભોગ બન્યા હતા.
બીજી તરફ ઉતરાખંડમાં પણ વરસાદ આફત બન્યો હતો. અનેક સ્થળોએ ભુસ્ખલનથી માર્ગો બંધ થતા યાત્રાળુઓથી માંડીને સંખ્યાબંધ લોકો ફસાયા હતા. ગંગોત્રી હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. કારણ કે પહાડો પરતી સતત પથ્થર વરસી રહ્યા છે. બદ્રીનાથ માર્ગ પણ ભુસ્ખલનથી બંધ કરાયો હતો. કેદારનાથ યાત્રા પર પણ અસર થઈ હતી.
હવામાન વિભાગ દ્વારા છ જીલ્લાઓમાં આફતનો વરસાદ વરસવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. રાજયમા અનેક નદીઓ ગાંડીતુર થતા તેના પાણી ગામોમાં ઘસી આવ્યા હતા. દહેરાદુન શહેર જળબંબાકાર બન્યુ હતું અને મકાનો-કોમ્પ્લેકસમાં પાણી ઘુસી ગયા હતા. દહેરાદુનમાં મુશળધાર 133 મીમી વરસાદ થતાં 10 વર્ષનો રેકોર્ડ તૂટયો હતો. દહેરાદુન, નૈનિતાલ, દિલ્હી, પિથોરગઢ, ચંપાવત તથા બાગેશ્ર્વરમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.દરમ્યાન હવામાન વિભાગ દ્વારા પાટનગર દિલ્હી સહીતનાં ભાગોમાં વરસાદની આગાહી કરી છે.
- Advertisement -
વરસાદનો વર્તમાન દોર સપ્તાહ સુધી જારી રહી શકે છે. ઉતર પ્રદેશમાં પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. દરમ્યાન હવામાન વિભાગ દ્વારા પાટનગર દિલ્હી સહીતનાં ભાગોમાં વરસાદની આગાહી કરી છે. વરસાદનો વર્તમાન દૌર સપ્તાહ સુધી જારી રહી છે. ઉતર પ્રદેશમાં પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.