મોદી કરશે ઉજ્જૈન મહાકાલ મંદિરના નવા કોરિડોરનું લોકાર્પણ
ખાસ-ખબર સંવાદદાતા
પ્રધાનમંત્રી મોદી 11 ઓક્ટોબરે ઉજ્જૈનમાં મહાકાલ મંદિર કોરિડોરનું લોકાર્પણ કરશે. જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરનો નવો કોરિડોર બનીને તૈયાર થઈ રહ્યો છે. કાશી વિશ્વનાથ કોરિડોર 300 મીટરમાં બન્યો છે, જ્યારે મહાકાલ કોરિડોર 900 મીટર ક્ષેત્રમાં બનાવામાં આવી રહ્યો છે એટલે કે મહાકાલ કોરિડોર કાશીથી ભવ્ય બનાવામાં આવી રહ્યો છે. બે તબક્કામાં થઈ રહેલા નિર્માણમાં મુસાફરો માટે દર્શનિય ક્ષેત્ર અને સુવિધાઓ વિકસિત કરવા પર 750 કરોડ ખર્ચ કરવામાં આવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં 350 કરોડ રૂપિયાના ખર્ચથી બની રહેલા મહાકાલ કોરિડોરના કામ ફટાફટ પુરા કરવાનો ટાર્ગેટ છે. લગભગ 90 ટકાથી વધારે કામ પુરા થઈ ચુક્યા છે. આ વિકાસ કાર્ય બાદ મંદિર પરિસર 2 હેક્ટરથી વધીને 20 હેક્ટર થઈ જશે. જેમાં રુદ્રસાગર સામેલ છે. તેને તૈયાર કર્યા બાદ ભગવાન મહાકાલેશ્વરના દર્શન પહેલા કરતા વધારે સુરક્ષિત અને સરળ થશે.
- Advertisement -
કલેક્ટર આશિષ સિંહે જણાવ્યું છે કે, આ પ્રોજેક્ટ લગભગ 750 કરોડ રૂપિયાનો છે. આ કોરિડોર બનવાથી મહાકાલ મંદિરનું પરિસર જે હાલમાં 2 હેક્ટર છે, તે વધીને 20 હેક્ટરનું થઈ જશે. તેના પ્રથમ તબક્ક્માં 350 કરોડનો ખર્ચ આવશે, જેનું નામ લગભગ પુરુ થઈ ગયું છે. આ પરિસરમાં મહાકાલ કોરિડર, ફેસિલિટી સેન્ટર, સરફેસ પાર્કિંગ, મહાકાલ દ્વાર પણ બનાવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું છે કે, મહાકાલ કોરિડોર પર જેટલો ખર્ચ થશે, તેમાં 422 કરોડ રૂપિયા રાજ્ય સરકાર આપશે, 21 કરોડ રૂપિયા મંદિર સમિતિ અને બાકીના રૂપિયા કેન્દ્ર સરકાર આપશે. મહાકાલ કોરિડર પ્રોજેક્ટ અંતર્ગત રુદ્રસાગર તરફથી 920 મીટર લાંબો કોરિડોર, મહાકાલ મંદિર પ્રવેશ દ્વાર, દુકાનો, મૂર્તિઓનું નિર્માણ 7 માર્ચ 2019થી શરુ થયું છે. ગુજરાતની એક ફર્મ આ કામ કરાવી રહી છે.
કોરિડોર ફરવામાં લાગશે 5થી 6 કલાકનો સમય
કાશી વિશ્વનાથ મંદિરથી ચાર ગણુ મોટુ બની રહ્યું છે મહાકાલ કોરિડોર ખૂબ જ મહત્વનું છે. પરિસર એટલું વિશાળ છે કે, આખુ મંદિર પરિસર ફરવામાં અને ઝીણવટ પૂર્વક જોતા 5થી 6 કલાકનો સમય લાગશે. આ વિશાળ ક્ષેત્રમાં ભગવાન શિવના અલગ અલગ રૂપના દર્શન મહાકાલ કોરિડોરમાં હશે. આ ઉપરાંત શિવ તાંડવ સ્ત્રોતથી લઈને શિવ વિવાહ અને અન્ય પ્રસંગોનું પણ શાનદાર નિરુપણ કર્યું છે. તેમાં મહાકાલેશ્વર વાટિકા, મહાકાલેશ્વર માર્ગ, શિવ અવતાર વાટિકા, પ્રવચન હોલ, નૂતન સ્કૂલ પરિસર, ગણેશ વિદ્યાલય પરિસર, રુદ્રસાગર તટ વિકાસ, અર્ધ પથ ક્ષએત્ર, ધર્મશાળા અને પાર્કિંગ સુવિધાઓનો વિકાસ થઈ રહ્યો છે.
- Advertisement -
કલાકમાં 1 લાખ શ્રદ્ધાળુ કરી શકશે દર્શન
આ મંદિરને ચારે તરફથી ખુલ્લું બનાવામાં આવ્યુ છે, તેની આસપાસના ભવનને હટાવામાં આવી રહ્યું છે, જેમાં શ્રદ્ધાળુ દૂરથી મંદિરના દર્શન કરી શકશે. તેની સાથે જ રુદ્રસાગરના કિનારે 2 નવા દ્વાર બનાવ્યા છે. જેમાં એક સાથે 20 હજાર મુસાફરો એક સાથે જઈ શકશે. 400થી વધારે વાહનોના પાર્કિંગ એરિયા અને ધર્મશાળાથી યાત્રી સીધા નંદી દ્વાર માં પ્રવેશ કરી શકશે. કલેક્ટર આશિષ સિંહના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટ પુરો થવા પર દર કલાકે એક લાખ શ્રદ્ધાળુ દર્શન કરી શકશે.
એક લાખ લોકોની ભીડ થવા પર શ્રદ્ધાળુ 45થી 60 મીનિટમાં દર્શન કરી શકશે.
કોરિડોરનો વિડિયો જોવા અહીં ક્લિક કરો…
महाकाल मंदिर कॉरिडोर की छटा अद्भुत, अविस्मरणीय और अलौकिक है।
बाबा महाकाल की कृपा हम सभी पर सदैव बनी रहे। यही कामना, यही प्रार्थना है।
🙏जय बाबा महाकाल🙏
इस दिव्य और भव्य कॉरिडोर का लोकार्पण देश के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi 11 अक्टूबर को करेंगे: CM pic.twitter.com/qeR5Cq7akO
— Chief Minister, MP (@CMMadhyaPradesh) September 19, 2022