ઉમેદવારોના ચૂંટણી ખર્ચ ઉપર તંત્રની દેખરેખ: કાયદો વ્યવસ્થા, મતદાન કામગીરી માટે વિવિધ કમિટીઓની રચના
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.19
- Advertisement -
લોકસભા સામાન્ય ચૂંટણી-ર0ર4 પોરબંદરની લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી માટે તંત્ર સજજ થયું છે. પોરબંદરની લોકસભાની બેઠકમાં 17.62 લાખ મતદારો અને વિધાનસભામાં 2.62 લાખ મતદારો છે. ઉમેદવારોના ચૂંટણી ખર્ચ ઉપર તંત્ર દેખરેખ રાખશે. જે માટે કાયદો વ્યવસ્થા, મતદાન અને અન્ય ચૂંટણીની કામગીરી માટે વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે અને પોરબંદર જિલ્લામાં 3000થી વધુ કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવશે તે તમામ વિગતો કલેકટર કે. ડી. લાખાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં અપાઇ હતી. પોરબંદર જિલ્લામાં ત્રીજા તબક્કામાં મતદાન તા. 7 મેના રોજ ચૂંટણી યોજાશે. વધુને વધુ મતદારો લોકશાહીના પર્વમાં ભાગ લઇ મતદાન કરે તેવી કલેકટરે મતદારોને મીડિયાના માધ્યમથી અપીલ કરી હતી.
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 સંદર્ભે જિલ્લા કલેકટર કે. ડી. લાખાણીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદમાં કલેકટરે જણાવ્યુ હતુ કે, ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી-ર0ર4ની જાહેરાત તા.16 માર્ચના રોજ કરવામાં આવી છે. જે મુજબ પોરબંદર જિલ્લામાં ત્રીજા તબક્કામાં મતદાન તા. 7 મેના રોજ ચૂંટણી યોજાનાર છે. મત ગણતરી તા. 4 જૂનના રોજ થનાર છે. જિલ્લામાં 11-પોરબંદર લોકસભા મતવિભાગની ચૂંટણી સાથે-સાથે 83-પોરબંદર વિધાનસભા મતવિભાગની પણ પેટા ચૂંટણી યોજાનાર છે. પોરબંદર જિલ્લાના વધુને વધુ મતદારો લોકશાહીના પર્વમાં ભાગ લઇ મતદાન કરે તેવી કલેકટરે મતદારોને મીડિયાના માધ્યમથી અપીલ કરી હતી.
આચારસંહિતાના અમલ અર્થે નોડલ ઓફીસરશ્રી તથા તેમના મદદનીશની નિમણૂંક કરવામાં આવી છે. લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે જિલ્લા કક્ષાએ રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કરાયુ છે. જેના ટોલ ફ્રી નં.1950, 18002334517 તથા 0286-2250050/51/52/53 નો સમાવેશ થાય છે. સોશ્યલ મીડીયામાં ફેલાતા ફેક ન્યુઝ બાબતે અંકુશ લાવવા તથા મતદારોને ફેક્ધયુઝના કારણે ગેરમાર્ગે ન દોરાય તે માટે વ્યવસ્થા કરી નોડલ અધિકારીની નિમણૂંક કરાઇ છે. આચાર સંહિતા ભંગની ફરિયાદ બાબતે લાઇવ વિડીયો કે લાઇવ ફોટોગ્રાફસ સાથે પણ ઈ-ટશલશહ પોર્ટલ પર ફરીયાદ કરી શકાશે. ઈ-ટશલશહ પોર્ટલ પર આવતી ફરીયાદોનો 100 મીનીટમાં નિકાલ કરવાનો થાય છે.