દેશના 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા યુવક દિલ્હીથી સાયકલ યાત્રાએ નીકળ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હાલ જ્યારે શ્રાવણ માસ નજીક આવી રહ્યો હોય ત્યારે દિલ્હીના એક યુવક દ્વારા એક અલગ જ મુહિમ ચલાવવામાં આવી રહી છે. મૂળ બિહારના વતની રાજન સનાતની નામના યુવક દ્વારા દિલ્હીથી સાયકલ દ્વારા સમગ્ર ભારતના 12 જ્યોતિર્લીંગના દર્શન કરવા માટે સાયકલ પર આશરે 15000 કિલોમીટરની યાત્રા પર
નીકળ્યો છે.
સમગ્ર ભારતમાં આવેલા 12 જ્યોતિર્લીંગમાંથી પાંચ જ્યોતિર્લીંગના દર્શન 6 મહીનામાં પૂરા કરી દેવામાં આવ્યા છે અને સાત જ્યોતિર્લીંગના દર્શન માટે યુવકને હજુ 6 મહીનાનો સમય લાગશે. સાયકલ પર નીકળેલો યુવક દેશના યુવાઓને એક જ સંદેશ આપવા માગે છે કે 83 લાખ 999 યોનીઓને પાર કરીને ભગવાને મનુષ્યનો જે અવતાર આપ્યો છે અને જે સનાતન ધર્મ આપ્યો છે એનું મહત્ત્વ સમજે અને જે યુવા વર્ગ દ્વારા સ્પેશિયલ મીડિયામાં રીલ્સના નામે ભગવાનનું જે અપમાન કરવામાં આવે છે તે અટકે અને સનાતન ધર્મમાંથી જાતિવાદ જે ઝેરનું કામ કરે છે તે ફેલાતો અટકે અને જે દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવે છે ચિત્રો અને વાક્યો દ્વારા તે સંપૂર્ણપણે બંધ થઈ જાય સમગ્ર યાત્રા કરવાનો ઉદ્દેશ જાતિવાદને રોકવો અને સનાતન ધર્મને આગળ લાવવાનો છે. સાયકલ પર નીકળેલા યુવક દ્વારા આ અશક્ય દેખાતા કામને શક્ય કરી દેવામાં આવ્યું હતું.